ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ ઇતિહાસની વાતો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઇતિહાસની વાતો સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

ટાઇટેનિક દુર્ઘટના

ટાઇટેનિક દુર્ઘટના
ટાઇટેનિક જયારે ડૂબી રહી હતી ત્યારે એની નજીકમાં ત્રણ જહાજ હતા જે ટાઇટેનિકને કપરા સમયમાં મદદ કરી શક્યા હોત પણ એમાંથી બે એ ના કરી. ચાલો જોઈએ એ જહાજો કયા હતા અને એમણે મદદ કેમ ના કરી?
સૌથી નજીક જહાજ જે હતું એનું નામ 'સેમસન' હતું. એ ટાઇટેનિકથી ફક્ત ૭ માઈલ દૂર હતું. એના કેપટને ટાઇટેનિકમાંથી સહાયતા માટે આકાશમાં છોડેલા સફેદ અગન ગોળા ફક્ત જોયાજ ના હતાં પરંતુ એમાં સવાર સહેલાણીઓના રડવાનો અવાઝ પણ સાંભળ્યો હતો અને તેમ છતાં સહાયતા ના કરી. કારણ હતું એ લોકો અમૂલ્ય એવી મચ્છલીઓનું એ વખતે ગૈર કાનૂની શિકાર કરી રહ્યા હતા અને એમને પકડાઈ જવાનો ડર લાગ્યો! એ લોકોએ 'સેમસન' બીજી જગ્યાએ લઇ ગયા.

ટાઇટેનિકની નજીક જે બીજું જહાજ હતું એનું નામ 'કેલિફોર્નિયાન' હતું. એ ટાઇટેનિકથી ૧૪ માઈલ દૂર હતું. એના  કેપટને પણ પેસેન્જરોના અવાજ સાંભળ્યા હતા. પોતાની કેબિનમાંથી બહાર નીકળી એણે પણ પેલા સફેદ અગન ગોળા જોયા હતા. પણ ટાઇટેનિક હિમશિલાઓથી ઘેરાયેલું હતું, એને હિમશીલાઓ ફરતે થઇ જવું પડ્યું હોત. એણે નક્કી કર્યું કે સવારે જઈશ અને સુવા ચાલ્યો ગયો અને સવાર થવાની રાહ જોવા લાગ્યો. એ સવારે જયારે ટાઇટેનિકના લોકેશન પર પહોંચ્યો ત્યારે એણે એના (ટાઇટેનિકના) કેપ્ટાન એડવર્ડ સ્મિથ સાથે ડૂબી ગયાને ૪ કલાક થઇ ગયા હતાં.

ત્રીજો જહાજ 'કાર્પેથિયા' ટાઇટેનિકથી ૬૮ માઈલ દૂર હતો. એના કેપટને રેડીઓ પર ટાઇટેનિકના લોકોની ચીખો સાંભળેલી. એ જહાજ બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યું હતું અને તે છતાં એના કેપટને ખરાબ હવામાન અને હિમશિલાઓની પરવાહ કર્યા વિના પોતાના જહાજને ટાઇટેનિક તરફ વાળ્યો. એ જયારે દુર્ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ટાઇટેનિકને ડુબ્યાને ૨ કલાક થઇ ગયા હતા. પણ આ એજ જહાજ હતું જેણે ટાઇટેનિકના ૭૧૦ પેસેન્જરોના જીવ બચાવેલાં.

આ ત્રીજા જહાજના કેપ્ટાન આર્થો રોસ્ટનને બ્રિટનમાં બહાદુરી માટે અનેક ઇનામો અને એવોર્ડ્સ અપાયેલાં. એમનું થેરે, ઠેર સન્માન કરાયું હતું.
ઉપરોક્ત પોસ્ટમાં ત્રણ ઉદાહરણો છે. આ ઉદાહરણો આપણા સમાજ અને દુનિયામાં બધે જોવા મળે છે.
'સેમસન'વાળા એ લોકો છે જે ડુબતાની સહાય કરી શકતા હતા પણ પોતાની સ્વાર્થ વૃત્તિ બતાવીને મદદ ના કરતાં ત્યાંથી ભાગી ગયા.

બીજા કિસ્સામાં મદદ કરવા માગતા હતા પરંતુ આળસ કરી. સમયસર સહાયતા ના કરી. રાંડ્યા પછીનું ડહાપણ નકામું.

ત્રીજા કિસ્સાના ના લોકો ખરેખર મદદગાર પુરવાર થયા. ૭૦૦ થી વધુ લોકોને બચાવ્યા.
દોસ્તો, કોરોના ના સંકટ કાળમાં આપણી આજુ બાજુ ઘણા લોકો છે જેમને આપણી સહાયતાની જરૂરત છે. તમે બધાને મદદ ના કરી શકો પણ જેટલાને કરી શકતા હોવ એટલાને કરશો.

#હિંગોળગઢ- એનો ઇતિહાસ અને જાણવાલયક વાતો

#હિંગોળગઢ
જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. તથા વીંછિયા થી ૧૦ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાકુંભાજી જાડેજાએ કોળીની વસતિને તગેડી મુકેલી જેને જસદણના ખાચર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી.

કોળી-પટેલોની વસતિ એ જમાનામાં ભારે ખેપાની ગણાતી.આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબ બાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગદોર સંભાળવા વિનંતી કરી.
સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને  સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા અને તેમણે હામ,દામ, શામ અને દંડથી અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.
પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે વાજસૂરે જસદણઅને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું.
પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૃઆત કરેલી ત્યાં જામનગરના સેનાધિપતી મેરૃ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં.
જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મૈત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથ ઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથેજસદણની ભાઇબંધી પાકી થઇ.એક અવરોધ દૂર થયો એટલે ઇ.સ. ૧૮૦૧ની સાલમાં શુભ મુર્હતે વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૃઆત કરી.

શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૃપ ગણાય છે.
સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશથી વાતો  કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર ઊંચો છે (૧૧૦૦ફૂટ) ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

આ હિંગોળગઢની શોભા ચોમાસાની ઋતુમાં ખુબ જ અનોખી હોય છે. ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે.

આ હિંગોળગઢની રચના યુદ્ધની દ્રષ્ટિએ અને વ્યુહાત્મક રીતે ઘણી ઉત્તમ છે. જાણે યુરોપની ધરતીનો નમૂનો જ જોઇ લ્યો. આ ગઢને ફક્ત પશ્ચિમે જસદણ બાજુ એક જ દરવાજો છે. દરવાજો વટાવીને અંદર પ્રવેશતાંની સાથે જ મોટો ચોક આવે છે. આ ગઢમાં વાજસૂર ખાચર વખતની જુનવાણી તોપો જોવા મળે છે.
અનાજના મોટા કોઠારો, પાણીના મોટા ટાંકાઓ વગેરે દરેક જાતની સગવડો અહીં છે. લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી ઢબે બાંધેલો છે.

કહેવાય છે કે, કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે. તેમાં એક ખીરસરાનો, બીજો જામનગરનો બરડા ધક્કામાં મોડ પરનો, ત્રીજો રાજપરાનો, ચોથોગોંડલ તાબાના અનળગઢનો અને પાંચમો ભિમોરાનો ગઢ આ બધામાં ’હિંગોળગઢ આજની તારીખમાં અડીખમ ઊભો છે.  તેની એક કાંકરી પણ ખરી નથી એવુ બાંધકામ કરવામાં આવેલું છે.

હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૃખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.

શુક્રવાર, 1 મે, 2020

ગુજરાત સ્થાપના દિવસ | #ગુજરાત દિવસ 2020 #ગુજરાત દિવસની શુભેચ્છાઓ #ગુજરાત સ્થાપના દિવસ #ગુજરાત વિશે ખાસ

💘 ગર્વિલો ગુજરાતી ❤
#ગુજરાત દિવસ 2020 #ગુજરાત દિવસની શુભેચ્છાઓ #ગુજરાત સ્થાપના દિવસ #ગુજરાત વિશે ખાસ
                                    

  💘 ગર્વિલો ગુજરાતી ❤💘 ગર્વિલો ગુજરાતી ❤
ધન્ય ગુજરાત
          કનૈયાલાલ મુનશીએ લખ્યું છે કે,...........
                                      

         “ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત’ એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. જે પોતાને એક કલ્પનામાં, પોતાનું અસ્તિત્વ એક દ્રઢ સંકલ્પ દ્વારા સમજવામાં જીવનસાફલ્ય સમજે છે. જ્યાં ગુજરાતીઓ ‘ગુજરાત’ છે ને રહેશે એવી નિર્ણાયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસ્તી છે.”
આ ઉપરાંત પારસી વેપારી,,
                                                               અરદેશર ફ. ખબરદાર


દ્વારા લખવામાં આવેલી આ કવિતા પંક્તિ મટીને કહેવત બની ગઈ છે.
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,

                             ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,

                             ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!”

કવી ઉમાશંકર જોશીએ ગુજારાત અને ગુજરાતના લોકો વિશે લખ્યું છે કે.....


“ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,

કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.”

પ્રથમ, મે, 1960 ના રોજ બ્રૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી 

બોલતા પ્રદેશોનું એક અલગ રાજ્ય બનાવવામાં આવ્યું. બ્રૃહદ મુંબઈના ભાગલા પડવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા.
ગુજરાત ભારતના પશ્ચિમ છેડે આવેલું રાજ્ય છે. ગુજરાતના પશ્ચિમે અરબી સમુદ્ર,ઉત્તરમાં પાકિસ્તાન અને ઉત્તર પૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર તથા દીવ દમણ અને દાદરાનગર હવેલી આવેલ છે.
ગુજરાતના ઈતિહાસની વાત કરીએ તો ગુજરાતને પોતાના સંસ્કારિતા અને સામ્રાજ્યને લઈને એક આગવો ઈતિહાસ છે. ગુજરાતનો ઈતિહાસ જૂનો અને ખૂબજ સમુદ્ધ છે. ગુજરાતની સંસ્કૃતિ ખૂજબ સમુદ્ધ છે. ગુજરાતના ઈતિહાસ વિશે માહિતી મેળવવા માટે આપણે પ્રાગ ઐતિહાસિક યુગમાં એક ડોંકિયું કરવું પડશે. આરંભઃ
પુરાણો અને મહાકાવ્યોમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આનર્તનો પુત્ર રેવત આધુનિક દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ મામા કંસનો વધ કર્યા

બાદ સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. એ સમયે આ નગરીને દ્વારકા, દ્વારિકા, દ્વારામતિ તરીકે ઓળખવામાં આવતી હતી. એવું કહેવામાં આવે છે કે કૃષણની મૂળ દ્વારિકા નગરી સમુદ્રમાં ગરક થઈ ગઈ છે. ભગવાન કૃષ્ણ દ્વારિકાના શાસક હોવાથી તે દ્વારિકાધીશ તરીકે ઓળખાતા હતા. કૃષ્ણએ દ્વારિકામાં યાદવોનું શાસન સ્થાપ્યું હતું. પરતું યાદવો સત્તા, સંપતિ, સુખ અને મદિરાપાનમાંજ રાચતા રહ્યા હતા. જેના કારણે તેઓ અંદરો અંદર લડીને ખતમ થઈ ગયા હતા.
                                               સોમનાથ મંદિર અને ગિરનાથ પર્વતનો


પણ ગુજરાત વિશેની પૌરાણિક વાર્તાઓમાં ઉલ્લેખ જોવા મળે છે. પૌરાણિક સમયમાં સરસ્વતી નદી પણ ગુજરાતમાંથી વહેતી હોવાનું જાણવા મળે છે. પાંડવો તેના અજ્ઞાતવાસ દરમિયાન જે વિરાટ નગરીમાં રહ્યા હતા તે વિરાટ નગરી પણ આજના કચ્છમાં આવી હોવાનું માનવામાં આવે છે.

લોથન તથા ધોળાવિરામાંથી સીંધું ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.


પ્રાચીન યુગનું ગુજરાતઃ

ગુજરાતમાં કૃષ્ણ ભગવાનના શાસન બાદ 3000 વર્ષ સુધી શું બન્યું તેની માહિતી મળતી નથી. આથી આ સમયગાળા દરમિયાન શું બન્યું હશે તેની માત્ર કલ્પનાજ કરવી રહી. યાદવકુળના નાશ બાદ ગુજરાતની એકંદરે સ્થિતિ અંધકારમય જેવી બની રહી હતી. કૃષ્ણ શાસન બાદ છેક ઈ.સ 319માં

મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્ત મૌર્યે ધ્વજ ફરકાવ્યો હોવાની માહિતી મળે છે.
એ વખતે સૌરાષ્ટ્ર અને ગુજરાત તેના શાસન હેઠળ આવતા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર અશોકે ઠેરઠેર શિલાલેખો કોતરાવ્યા હતા.


જેને અશોકના શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. આમાંનો એક શિલાલેખ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો છે.
ઈસુના જન્મ થયા બાદ આશરે ચાર સદી સુધી શક પ્રજાનું ગુજરાત ઉપર શાસન રહ્યું હોવાનું માલુંમ પડે છે. ગુજરાતના રિતસરનો ઈતિહાસ જોઈએતો તેની શરૂઆત વલભીપુરથી થાય છે. એ સમયે વલભી માત્ર ગુજરાતની નહી પરતું પુરા ભારતની સંસ્કારભૂમિ બની હતી..

ભારતમાં નાલંદા અને વલભી બે મોટી વિદ્યાપિઠો આવેલી હતી.
પ્રાચીન કાળમાં મૂળરાજ સોલંકિના સમયને ગુજરાતનો સુર્વણકાળ ગણવામાં આવે છે. મૂળરાજે ‘ગુર્જરેશ’ પદવી ધારણ કરી હતી. તેના શાસન હેઠળ જે જે પ્રદેશો આવતા હતા તેને ‘ગુર્જરદેશ’, ‘ગુર્જરરાષ્ટ્ર’ કે ‘ગુજરાત’ તરીકે ઓળખવામાં આવતા હતા. સોલંકી વંશ બાદ વાઘેલાએ ગુજરાત ઉપર શાસન કર્યું હતું. વાઘેલા બાદ ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યો હતો.

મધ્યકાલિન યુગ/ મધ્યયુગઃ
ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યા બાદ ગુજરાત દિલ્હીના સુલતાનોના હાથમાં આવ્યું હતું. સુલતાનોએ ગુજરાતની પ્રજા ઉપર ઘણા અત્યાચારો કર્યા હતા.
                                                                  મુઝફ્ફર શાહ


ગુજરાતનો પ્રથમ સુલતાન બન્યા હતા.
                                                          મુઝફ્ફરના પૌત્ર અહમદ શાહે



1411માં અમદાવાદનો પાયો નાખ્યો હતો.
અમદાવાદની સ્થાપના થયા બાદ તેની આસાપાસના લોકો ત્યાં આવીને વસવા લાગ્યા હતા, જેના પરિણામે અમદાવાદનો વિકાસ થયો હતો.
                                                        અહમદશાહના પૌત્ર મહંમદશાહે


મહેમદાબાદ શહેર વસાવ્યું હતું.
                                                                  સંત નરસિંહ મહેતા

પણ આજ સમયગાળા દરમિયાન થઈ ગયા હતા. ગુજરાત ઉપર શાસન કરનાર છેલ્લો રાજા,,,,,
                                                                        બહાદુરશાહ


હતો. ત્યાર બાદ મોગલોએ ગુજરાત જીતુ લીધું હતું.
મોગલોના શાસન દરમિયાનજ ગુજરાતની માઠી બેઠી હતી. મોગલ રાજા,,,,
                                                                       જહાંગીરના


શાસનમાં તેમની પરવાનગીથી અંગ્રેજોએ સુરત ખાતે વેપારની પહેલી કોઠી સ્થાપી હતી. જહાંગીરની આ ભૂલને કારણે ગુજરાત અને ભારતે ઘણું બધું સહન કરવું પડ્યું હતું. અંગ્રેજોએ વેપારની સાથે સાથે એકબીજા રાજાની ચાંચિયાગીરી કરવાનું ચાલું કર્યું હતું. જેના પરિણામે રાજાઓને એકબીજા સાથે લડાવીને બહું ટૂંકા સમયમાં ગુજરાત ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી લીધું.


આધુનિક યુગઃ
ભારત અંગ્રેજોના હાથમાં સરકી ગયા બાદ દેશને આઝાદી અપાવવામાં ગુજરાતનું અમુલ્ય યોગદાન રહ્યું છે.
                                               ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ




જેવા નેતાઓએ ભારતને આઝાદી અપાવવા માટે જે બલીદાન આપ્યું છે તેના માટે ભારત દેશ યુગો સુધી તેનો રૂણી રહેશે.
અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવવા માટે સૌપ્રથમ પ્રયાસ

1857માં કરવામાં આવ્યો હતો. 1857ના આ બળવામાં ગુજરાતના નાંદોલ, દાહોદ, ગોધરા, રેવાકાંઠા તથા મહિકાંઠાના કેટકાલ પ્રદેશો પણ જોડાયા હતા. પરતું ગુજરાતની ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોવાથી આ ક્રાંતિ બહુ વ્યાપક બની ન હતી.
ગુજરાતના વિવધ નેતાઓ તેમજ સમાજ સુધારકોએ લોકોમાં જાગૃતિ ફેલાવવાના કાર્યો કર્યા હતા. કવિ                                                                                 નર્મદે પોતાના

સામયિક ડાંડિયો દ્વારા સમાજ સુધારણાના કાર્યો કર્યા હતા.     સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના ફેલાવા માટે કાર્યો


 કર્યા હતા, તેમજ સ્વામી સહજાનંદે પછાત જાતીઓમાં

જાગૃતિ લાવવાના કાર્યો કર્યા હતા.
1185માં એ.ઓ.હ્યુમે કોંગ્રેસની સ્થાપના કરી હતી.

કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી,,,,,,

ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી,,,,,,


ગુજરાતના હતા. આ ઉપરાંત ત્રણ અન્ય ગુજરાતીઓ
શ્યામજી કૃષ્ણવર્મા, સરદાર સિંહ રાણા અને મેડમ ભિખાઈજી કામા,,,,,,,





એ વિદેશમાં રહીને ભારતને આઝાદી અપાવવા માટે પ્રયત્નો કર્યા હતા.
ભારતને આઝાદી અપાવનાર તેમજ ભારતની ભૂમિ ઉપરથી અંગ્રેજોને હાંકી કાઢનાર મોહનદાસ કરમચંદ ગાંધીને કોઈ કેવી રીતે ભૂલી શકે? ગાંધીજીએ અમદાવાદ ખાતે સૌપ્રથમ કોચરબ આશ્રમની

સ્થાપના કરી હતી. ગાંધીજીએ 1918માં ખેડાખાતે સૌપ્રથમ


ખેડૂતોનું વિશાળ સંમેલન યોજ્યું હતું. ગુજરાતમાં એ સમયથીજ સત્યાગ્રહનો જન્મ થઈ ચુક્યો હતો.
મિઠા ઉપર લગાવવામાં આવેલા કરના વિરોધમાં ગાંધીજીએ 12, માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા કરી અને મિઠાના કાયદાનો



ભંગ કર્યો હતો. 1942માં ગુજરાતમાં હિંન્દ છોડો આંદોલનની

શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગાંધીજીની અહમ ભૂમિકા રહી હતી. સહિયારા પ્રયાસથી આખરે 1947માં ભારત


અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું. ભારતને આઝાદીતો મળી પરતું એ સમયે સૌથી મોટો માથોનો દુઃખાવો હતો નાના નાના રજવાડાઓ.

ભારત એ સમયે જુદા જુદા 600 જેટલા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. તેને એક કરવાનું કામ કર્યું હતું લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે.


સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતા. પરતું આઝાદી અંગેના ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને તે ગાંધીજીની લડતમાં જોડાઈ ગયા હતા. ગુજરાતના આવા અનોખા ઈતિહાસને કોઈ કેવી રીતે ભૂલાવી શકે?
છેલ્લે...
કવિ નર્મદે તેના સામયિક ડાંડિયો દ્વારા સમાજસુધારણાના અનેક કાર્યો કર્યા છે. નર્મદ દ્વારા ગુજરાતની ગુણગાન કે ગુણગાથા ગાતી એક કવિતા રજૂ કરવામાં આવી છે.


જય જય ગરવી ગુજરાત
કવિ નર્મદ
જય જય ગરવી ગુજરાત !

જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણું પરભાત,

ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;

તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -

ઊંચી તુજ સુંદર જાત,

જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,

પૂરવમાં કાળી માત,

છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;

ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-

છે સહાયમાં સાક્ષાત

જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,

મહી ને બીજી પણ જોય.

વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;

પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-

સંપે સોયે સઉ જાત,

જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,

તે સિદ્ધ્રરાજ જયસિંગ.

તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !

શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-

જન ઘૂમે નર્મદા સાથ,

જય જય ગરવી ગુજરાત.

#ગુજરાત દિવસ 2020 #ગુજરાત દિવસની શુભેચ્છાઓ #ગુજરાત સ્થાપના દિવસ #ગુજરાત વિશે ખાસ

રવિવાર, 15 માર્ચ, 2020

મેજર ધ્યાનચંદ -હોકી ના જાદુગર

━━━━━━━━━━━━━━━━━━━━━━━
         ❝ મેજર ધ્યાનચંદ 曆❞[ હોકી ના જાદુગર ]
━━━━━━━━━━━━━━━━━━━━━━━
 જન્મ તારીખ :- 29 August 1905
  મત્યુ તારીખ :-  03 ડિસેમ્બર, 1979
 મેજર ધ્યાનચંદનો જન્મ  અલ્હાબાદમાં થયો હતો.

 તે ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ભારતીય હોકી ટીમ (1928 નું એમ્સ્ટરડેમ ઓલિમ્પિક્સ, 1932 નું લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને 1936 ના બર્લિન ઓલિમ્પિક્સ) ના સભ્ય હતા.
 હોકીમાં જોડાતા પહેલા તેમણે ભારતીય સૈન્યમાં મેજરનો હોદ્દો સંભાળ્યો હતો.
 એકવાર એવું બન્યું કે નેધરલેન્ડ્સની મેચ દરમિયાન, તે લાકડીમાં કોઈ ચુંબક ન હોવાની શંકા સાથે તેની હોકીની લાકડી તોડતો જોવા મળ્યો.
 મેજર સાહેબે શોટ ફટકાર્યો, તે ધ્રુવ પર ગયો અને તેણે રેફરીને કહ્યું કે ગોલ પોસ્ટની પહોળાઈ ઓછી છે. જ્યારે ગોલપોસ્ટની પહોળાઈ માપવામાં આવી, ત્યારે દરેકને આશ્ચર્ય થયું કે તે ખરેખર ઓછી છે.
 1936 માં, જર્મન ગોલકીપરે ધ્યાન ધ્યાનચંદને જાણી જોઈને પડતો મૂક્યો. આનાથી મેજરનો દાંત તૂટી ગયો હતો.
 મેજર ધ્યાનચંદે તેની આખી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 400 થી વધુ ગોલ નોંધાવ્યા હતા, જે હોકીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ છે.
 ધ્યાનચંદને 1956 માં ભારતના પ્રતિષ્ઠિત નાગરિક સન્માનિત પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
 હિટલરે મેજરને તેની જર્મન તરફથી રમવાનું કહ્યું હતું અને જર્મન આર્મીમાં માર્શલ બનવાની ખાતરી આપી હતી, પરંતુ મેજેરે આ તકને ઠુકરાવી દીધી હતી.
 ભારત સરકારે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ વર્ષ ૨૦૧૨ માં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, ત્યારથી 29 29ગસ્ટ દર વર્ષે દેશભરમાં "રાષ્ટ્રીય રમત દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
 તેમનું 03 ડિસેમ્બર 1979 ના રોજ અવસાન થયું.


લાંબા સમયથી ભારત રત્ન પુરસ્કાર આપવાના મામલે હોકીની અવગણના કરવામાં આવી છે. વર્ષ 2019માં પણ દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન માટે મેજર ધ્યાનચંદની અવગણના કરવામાં આવી છે. જેના કારણે હોકીના દિગ્ગજ દુખી છે. તેમને કહ્યું કે ભારતને ખેલ જગતમાં ઓળખ અપાવનાર એવા દિગ્ગજ ખિલાડીને આવી રીતે ભુલાવી દેવું દુર્ભાગ્યપૂર્ણ છે.

તેમને બતાવી દઈએ કે આ પહેલા 2014માં પણ ભારત રત્ન માટે ખેલ ક્ષેત્રને અલગ-અલગ શ્રેણીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખેલોમાં જોકે પહેલા અને અત્યાર સુધી ભારત રત્ન એકમાત્ર ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંદુલકરને આપવામાં આવ્યો છે.

પરંતુ આ વખતે મેજર ધ્યાનચંદના પુત્ર અશોક કુમારે કહ્યું કે તેમના પરિવારે હવે આશા છોડી દીધી છે. તેમને કહ્યું કે,‘કોઈ પણ સરકાર તેમના પિતાના યોગદાનને સમઝી શકી નથી અને આટલા વર્ષોથી રાહ જોયા બાદ હવે અમારી આશા તૂટી ગઈ છે.’ નોંધનીય છે કે આ વખતે કેન્દ્રની બીજેપી સરકારે જનસંઘ નેતા નાનાજી દેશમુખ, મશહૂર સંગીતકાર ભૂપેન હજારિકાને મરણોપરાંત અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી