ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ ગુજરાતી જ્ઞાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુજરાતી જ્ઞાન સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

હું એક શિક્ષક છું,

હું એક શિક્ષક છું,
હા હું જ આ સમાજને દિશા આપવામાં સમર્થ છું. એક શિક્ષક સતત સમાજમાં શિક્ષણ,સંસ્કાર,રિત,રિવાજ,જ્ઞાન પ્રસરાવવાનું કાર્ય કરતો આવ્યો છે. સતત અને અવિરત વાલ્મીકીથી શરૂ કરી સાંદિપની, યાજ્ઞવલ્કય, ચાણક્ય, સોક્રેટીસ, લેલીન, રસેલ, માર્કસ અનેક શિક્ષકોએ સમાજમાં સતત નવા વિચારો આપ્યા જ નહિ પરંતુ તે વિચાર પર સમાજને ચાલતો કર્યો છે.
રામ અને કૃષ્ણ જેવા શિક્ષકો તો આજે પણ માર્ગદર્શન કરી રહ્યા છે.આ એ જ સમાજ છે કે જે આજે શિક્ષક દિવસ મનાવે છે. આ તો આજના જમાનામાં સામાન્ય છે જે તહેવાર આવે તેના ગીતો વગાડવાના અને જાય એટલે એ સરંજામ લઇને બીજાની તૈયારી કરવાની.
મિત્રો શિક્ષક એ ખાલી ભણાવતો નથી તે ભણતા કરે છે. ખાલી હોમવર્ક આપે એ શિક્ષકનું કામ નથી. પણ જીવન સમજાવી જાય એ કામ છે. આજે આ દેશમાં સૌથી વધુ જરૂર મારી.... એટલો કે એક શિક્ષકની છે. હવે કંઇ કરવાનો દિવસ અને અવસર છે.
સમાજમાંથી ગંદકી દૂર કરવાનું શિક્ષણ હોય કે સમાજને સ્વચ્છતાની ટેવ પાડવાનું શિક્ષણ હોય ભ્રષ્ટાચાર રોકવાનું શિક્ષણ હોય કે તેની સામે લડવાનું કુરિવાજો સામે અવાજ ઉઠાવનાર શિક્ષકની આજે જરૂર છે
એક સામાન્ય માણસ અંધશ્રદ્ધા ફેલાવે અને આપણે તે રોકી પણ ન શકીએ...!!!
જવા દો
સવાલ એ નથી કે શું કરવું પણ મિત્રો ચાણક્ય પર મને આજે પણ એટલો જ વિશ્વાસ છે તેથી માનું છું કે તેની વાત સત્ય પણ હશે જ. સમાજને કોઇ બદલી શકશે તો આપણે જ...!!!
હિંમત અને જ્ઞાનયુક્ત શક્તિની જરૂર છે બાકી શિક્ષણ તો હવે વેચાવા લાગ્યું છે અને ૧૦૦૦ ₹ કલાક ના ભાવે શિક્ષક પણ બજારના ટ્યુંશન શોરૂમ મા અવેલેબલ છે.


પણ આજે જો આ દિવસ મારો હોય દિલીપ રાઠોડનો હોય તો હું હિંમત અને વિશ્વાસથી કહું છું કે આપણે લડીશું
મહેનત કરીશું
વિશ્વાસ કરીશું
પ્રયાસો કરીશું
પણ આ દિવસ માટે સમાજ દ્વારા આપણને જે માન મળ્યું છે તેની કિંમત ચૂકવીશું
એક શ્રેષ્ઠ સમાજની રચના કરીને.....

ટાઇટેનિક દુર્ઘટના

ટાઇટેનિક દુર્ઘટના
ટાઇટેનિક જયારે ડૂબી રહી હતી ત્યારે એની નજીકમાં ત્રણ જહાજ હતા જે ટાઇટેનિકને કપરા સમયમાં મદદ કરી શક્યા હોત પણ એમાંથી બે એ ના કરી. ચાલો જોઈએ એ જહાજો કયા હતા અને એમણે મદદ કેમ ના કરી?
સૌથી નજીક જહાજ જે હતું એનું નામ 'સેમસન' હતું. એ ટાઇટેનિકથી ફક્ત ૭ માઈલ દૂર હતું. એના કેપટને ટાઇટેનિકમાંથી સહાયતા માટે આકાશમાં છોડેલા સફેદ અગન ગોળા ફક્ત જોયાજ ના હતાં પરંતુ એમાં સવાર સહેલાણીઓના રડવાનો અવાઝ પણ સાંભળ્યો હતો અને તેમ છતાં સહાયતા ના કરી. કારણ હતું એ લોકો અમૂલ્ય એવી મચ્છલીઓનું એ વખતે ગૈર કાનૂની શિકાર કરી રહ્યા હતા અને એમને પકડાઈ જવાનો ડર લાગ્યો! એ લોકોએ 'સેમસન' બીજી જગ્યાએ લઇ ગયા.

ટાઇટેનિકની નજીક જે બીજું જહાજ હતું એનું નામ 'કેલિફોર્નિયાન' હતું. એ ટાઇટેનિકથી ૧૪ માઈલ દૂર હતું. એના  કેપટને પણ પેસેન્જરોના અવાજ સાંભળ્યા હતા. પોતાની કેબિનમાંથી બહાર નીકળી એણે પણ પેલા સફેદ અગન ગોળા જોયા હતા. પણ ટાઇટેનિક હિમશિલાઓથી ઘેરાયેલું હતું, એને હિમશીલાઓ ફરતે થઇ જવું પડ્યું હોત. એણે નક્કી કર્યું કે સવારે જઈશ અને સુવા ચાલ્યો ગયો અને સવાર થવાની રાહ જોવા લાગ્યો. એ સવારે જયારે ટાઇટેનિકના લોકેશન પર પહોંચ્યો ત્યારે એણે એના (ટાઇટેનિકના) કેપ્ટાન એડવર્ડ સ્મિથ સાથે ડૂબી ગયાને ૪ કલાક થઇ ગયા હતાં.

ત્રીજો જહાજ 'કાર્પેથિયા' ટાઇટેનિકથી ૬૮ માઈલ દૂર હતો. એના કેપટને રેડીઓ પર ટાઇટેનિકના લોકોની ચીખો સાંભળેલી. એ જહાજ બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યું હતું અને તે છતાં એના કેપટને ખરાબ હવામાન અને હિમશિલાઓની પરવાહ કર્યા વિના પોતાના જહાજને ટાઇટેનિક તરફ વાળ્યો. એ જયારે દુર્ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ટાઇટેનિકને ડુબ્યાને ૨ કલાક થઇ ગયા હતા. પણ આ એજ જહાજ હતું જેણે ટાઇટેનિકના ૭૧૦ પેસેન્જરોના જીવ બચાવેલાં.

આ ત્રીજા જહાજના કેપ્ટાન આર્થો રોસ્ટનને બ્રિટનમાં બહાદુરી માટે અનેક ઇનામો અને એવોર્ડ્સ અપાયેલાં. એમનું થેરે, ઠેર સન્માન કરાયું હતું.
ઉપરોક્ત પોસ્ટમાં ત્રણ ઉદાહરણો છે. આ ઉદાહરણો આપણા સમાજ અને દુનિયામાં બધે જોવા મળે છે.
'સેમસન'વાળા એ લોકો છે જે ડુબતાની સહાય કરી શકતા હતા પણ પોતાની સ્વાર્થ વૃત્તિ બતાવીને મદદ ના કરતાં ત્યાંથી ભાગી ગયા.

બીજા કિસ્સામાં મદદ કરવા માગતા હતા પરંતુ આળસ કરી. સમયસર સહાયતા ના કરી. રાંડ્યા પછીનું ડહાપણ નકામું.

ત્રીજા કિસ્સાના ના લોકો ખરેખર મદદગાર પુરવાર થયા. ૭૦૦ થી વધુ લોકોને બચાવ્યા.
દોસ્તો, કોરોના ના સંકટ કાળમાં આપણી આજુ બાજુ ઘણા લોકો છે જેમને આપણી સહાયતાની જરૂરત છે. તમે બધાને મદદ ના કરી શકો પણ જેટલાને કરી શકતા હોવ એટલાને કરશો.

#હિંગોળગઢ- એનો ઇતિહાસ અને જાણવાલયક વાતો

#હિંગોળગઢ
જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. તથા વીંછિયા થી ૧૦ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાકુંભાજી જાડેજાએ કોળીની વસતિને તગેડી મુકેલી જેને જસદણના ખાચર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી.

કોળી-પટેલોની વસતિ એ જમાનામાં ભારે ખેપાની ગણાતી.આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબ બાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગદોર સંભાળવા વિનંતી કરી.
સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને  સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા અને તેમણે હામ,દામ, શામ અને દંડથી અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.
પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે વાજસૂરે જસદણઅને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું.
પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૃઆત કરેલી ત્યાં જામનગરના સેનાધિપતી મેરૃ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં.
જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મૈત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથ ઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથેજસદણની ભાઇબંધી પાકી થઇ.એક અવરોધ દૂર થયો એટલે ઇ.સ. ૧૮૦૧ની સાલમાં શુભ મુર્હતે વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૃઆત કરી.

શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૃપ ગણાય છે.
સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશથી વાતો  કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર ઊંચો છે (૧૧૦૦ફૂટ) ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

આ હિંગોળગઢની શોભા ચોમાસાની ઋતુમાં ખુબ જ અનોખી હોય છે. ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે.

આ હિંગોળગઢની રચના યુદ્ધની દ્રષ્ટિએ અને વ્યુહાત્મક રીતે ઘણી ઉત્તમ છે. જાણે યુરોપની ધરતીનો નમૂનો જ જોઇ લ્યો. આ ગઢને ફક્ત પશ્ચિમે જસદણ બાજુ એક જ દરવાજો છે. દરવાજો વટાવીને અંદર પ્રવેશતાંની સાથે જ મોટો ચોક આવે છે. આ ગઢમાં વાજસૂર ખાચર વખતની જુનવાણી તોપો જોવા મળે છે.
અનાજના મોટા કોઠારો, પાણીના મોટા ટાંકાઓ વગેરે દરેક જાતની સગવડો અહીં છે. લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી ઢબે બાંધેલો છે.

કહેવાય છે કે, કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે. તેમાં એક ખીરસરાનો, બીજો જામનગરનો બરડા ધક્કામાં મોડ પરનો, ત્રીજો રાજપરાનો, ચોથોગોંડલ તાબાના અનળગઢનો અને પાંચમો ભિમોરાનો ગઢ આ બધામાં ’હિંગોળગઢ આજની તારીખમાં અડીખમ ઊભો છે.  તેની એક કાંકરી પણ ખરી નથી એવુ બાંધકામ કરવામાં આવેલું છે.

હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૃખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.

સોમવાર, 15 જૂન, 2020

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ -'કલાપી' વિશે જાણો

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ -'કલાપી' વિશે જાણો

યાદી ઝરે છે આપની ...

નામ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
કવિ નામ : કલાપી
જન્મસ્થળ : લાઠી ,,સૌરાષ્ટ્ર
 જન્મ : ૨૬ -૧ -૧૮૭૪
 દેહાવસાન : ૯ - ૬ - ૧૯૦૦
 જીવનકાળ : ફક્ત ૨૬, વર્ષ ૫, મહિના અને ૧૧ દિવસ .

 પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ : કલાપી નો કેકારવ ૧, મહાકાવ્ય , ૧૧, ખંડકાવ્ય ,, ૫૯, ગઝલો . ૧૮૮,,છંદોબદ્ધ કવિતા ઉર્મીગીતો .એ  પ્રમાણે એટલે ,,૧૫૦૦૦ કાવ્ય પંક્તિઓં નો સંગ્રહ ..માનવીય સંવેદના , પ્રણય ,,અને તત્વ જ્ઞાન ભર્યા આ કાવ્ય સંગ્રહ ની૧૯૦૩, થી આજ સુધી ,,૨૧ આવૃત્તિ પ્રગટ થઈ છે ..
ગુજરાતી સાહિત્યના ઈતિહાસ માં આ અદ્વિતીય ઘટના છે ..

ગદ્ય રચનાઓં : કાશ્મીર નો પ્રવાસ.. તત્વજ્ઞાન વિષયક નિબંધ અનેપત્નિઓ,, મિત્રો ..ગુરુજનો ..ને લખેલા ૮૦૦, થી વધુ પત્રો .ઉત્તમ પત્રસાહિત્ય જાણે કે લાગણીઓં નો ધોધ..

સર્જન કાળ : ઉપર મુજબનું વિપૂલ સર્જન માત્ર તેમણે,,૧૬,થી ૨૬..વરસની ઉંમર માં કર્યું ..

વાંચન : ગુજરાતી ,, અંગ્રેજી ,, ફારસી ,,સંસ્કૃત અને હિન્દીના વિવિધ વિષયક લગભગ , ૫૦૦.. થી વધુ પુસ્તકોનું વાંચન ..

શિક્ષણ : રાજકુમાર કોલેજ ,,રાજકોટ

લાઠીમાં રાજ્યાભિષેક: ૨૧ - ૧ - ૧૮૯૫ ના રોજ ૨૧, વર્ષની ઉમરે ..

લગ્ન :ડીસેમ્બેર ૧૮૮૯, માં પંદર વર્ષ ની ઉમરે પોતાના થી ૮, વર્ષ મોટાકચ્છ રોહા ના રાજકુમારી ,,રમાબા ..અને ૨, વર્ષ મોટા સૌરાષ્ટ્ર- કોટડા ના રાજકુમારી , આનંદીબા ..બન્ને સાથે એક જ દિવસે ખાંડા લગ્ન ..

પ્રણય : રાણી સાહેબા રમાબાની એક સમયની દાસી મોંઘીબા સાથે ૨૦, વરસની ઉમરે પ્રણય થયો ..આ મોંઘીબાનું નામ પછી કલાપીજીએ શોભાના રાખ્યું ..
તેઓ તેમના થી ૭, વરસ નાના હતા,
સ્વરૂપવાનબુદ્ધિશાળી અને મંજુલ સ્વર ધરાવતા હતા..પત્ની પ્રત્યેની ફરજ અને પ્રણય સંવેદનાનો દ્વંદ --ચાહું છું તો ચાહીશ બેય ને હું --આ પ્રણય સંબંધને કારણે જીવન માં વેદના ભર્યા સંઘર્ષોની ઘટમાળ સરજાઈ ....

પરિણામે એ સંવેદનાઓ કવિતા માં પ્રવેશી અને પ્રણય ઝંખના પ્રકૃતિ ,,પ્રેમ અને આધ્યત્મિકતાના ચિંતન સમા કાવ્યો ગુજરાતને પ્રાપ્ત થયા ..
શોભાનાબા પ્રત્યેનો તેમનો ગાઢ નૈતિકતા પૂર્ણ પ્રેમ સંબંધ આખરે તા: ૭ - ૯ -૧૮૯૮ ના રોજ પારિવારિક પારાવાર વિરોધ વચ્ચે લગ્ન માં પરિણમ્યો ...
આધ્યાત્મિક ચેતનાને લીધે તેમના વૈરાગ્ય અને ત્યાગવૃત્તિ વધતા ચાલ્યા ..
દરબારી ઠાઠમય: જીવન શુષ્ક લાગવા લાગ્યું ..
કેટલાક પોકળ સંબંધોના અનુભવને લીધે જ રાજગાદીનો ત્યાગ કરવાનો અને પંચગીની ખાતે શોભનાબા સાથે રહીને શાંતિ પૂર્ણ સાચા આત્મીય આનંદ સાથે જીવન વ્યતીત કરવાનો નિર્ધાર કલાપીએ કર્યો હતો ...પણ !!
હૃદય નો ખાલીપો ...અનુભવતા આ ઉત્કટ પ્રેમી અને સહૃદયી રાજવીનું અકાળે આકસ્મિક નિધન જાણે કે રહસ્યોની ચાદર માં લપેટાઈ ગયું ! તેમના જીવન અને કવનને જાણનારા, વાંચનારા ,,સાંભળનારા..ચાહકોના હૃદય માં કલાપી એ અમીટ; અમર છાપ છોડી છે - રાજેશ પટેલ..

ગુરુવાર, 21 મે, 2020

ગળો, અમૃતવેલ, ગીલોય, અમૃતા

ગળો, અમૃતવેલ, ગીલોય, અમૃતા
આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ‘ગળો’ની ઉત્પતિ સંબંધી એક કથા આ પ્રમાણે જોવા મળે છે. રામાયણના યુદ્ધમાં અસુરોના હાથે મૃત્યુ પામેલા વાનરોને ઈન્દ્રદેવે અમૃતવૃષ્ટિ કરી ફરીથી જીવિત કર્યા હતા. તે વખતે અમૃતના જે બિંદુઓ જમીન પર પડયા, તે સ્થાન પરથી આ ગળોની વેલ ઉત્પન્ન થઈ. આથી એને ‘અમૃતા’ નામથી પણ ઓળખવામાં આવે છે.
ગળોની વેલ થાય છે. વાવવાથી તે ગમે ત્યાં ઊગી શકે છે. આંગણામાં વાવવાથી તે ઘરની અને બગીચાની શોભા બને છે. નાનો અમથો ટૂકડો કાપીને ગમે ત્યાં રોપી દો તો એ ઊગેજ છે. એનું એક નામ 'અમૃતા' છે. અમૃત જેવા ગુણો ધરાવતી હોવાથી અને દિવસો ને મહિનાઓ સુધી સૂકાતી કે મરતી ન હોવાથી આવું નામ આપ્યું હશે. એની વેલને વચ્ચેથી કાપી નાખો તો પણ મૂળ વિનાનો ઉપરનો ભાગ મહિનાઓ સુધી લીલો રહી શકે છે. એ ઝડપથી વધે છે. અને આથી એ એક પ્રાણવાન ઔષધિ છે. કાપીને ગમે ત્યાં ફેંકી દો ને જો જમીન સારી હોય કે પાણી મળવા લાગે તો એ મહિનાઓ પછી પણ ઊગી નીકળે છે. આથી જ એનું એક બીજું નામ 'છિન્ન રુહાક' છે. કાપવા છતાં ફરીફરીને ઊગી શકે એટલે ''છિન્ન રુહા.''

લીમડાની ગળો ઉત્તમ ગણાય છે. આપણા દેશમાં લીમડાના અસંખ્ય ઝાડ છે. પ્રત્યેક ઝાડના થડ નજીક ગળો વાવી દેવામાં આવે અને એનો જો છૂટથી ઉપયોગ થાય તો મેલેરિયા નાબૂદીની ઝૂંબેશ ચલાવવી જ ના પડે !
ગામડે ગામડે, જાહેર બગીચામાં, લીમડાના ઝાડ નજીક અને પ્રત્યેક ઘરના આંગણામાં ગળો જેવી ઔષધિ વાવીને આપણે આરોગ્યક્ષેત્રે ઘણી મોટી ક્રાન્તિ લાવી શકીએ એમ છીએ.

આવતા ચોમાસામાં ઠેર ઠેર માત્ર ગળો વાવી દેવામાં આવે. લીમડાના પ્રત્યેક ઝાડ નીચે આ વેલો વાવી લીમડા પર ચડાવી દેવામાં આવે તો સરળતાથી એ ઉછરી જાય છે અને આખા પરિવાર માટે, સમાજ માટે અને નીરોગી રહેવા ઈચ્છતા દરેક લોકો માટે એ આશીર્વાદ સમાન સાબિત થઈ શકે તેમ છે.

જંગલોમાં,ખેતરોના શેઢા પર,ગામડાનાં પાદરમાં ખરાબામાં અને શહેરોના બાગ-બગીચાના વૃક્ષો ઉપર ઘાંસના થુમડા સ્વરૂપે જોવા મળે છે. ગળો ઉત્તમ જડીબુટ્ટી છે.સૃષ્ટિમાં સહેલાઇથી મળી આવતી ગળો અખૂટ સંપતિ છે. વર્ષોથી વનસ્પતિઓનાં મૂળ,થડ,પાન,ફૂલ અને બીજ એ પંચાગનો જુદા જુદા રોગો પર પ્રયોગ કરાયા બાદ ઋષિઓ દ્વારા તેના સૂક્ષ્મ ગુણો શોધી કઢાયા હતા.અતિ મહત્વની ગણાતી ઔષધિ ગળો સર્વ રોગોમાં ઘણી ઉપયોગી છે.સંસ્કૃતમાં તેનું નામ અમૃતા છે.

તેને ગીલોય પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારની લતા/વેલ છે, તેના પાંદડા નાગરવેલના પાન જેવા હોય છે. ગળોનો વેલો થાય છે.તેના વેલા બીજાં મોટાં ઝાડ અને ખેતરોની વાડ ઉપર ચઢે છે.કેટલાક ઠેકાણે એ ખડકના આધારે ચઢે છે.ગળો વર્ષાયુ છોડ છે.તેના વેલાનો ટુકડો કાપીને વરસાદના સમયે રોપવાથી ઉગી જાય છે.તેના કુમળા વેલાની છાલ કોમળ હોય છે. ગળોના વેલા એક સરખા હોતા નથી.તેને એક બાજુએ કાતરીઓ જેવી ગાંઠ હોય છે.તેના વેલાને આંતરે એક-એક પાન આવેલા હોય છે.પાનનો આકાર પીપળાના પાન જેવો તેના મૂળ જાડાં અને કંદ જેવા હોય છે.ગળોના વેલાને નવા કુમળા અંકુરો ફૂટવા લાગે ત્યારે ખેડૂતો વર્ષાના આગમનની આગાહી કરે છે.ગામડાંઓમાં આજે પણ ગળોના ટૂકડા કરી દૂઝણાં ઢોરોને ખાણ તરીકે ઉપયોગ કરે છે.

ગળોના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત, કફ અને પિત્ત નાશક હોય છે. ગળો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદ કરે છે. તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરને સ્વાસ્થ્ય સંબંધિત લાભ થાય છે. ગળોને ગરીબના ઘરની ડોક્ટર કહેવામાં આવે છે. કેમ કે તે ગામડાઓમાં સરળતાથી મળી આવે છે. ગળોમાં કુદરતી રીતે જ શરીરના દોષને સંતુલિત કરવાની શક્તિ હોય છે.

ગળો ખુબ ઝડપથી મોટી થતી વેલ છે. ગળોની વેલ જીવનશક્તિથી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે, તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે.
ગળોની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા(ચરબી) અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.

ગળો એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીક ઔષધી છે. ગળોના પાનની સાથે એની ડાળીઓનો પણ વિવિધ ઔષધિઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
घृतेन वातं सगुडा विबंधं पित्तं सीताढ्यां मधुना कफे च |
वातास्रमुग्रं रूबुतेलमिश्रा शूंठयामवातं शमयेत् गुडूचि ||

એટલે કે ગળો-ગુડુચી ગોળ સાથે લેવાથી કબજીયાત, ઘી સાથે લેવાથી વાયુ, સાકર સાથે લેવાથી પીત્ત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લેવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી શ્લીપદ-હાથીપગું મટાડે છે. ગળોના સેવનથી રીબાઈ રીબાઈને મરવાનું બનતું નથી.

રાસાયણિક દ્રષ્ટિએ ગળોમાં બર્બેરિન સહિત અન્ય ક્ષારો, ગિલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, એક ઉડનશીલ તેલ તથા વસામ્લ જેવાં તત્ત્વો રહેલાં છે. આ તત્ત્વોને તેના ઔષધિય ગુણો માટે જવાબદાર ગણી શકાય.
 
લીમડા,બાવળ કે આંબા પર ચઢેલી ગળો વધારે ગુણકારી માનવામાં આવે છે.તેમાંય લીમડા પરની ગળો સર્વશ્રેષ્ઠ ઔષધિ ગણાય છે. ગળોમાંથી છ રસો ઉત્પન્ન થાય છે.કડવો,તૂરો,તીખો અને મધુર રસનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તીખો,કડવો અને તૂરો રસ કફદોષને મટાડે છે તેમજ મધુર રસ વાયુનું શમન કરે છે.ગળોનો મુખ્ય ગુણ વાત,પિત્ત અને કફના દોષોને શાંત પાડવાનો છે.બીજો ખાસ ગુણ જવરઘ્ર છે.ઘી,ગોળ સાથે સેવન કરવાથી વાયુનું અને બંધકોષનું શમન થાય છે.એરંડીયાના તેલ સાથે સેવન કરવાથી વાતરક્તનું અને સૂંઠ સાથે સેવન કરવાથી આમવાયુનું શમન થાય છે.

ગળાનાં પાનને તેલમાં વાટીને માથા પર ચોપડવાથી શરદીથી દુખતું માથુ મટે છે.તેના પાનને મધમાં વાટીને ગૂમડા પર ચોપડવાથી ગૂમડા મટે છે.આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે તેથી એ પાંચ તત્વો પૂરા પાડનાર વનસ્પતિ ગણવામાં આવે છે.

આસપાસના ઝાડ પર ચઢનારી ગળોની વેલ ભારતમાં સર્વત્ર થાય છે. કેટલીક જગ્યાએ તે ખડકોના આશ્રયે પણ થાય છે. જેને ‘ખડકી ગળો’ કહે છે. કડવા લીમડા પર ચઢેલી ગળો સર્વોત્કૃષ્ઠ ગણાય છે. વિષાક્ત વૃક્ષો પર ચઢેલી ગળોનો ઔષધ તરીકે ઉપયોગ ન કરવો. આયુર્વેદિય મતે ગળો સ્વાદમાં તૂરી, કડવી અને તીખી, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે છે.

કોઈપણ પ્રકારના તાવમાં પિત્તની વૃદ્ધિ અને જઠરાગ્નિનની મંદતા જરૂરથી હોય છે. ગળો કડવી હોવાથી પરમ પિત્તશામક છે. તે અગ્નિ પ્રદીપક પણ છે. એટલે ગમે તે કારણથી આવેલા તાવનું તે ઉત્તમ ઘરગથ્થુ ષધ છે. લીલી ગળોનો ચારેક ચમચી જેટલો રસ કાઢી તેમાં એક ચમચી તુલસીનો રસ મિશ્ર કરી સવાર-સાંજ લેવો. બે-ત્રણ દિવસમાં જ તાવમાં રાહત જણાશે. ધીમેધીમે ભૂખ પણ ઉઘડશે.

મર્હિષ ચરકે ધાવણની શુદ્ધિ કરનારા દસ શ્રેષ્ઠ ઔષધોમાં ગળોનો સમાવેશ કર્યો છે. માતાનું ધાવણ જો કફથી દૂષિત થયું હોય તો બાળકને તે પચવામાં ભારે પડે છે, બાળકને ઊલટીઓ થાય છે, મુખમાંથી લાળ પડયા કરે છે, તેમજ બાળક સુસ્ત અને નિદ્રાળુ થઈ જાય છે. ધાવણની શુદ્ધિ માટે માતાએ પચવામાં હલકો ખોરાક લેવો. તેમજ ગળો, સૂંઠ, હરડે, બહેડા અને આમળા સરખા વજને લઈ તેનો અધકચરો ભૂક્કો કરી, બે ચમચી જેટલા આ ભૂક્કાનો ઉકાળો કરી સવાર-સાંજ પીવો. ચાર-પાંચ દિવસમાં જ ધાવણ શુદ્ધ થતા બાળક સ્વસ્થ થઈ જશે.
ગળો આયુર્વેદ પ્રમાણે યોગવાહી ઔષધ છે. (એટલે કે બીજા ઔષધ સાથે મિશ્ર કરતા એના અને પોતાના એમ બંનેના ગુણોનું વહન કરે છે.) જેમ કે ઘી સાથે ગળો લેવાથી વાયુના રોગ, ગોળ સાથે લેવાથી મળાવરોધ-કબજિયાત, સાકર સાથે લેવાથી પિત્તના રોગો, મધ સાથે કફના રોગો, એરંડિયા-દિવેલ સાથે વાતરક્ત (ગાઉટ) રોગ તથા સૂંઠ સાથે લેવાતી તે આમવાત-રૂમેટોઈડ અર્થાઈટીસ મટાડે છે.

ગળોના ટૂકડા કરી, છૂદીને પલાળી રાખવાથી એમાંથી ઘાટો, ઠંડો અને અમૃત જેવા ગુણવાળો રસ નીકળશે. સવાર સાંજ આ રસ પીવાથી તાવ, મેલેરિયા, તરસ, દાહ, કમળો, કોઢ, ચામડીના રોગો, લેપ્રસી-વાતરક્ત, પ્રમેહ અને કૃમિ જેવા અનેક રોગો મટી શકે છે.

ગળોને આયુર્વેદના ઋષિઓએ ત્રિદોષ શામક કહી છે. વાયુ, પિત્ત અને કફ એ ત્રણેય દોષનું જે શમન કરે તે ત્રિદોષ શામક. એના આ ગુણના કારણે જ કદાચ કોઈ પણ પ્રકૃતિના માણસને એ અનુકૂળ આવે છે. પચવામાં તે હળવી અને પાચન શક્તિને સુધારનારી છે. 

રસાયન હોવાથી તે ધાતુ પરિપોષણ ક્રમને વ્યવસ્થિત કરી શરીરને તંદુરસ્ત અને યુવાન રાખવામાં મદદ કરે છે. એના નિયમિત સેવનથી વૃદ્ધાવસ્થા જલદીથી આવતી નથી. ગળો, ગોખરુ અને આમળાના સમભાગ સંયોજનથી 'રસાયન ચૂર્ણ' નામની એક દવા બને છે, જેના નિયમિત સેવનથી લાંબા સમય સુધી નીરોગી જીવન જીવી શકાય છે.

ગળોના ધનમાં અતિવિષ, ઇન્દ્રજવ, લીંડીપીપર, મંડૂરભસ્મ અને સિંધાલૂણ મેળવીને સંશમની વટીનામની દવા બને છે જે બાળકો અને વૃદ્ધોના અનેક રોગોમાં ઉપયોગી છે.

ગળોને બળ તથા વીર્યની વૃદ્ધિ કરનાર પણ કહી છે. હૃદય માટે પણ તે હિતકર છે. સંગ્રાહી હોવાથી ઝાડા, પ્રદર, પ્રમેહ, શરદી, રક્તપિત્ત અને ઊલટી જેવા રોગોમાં પણ ઉપયોગી છે. ગળોના રસમાં કે ઉકાળામાં દિવેલ મેળવીને પીવાથી વાતરક્ત એટલે કે લેપ્રસી રોગ કાબૂમાં આવી મટી શકે છે.

ગળોના હીમને મધ સાથે આપવાથી ગમે તેવી ઊલટી હોય તો પણ તે કાબૂમાં આવી જાય છે.
ગળોમાંથી ગળોસત્ત્વ, અમૃતારિષ્ટ, અમૃતા ગૂગળ, સંશમની વટી, રસાયન ચૂર્ણ અને ગુડુચ્યાદિ કવાથ જેવા અનેક ઔષધો બને છે.

ગળો, ગોખરું અને આમળાના સમભાગે બનાવેલા ચૂર્ણને રસાયન ચૂર્ણ કહે છે. વૈદ્યોનું તે ખૂબ જ પ્રિય ઔષધ છે. રસાયન ચૂર્ણ પિત્તના રોગોમાં અકસીર છે. આંખ, છાતી, હાથ-પગના તળીયા કે મૂત્ર ત્યાગ વખતે દાહ-બળતરા થતી હોય તેમાં તથા અમ્લપિત્ત-એસિડિટીમાં એક ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ લઈ, ઉપર ગાયનું દૂધ પીવું. આ સરળ ઉપચારનું લાંબા સમય સુધી પાલન કરવાથી ઉત્તમ લાભ થાય છે.

રસાયન ચૂર્ણની જેમ સંશમની વટી, અમૃતા ક્વાથ, અમૃતા ગુગળ, ગુડુચ્યાદિ વટી, ગુડુચી ઘૃત વગેરેમાં ગળો મુખ્ય ઔષધ રૂપમાં વપરાય છે. આ ઔષધો જુદા જુદા અનેક રોગોમાં ઉપયોગી છે. (સંશમની એટલે જે વધેલા દોષોને ઓછા કરે અને ઓછા હોય તો સમાન કરે.)

એનાં પાન મધુર હોય છે. આથી એનાં પાનનું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે, જે તાવમાં ઉત્તમ છે. ગળો તીખી, કડવી, પચી ગયા પછી મધુર, રસાયન, મળને રોકનાર, તુરી, ઉષ્ણ, પચવામાં હલકી, બળ આપનાર, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, ત્રીદોષઘ્ન (કડવા રસથી પીત્ત અને કફને મટાડે છે. ઉષ્ણ હોવાથી વાયુને હણે છે. પચી ગયા પછી મધુર રસથી વાજીકર-રસાયન છે.) તથા આમ, તરસ, બળતરા, પ્રમેહ, કોઢ, ઉધરસ, રક્તાલ્પતા-પાંડુ, કમળો, કુષ્ઠ, વાતરક્ત, કૃમી, જ્વર, ઉલટી, ઉબકા, દમ, હરસ, મુત્રકષ્ટ અને હૃદયરોગને મટાડનાર છે.

ગળોનો રસ ત્રણ ચમચી અને ગળોનું ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. કોઈ પણ વૃક્ષ પર ચડેલી ગળો ઔષધમાં વાપરી શકાય, પરંતુ લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. લીમડા, બાવળ કે આંબા પર ચડેલી ગળોની વેલ વધારે ગુણકારી ગણાય છે, તેમાં પણ લીમડા  પરની શ્રેષ્ઠ. તાજી લીલી ગળો મળે તો તેનો ઉપયોગ કરવો, નહીંતર સુકી ગળોનું ચુર્ણ વાપરી શકાય. ગળોના વેલા પર કાગળ જેવી પાતળી છાલ હોય છે, જે દુર કરવાથી અંદર લીલીછમ માંસલ ગળો જોવા મળે છે. એના નાના નાના ટુકડા કરી છાંયડે સુકવવાથી સુંદર લીલાશ પડતું બારીક ચુર્ણ તૈયાર થઈ શકે. ઔષધોમાં આવું તાજું ચુર્ણ જ વાપરવું જોઈએ.
ગળોનું ચુર્ણ એક ચમચી અને રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ લઈ શકાય.

(૧) ગળો, ધાણા, લીમડાની અંતરછાલ અને રતાંજળી(રક્તચંદન)નો ઉકાળો સવાર-સાંજ પીવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે.
(૨) ગળોનો રસ સાકર નાખી પીવાથી અમ્લપીત્ત તરત જ મટે છે અને પીત્તથી થતી ઉલટી તત્કાળ શાંત થાય છે.
(૩) ગળોના બે ચમચી રસમાં બે ચમચી મધ નાખી પીવાથી ત્રણે દોષોથી થતી ઉલટી મટે છે.
(૪) ગળોનો રસ અથવા ગળોનો ઉકાળો અડધો કપ સવાર-સાંજ પીવાથી અને માત્ર મગના સુપ અને ભાત પર રહેવાથી કોઢમાં એકદમ ફાયદો થાય છે.
(૫) ગળોના રસમાં મધ અથવા સાકર નાખી પીવાથી કમળો જલદી મટે છે.
(૬) ગળો અને ત્રીફળાના ઉકાળામાં મધ અને પીપરનું ચુર્ણ નાખી સવાર-સાંજ પીવાથી સર્વ પ્રકારના નેત્રરોગ મટે છે. (ઉકાળો ઠંડો થયા પછી એમાં મધ નાખવું.)
(૭) ગળોનું વસ્ત્રગાળ બારીક ચુર્ણ ૧ કીલો અને ગોળ, મધ અને ઘી દરેક ૧૬૦ ગ્રામ મેળવી ચાટણ બનાવવું. એકથી બે ચમચી આ ચાટણ સવાર-સાંજ લેવાથી કોઈ રોગ થતો નથી, ઘડપણ આવતું નથી કે વાળ ધોળા થતા નથી.
(૮) ઠંડા પાણીમાં ગળોનો કંદ ઘસી અરીઠા સાથે પીવડાવવાથી સાપનું ઝેર ઉતરે છે.
(૯) ગળો અને સૂંઠનો કાઢો-ઉકાળો પીવાથી આમવાત મટે છે.
(૧૦) ગળોના કલ્કમાં મધ નાખી ખાવાથી કફ મટે છે.
(૧૧) ગળોના રસમાં મધ નાખી ચાટવાથી મુત્રકૃચ્છ (ટીપે ટીપે પેશાબ થવો) મટે છે.
(૧૨) ગળો અને ગુગળને એરંડાનાં પાંદડાના રસમાં ઘસી પેટ ઉપર લેપ કરવાથી કૃમી મટે છે.
જીર્ણ જ્વર ઉપર: (૧૩) ગળોના ઉકાળામાં લીંડીપીપરનું ચુર્ણ નાંખી પીવાથી જીર્ણ જ્વર મટે છે.
(૧૪) ગળો, આમળાં અને નાગરમોથનો ઉકાળો પીવાથી  કોઇપણ તાવ મટે છે.
(૧૫) ગળોનો રસ જીરુ અને સાકર સાથે લેવાથી હૃદયરોગમાં લાભ થાય છે.
(૧૬) ગળોનો રસ ઘી સાથે લેવાથી વાયુ મટે છે.
(૧૭) શક્તિ માટે ગળોનો રસ  ડાંગરની ધાણી-મમરા સાથે લેવો.
(૧૮) અરૂચી દુર કરવા દાડમ સાથે ગળોનો રસ લેવો.

મધર ડે શાયરી | #MotherDayStatus | #MotherDaySpacial | મધર ડે વિશે જાણો

‘મધર ડે’ કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ન ચૂકવી શકાય. માનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે. આપણે આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર એ માતા પ્રત્યે સમ્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી પરંતુ મધર્સ ડેના દિવસે આપણે આપણી લાગણીઓને રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે. આ જ કારણે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 12 મે ના રોજ છે. માને સમ્માન આપનાર આ દિવસને કેટલાક દેશોમાં જૂદી જૂદી તારીખે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ભારત સહિત મોટાભાગના દેશોમાં મે મહિનાના બીજા રવિવારને જ મધર્સ ડે તરીકે ઉજવાય છે. મધર્સ ડેના દિવસે લોકો તેમની માતા પ્રત્યે અલગ અલગ રીતે લાગણીઓ રજૂ કરતાં હોય છે.

કેવી રીતે થઈ મધર્સ ડેની શરુઆત?
તમને જણાવી દઈએ કે, માતાને સમ્માન આપનાર આ દિવસની શરુઆત અમેરિકાથી થઈ. અમેરિકન એક્ટિવિસ્ટ ‘એના જાર્વિસ’ તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતી હતી. એના એ તેમના જીવનમાં ન તો કદી લગ્ન કર્યા કે ન તો કોઈ બાળકને જન્મ આપ્યો. માતાના મૃત્યુ પછી તેમના પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે તેમણે મધર્સ ડેની શરુઆત કરી. ત્યાર બાદ ધીમે ધીમે ઘણા દેશોમાં મધર્સ ડેની ઉજવણી શરુ થઈ.
        
મે મહિનાના બીજા રવિવારે જ શા માટે થઈ પસંદગી?
9 મે 1914ના રોજ અમેરિકન પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સનને એક કાયદો પસાર કર્યો જેમાં લખ્યું હતું કે, દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ મધર્સ ડે અમેરિકા, ભારત સહિતના કેટલાક દેશોમાં મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે.
                       
આમ તો માતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા અને ગિફ્ટ આપવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી હોતી, તેમ છતાં પણ મધર્સ ડેના દિવસે માતાને વિશેષ સમ્માન આપવામાં આવે છે. માતાને ગિફ્ટ, મીઠાઈ અને ખૂબ જ પ્રેમ પીરસવામાં આવે છે.
         

તું ફક્ત આજે મધર ડે ઉજવીશ
પછી બીજા other dayનું શું કરીશ?
કાયમ રવિવાર આવતો
પણ તું ન આવતો
આ વખત મેળ નહી પડે એવું બહાનું બતાવતો
હવે આ રવિવારને ઉજવીને શું કરીશ ?
તું લઘરવઘર ન ફરે ત્યારે તારું માથું ઓળી આપતી
તું ભૂખો ન રહે એટલે વહેલી વહેલી રાંધતી
તું શાંતિથી નિંદર માણે એટલે રાતભર જાગતી
છતાં કશું જ નથી હું માગતી
અને તું પણ કશું જ ન આપતો
પણ મારા જેવી કોઈ સ્ત્રી મા જરૂર શોધજે
એને પણ માન આપજે
મારા માતૃત્વની લાજ રાખજે
અરે માતાનું ઋણ તો પરમાત્મા પણ નથી ચૂકવી શક્યા
તો એમાં તારી ને મારી શી વિસાત ?
|| માતાને કોટી કોટી વંદન ||

માતાનો દિવસ દરેક બાળક અને વિદ્યાર્થી માટે વર્ષ ખૂબ યાદગાર અને ખુશીનો દિવસ છે
મધર ડે ભારતના તમામ માતાઓ માટે સમર્પિત વર્ષ એક ખાસ દિવસ છે. મેના બીજા રવિવારે મધર ડે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષ 2018 માં, તે પૂર્ણ આનંદ સાથે 12 મે (બીજા રવિવારે) પર ઉજવણી કરવામાં આવશે. આ દિવસે બાળકો ખૂબ ખુશ છે અને તેમની માતાને સ્કૂલ કે ધરમાં સન્માન આપવા માટે તેમને સન્માનિત કરતા હોય છે.

માતા અને માતાની સન્માન માટે દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. તે દર મે બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે, માતાને ખાસ કરીને તેના બાળકોની શાળાઓમાં આમંત્રણ આપવામાં આવે છે. ઘણા કાર્યક્રમો સાથે, શિક્ષકો મધર્સ ડે માટે ઘણું તૈયાર કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ હિન્દી અને અંગ્રેજીમાં કવિતાઓ તૈયાર કરે છે, નિબંધ લેખન, હિન્દી અને અંગ્રેજી ભાષણની કેટલીક રેખાઓ, પ્રવચન વગેરે. આ દિવસે માતા તેમનાં બાળકોની શાળામાં જાય છે અને આ ઉજવણીમાં સામેલ છે.

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માતાઓનું સ્વાગત કરવા માટે વર્ગખંડોને શણગારે છે. આ વિવિધ દેશોમાં વિવિધ દિવસોમાં અને દિવસો પર ઉજવવામાં આવે છે, જોકે ભારતમાં તે બીજા રવિવારના રોજ ઉજવવામાં આવે છે. બાળકો તેમની માતાને ખાસ કાર્ડ (ખાસ કરીને બાળકો દ્વારા બનાવવામાં આવે છે) માટે યોગ્ય સમયે તેમના શાળામાં આવવા માટે આમંત્રિત કરે છે, અને બાળકો અનપેક્ષિત ભેટ આપીને તેમની માતાને આશ્ચર્ય આપે છે. માતાના શુભેચ્છા કાર્ડ્સ, ખાસ કાર્ડ્સ અને તેમના બાળકો દ્વારા અન્ય ખાસ ભેટો મેળવે છે. આ દિવસે, પરિવારના સભ્યો બહાર જાય છે અને આનંદપ્રદ વાનગીઓ લે છે અને તેમની ખુશી ઉજવે છે. માતા પણ તેના પ્રિય બાળકોને ઘણો પ્રેમ અને ભેટો આપે છે અને તેની સંભાળ રાખે છે.

માતા તેના બાળકોની પસંદગી મુજબ મેક્રોન્સ, ચોઇમિન્સ, મીઠાઈઓ, બિસ્કિટ વગેરે જેવા વિશિષ્ટ વાનગીઓ બનાવે છે. આ દિવસે સંપૂર્ણ આનંદ સાથે ઉજવણી, માતા અને બાળક બંને નૃત્ય, ગાયક, વાણી વગેરે જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. મધર ડે જેવા કે ગાયન, નૃત્ય, વાણી, કવિતા વ્યાખ્યાન, નિબંધ લેખન અને મૌખિક વાતચીત વગેરે કાર્યક્રમોમાં બાળકો ભાગ લે છે. તહેવારના સમાપન સમયે માતાઓ દ્વારા ખાસ રશોઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બનાવવામાં આવે છે. બધા તેને એકસાથે ખાય છે અને તેનો આનંદ માણે છે.

માં એટલે દુનિયાનો સૌથી મધુર શબ્દ, ઈશ્વર ખુદને પણ જન્મ લેવા માટે માં ની જરૂર પડે છે આ મધર ડે તમે પણ કરો કઈક અલગ જેથી તમારા માતાને પણ વધુ સુખની અનુભૂતિ થાય, આ મધર ડે તમારા મમ્મીને આપો સ્પેશિયલ ગીફ્ટ જેથી મધર ડે નો સાચો અર્થ સાર્થક થાય.

તમારા માતાએ તમારી દેખરેખ સારી થાય તે માટે નોકરી છોડી દીધી હશે તો તેને પાછો ઉત્સાહ વધારીને નોકરી કરવામાં મદદ કરવી જોઈએ.

માતાએ બાળકોને મોટા કરવા માટે બહુજ સંધષ કર્યો હોય છે માટે તેની વધતી ઉમર સાથે તેને મદદ થાય તેવા ઉપકરણોને ધરમાં લઈને મદદ કરવી જોઈએ.

માતાનું ઋણ ચુકવવુંએ અશક્ય છે પરતું આ દિવસને યાદગાર બનવવા માટે તમે તમારા માતા ગમતા અને પ્રિય સ્થળે લઈ જાય શકાય છે અને વધુ માં તેમના ગમતા રેસ્ટોરન્ટમાં જમવા માટે અથવા એક દિવસ માતા બધાય કામ રજા આપીને આરામ આપવો જોઈએ.

માતા માટે જેટલું કરીએ એટલું ઓછુ છે પરતું માં ને તેમના માવતરામાં પણ આ દિવસે લય જાય શકાય જેથી તેમની જૂની યાદો અને માતા તથા તેમની જૂની બહેનપણીને મલાવીને પણ આ દિવસની ઉજવણી કરી શકાય છે.

બુધવાર, 6 મે, 2020

દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ

દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ
 #બુદ્ધ પૂર્ણિમા સ્ટેટ્સ #બુદ્ધ પૂર્ણિમા 2020 #ગૌતમ બુદ્ધા #હેપ્પી બુદ્ધ પૂર્ણિમા #Dilu Diary

વૈશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે. વિશ્વભરમાં બૌદ્ધધર્મને અનુસરનારા લોકો આજે બુદ્ધ ભગવાનની વિશેષ આરાધનામાં જોડાશે.
                   
બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે.  આજે 2560મી બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
                                
બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. આથી સૌરાષ્ટ્ર પ્રદેશ બુદ્ધનાં ઉપદેશોથી સુપેરે પરિચિત છે. ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે.
                        
ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્યા વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાં નહીં
 #બુદ્ધ પૂર્ણિમા સ્ટેટ્સ #બુદ્ધ પૂર્ણિમા 2020 #ગૌતમ બુદ્ધા #હેપ્પી બુદ્ધ પૂર્ણિમા #Dilu Diary
                  
ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહીનો પવિત્ર માસ મનાય છે. વૈશાખ શુક્લ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા અને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધની જયંતી અને નિર્વાણ દિવસ ખુબ જ ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે.

સુખી જીવન માટે બુદ્ધના ચાર સૂત્ર
વૈશાખ પૂર્ણિમાને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલી ત્રણ અહમ વાતો-બુદ્ધનો જન્મ, બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ અને બુદ્ધના નિર્વાણના કારણે પણ વિશેષ તિથિ પણ માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધે ચાર સૂત્ર આપ્યા છે જેને 'ચાર આર્ય સત્ય'ના નામે ઓળખવામાં આવે છે. પહેલું દુ:ખ છે, બીજુ દુ:ખનું કારણ, ત્રીજુ દુ:ખનું નિદાન અને ચોથું માર્ગ એ છે જેનાથી દુ:ખનું નિવારણ થાય છે. ભગવાન બુદ્ધના અષ્ટાંગ માર્ગ એ માધ્યમ છે, જે દુ:ખના નિદાનનો માર્ગ બતાવે છે. તેમનો આ અષ્ટાગિંક માર્ગ જ્ઞાન, સંકલ્પ, વચન, કર્મ, આજીવ, વ્યાયામ, સ્મૃતિ અને સમાધિના સંદર્ભમાં સમ્યકતાથી સાક્ષાત્કાર કરાવે છે. 

ભગવાન બુદ્ધે બતાવ્યું દુ:ખનું કારણ
ગૌતમ બુદ્ધે મનુષ્યોના ઘણા દુ:ખોનું કારણ તેમના સ્વંયના અજ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિને બતાવ્યા છે. મહાત્મા બુદ્ધે પહેલીવાર સારનાથમાં પ્રવચન આપ્યું હતું. તેમનો પ્રથમ ઉપદેશ 'ધર્મચક્રપ્રવર્તન' નામથી જાણવામાં આવે છે, જે એમણે અષાઢ પૂર્ણિમાના દિવસે પાંચ ભિક્ષુઓને આપ્યો હતો.

ભેદભાવ વગર તમામ વર્ગના લોકોએ મહાત્મા બુદ્ધની શરણ લીધી અને તેમના ઉપદેશોનું અનુસરણ કર્યું. કેટલાક દિવસોમાં પૂર્ણ ભારતમાં 'બુદ્ધ શરણ ગચ્છામિ, ધમ્મ શરણ ગચ્છામિ, સંઘ શરણમ્ ગચ્છામિ' નો જયઘોષ ગૂંજવા લાગ્યો. તેમણે કહ્યું કે માત્ર માંસ ખાનર અપવિત્ર નથી હોતો પરંતુ ક્રોધ, વ્યભિચાર, છળ, કપટ, ઇર્ષા અને બીજાની નિંદા પણ માણસને અપવિત્ર બનાવે છે. મનની શુદ્ધતા માટે પવિત્ર જીવન વિતાવવું જરૂરી છે.

મહાનિર્વાણ
ભગવાન બુદ્ધનો ધર્મ પ્રચાર 40 વર્ષો સુધી રહ્યો. અંતમાં ઉત્તરપ્રદેશના કુશીનગરમાં પાવાપુરી નામક સ્થાન પર 80 વર્ષની અવસ્થામાં ઇ.પૂ. 483 માં વૈશાખની પૂર્ણિમાના દિવસે મહાનિર્વાણ પ્રાપ્ત થયો.


કુશીનગરમાં લાગે છે વિશલા મેળો
બુદ્ધ પૂર્ણિમાના પર્વ પર કુશીનગરના મહાપરિનિર્વાણ મંદિરમાં એક મહીના સુધી ચાલનારા વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમા દેશ-વિદેશથી લાખો લોકો મેળામાં સામેલ થાય છે. ત્યારે આજના જ દિવસે બોધગયામાં જે બોધિવૃક્ષ (પીપળાનું વૃક્ષ) નીચે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તી થઇ હતી આ વૃક્ષના મૂળમાં દૂધ અને સુંગધિત પાણીનું સિંચન કરી પૂજા કરવામાં આવે છે.

વિદેશોમાં પણ ઉજવાય છે બુદ્ધ પૂર્ણિમા
બુદ્ધ પૂર્ણિમા ભારત ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. શ્રીલંકા, કંબોડિયા, વિયેતનામ, ચીન, નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, મ્યાન્માર, ઇન્ડોનેશિયા જેવા દેશ સામેલ છે. શ્રીલંકામાં આ દિવસને 'વેસાક' નામથી ઉજવવામાં આવે છે. જે નિશ્ચિત રૂપે વૈશાખનું અપભ્રંશ છે. આ દિવસે બૌદ્ધ અનૂયાયીઓ બૌદ્ધ વિહાર, અને મઠોમાં ભેગા થઇને એક સાથે ઉપાસના કરે છે. દીપ પ્રજવલિત કરી બુદ્ધની શિક્ષાઓનું અનુસરણ કરવાનો સંકલ્પ લેવામાં આવે છે.

ભગવાન બુદ્ધના એવો પ્રસંગો, જેમા દર્શાવામાં આવ્યું છે કે, બધા લોકોના વિચારો અને સમજની ક્ષમતાઓ અલગ-અલગ હોય છે. બધાના દિમાગ અલગ હોય છે. એટલા માટે એક જ વાત બધા લોકો માટે પોત-પોતાના મતે સમજે છે.

ભગવાન બુદ્ધ દરેક વાતને ત્રણ વખત સમજાવે છે. એક દિવસ આનંદે ભગવાન બુદ્ધને પૂછ્યું કે, તમે એક જ વાતને ત્રણ વખત કેમ સમજાવો છો? બુદ્ધે કહ્યું કે આજના પ્રવચનમાં સંન્યાસીઓની સાથે એક વેશ્યા અને ચોર પણ હતા. કાલે સવારે તમે ત્રણેય સંન્યાસી, વેશ્યા અને ચોરને પૂછજો કે કાલે સભામાં ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલું છેલ્લા પ્રવચનમાં તમે શું સમજ્યા?

આગળના દિવસની સવારે આનંદે જે પહેલા નજર આવ્યું તેને પૂછ્યું કે, કાલે રાતે તથાગત દ્વારા છેલ્લા પ્રવચનમાં કહ્યું હતું કે, પોત-પોતાનું કામ કરો. આ શબ્દોમાં તમે શુ સમજ્યાં? સંન્યાસીએ કહ્યું કે, આપણુ જે દૈનિક કર્મ છે ધ્યાન કરવાનું. આપણે ધ્યાન જ કરવું જોઈએ. આનંદને આવાજ જવાબની અપેક્ષા હતી. હવે તે નગર તરફ ચાલવાં લાગે છે.

આનંદ હવે ચોરના ઘરે પહોંચે છે, જે ભગવાન બુદ્ધના પ્રવચનમાં આવ્યો હતો. ચોરને આનંદએ તેજ પ્રશ્ન પૂછ્યો તો, ચોરે જવાબ આપતા કહ્યું કે મારૂ કામ ચોરી કરવાનું છે. કાલે રાતે મે એટલી મોટી ચોરી કરી કે, મારે હવે ચોરી કરવાની જરૂર નહી પડે. આનંદ સ્તબ્ધ થઈ જાય છે અને ત્યાંથી તે વેશ્યાના ઘરે જાય છે.

વેશ્યાના ઘરે પહોંચીને આનંદે ફરી પાછો તે પ્રશ્ન પૂછ્યો. વેશ્યાએ જવાબ આપતા કહ્યું કે, મારૂ કામ નાચવા-ગાવાનું છે. કાલે મે એ કામ કર્યું હતું. આનંદ આશ્ચર્યચકિત થઈને ત્યાંથી જાતો રહે છે અને ભગવાન બુદ્ધને પૂર્ણ વાત કહે છે.

ભગવાન બુદ્ધ કહે છે કે, આ સંસારમાં જેટલા પણ પ્રાણી છે તેટલા જ દિમાગો છે. વાત તો એક જ હતી, પરંતુ દરેક મનુષ્ય પોતાની સમજના હિસાબે તેમનો અર્થ કાઢે છે. તેનો કોઈ ઉપાય નથી આખી સૃષ્ટી આવી છે.


ગૌતમ બુદ્ધના ઉપદેશો
ગૌતમ બુદ્ધના ઉપદેશોને જો કોઈ પોતાના જીવનમાં અમલ કરે તો તે ધરતી પર પણ સ્વર્ગનો અનુભવ કરી શકે છે. બૌદ્ધ ધર્મે દુનિયાભરને શાંતિ અને પ્રેમનો સંદેશ આપ્યો છે. જેમાંથી કેટલાક વિચાર એવા છે જેને જીવન જીવવા માટે અમલમાં મુકવામાં આવે તો કોઈપણ પ્રકારનું દુ:ખ જીવનમાં રહેતું નથી. તો વાંચી લો કયા છે ગૌતમ બુદ્ધના 7 અનમોલ વચન.

1. દુનિયાના તમામ સુખ બીજાનું ભલું વિચારવાથી મળે છે જ્યારે દુ:ખ આત્મમુગ્ધ થવાથી મળે છે. એટલા માટે જ તેનાથી બચીને રહેવું જોઈએ.
2. કોઈના કહેલા કટુ વચનને ગ્રહણ કરવા કે નહીં તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. જો તેને ધ્યાનમાં લેવામાં ન આવે તો તે પરત બોલનાર પાસે જ પહોંચી જાય છે.
3. દુનિયાની દરેક વસ્તુ બદલવા માટે જ બની છે, કારણ કે તે તમામ એકબીજા સાથે જોડાયેલી છે.
4. માણસની જીભ ધારદાર ચાકુ જેવી છે. જે ચાલવાથી રક્ત વહેતું નથી પરંતુ તે અન્યને મારી પણ શકે છે.
5. જે વ્યક્તિ પોતાના ધર્મનો આદર કરે અને અન્યના ધર્મનો નિરાદર કરે તો તે પોતાના જ ધર્મને નુકસાન પહોંચાડે છે.
6. એક હજાર શબ્દો બોલવા કરતાં એક એવો શબ્દ બોલવો સારો જે મનને શાંતિ આપે.
7. દુ:ખ અને દગો સહન કર્યા પછી જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.


પૉઝિટિવિટીથી ભરપૂર ભગવાન બુદ્ધના વિચાર
મહાત્મા બુદ્ધે કહેલી વાતો અને તેમની ફિલસૂફી એ કંઈ ખજાનાથી કમ નથી. જીવનમાં આપણને જ્યારે પણ હારનો અહેસાસ થાય અથવા જ્યારે પણ મન કોઈ પ્રકારનો ભય અનુભવે ત્યારે ભગવાન બુદ્ધે કહેલી અનેક વાતો વિશે માત્ર એકવાર વિચાર કરીશું તો મનને અનન્ય પૉઝિટિવિટી મળશે. અને જો એ અમુલ્ય વિચારોનો અમલ કરીશું તો જીવનમાં જ્વલંત સફળતા પણ મળશે. આજે વિશ્વભરમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે તો પ્રસ્તુત છે ભગવાન બુદ્ધની વિચાર કર્ણિકાઓ…


  • માણસે જીવનમાં ક્યારેય શંકા ન કરવી. શંકા માત્ર સંબંધોને જ નહીં, પરંતુ માણસને પણ બરબાદ કરી દેતી હોય છે.
  • ક્રોધ કરવો એ બીજા પર ગરમ કોલસો ફેંકવાની ઈચ્છા બરાબર છે. જોકે બીજા પર કોલસો ફેંકાય  એ પહેલાં આપણો જ હાથ બળી જતો હોય છે.
  • ભૂતકાળ પર ધ્યાન ન આપો અને ભવિષ્યની ચિંતા ન કરો. તમારા મનને માત્ર વર્તમાન પર કેન્દ્રિત કરો.
  • જો તમે તમારી જાતને સાચા દિલથી પ્રેમ કરતા હશો તો તમે બીજાઓને ક્યારેય નહીં ધિક્કારી શકો.
  • શાંતિ તમારી અંદર જ છે, એને બહાર શોધવાનો પ્રયત્ન ન કરો.
  • તમે જે વિચારો છો એ જ તમે બનો છો. એટલે હંમેશાં શ્રેષ્ઠ વિચાર કરો.
  • કોઈ પણ મુકામ પર પહોંચવા કરતા મુકામ સુધી પહોંચવા માટેની યાત્રા ઘણી મહત્ત્વની હોય છે.
  • સાચો પ્રેમ હંમેશાં સમજણથી શરૂ થાય છે.
  • બીજાઓ પર વિજય પ્રાપ્ત કરવા કરતા પોતાની કમજોરીઓ પર વિજય પ્રાપ્ત કરવો એ ઘણી મોટી વાત છે.
  • બધું જ સમજતા હોવાનો અર્થ છે બધાને જ માફ કરી દેવું.
  • આપણે જો ફૂલ ખીલવા જેવી ઘટનાને પણ ચમત્કાર માનીશું તો આપણું સમગ્ર જીવન પણ એક ચમત્કાર જ છે એવું  પણ આપણે માનતા થઈ જઈશું.
  • ભૂતકાળ  વિતી ચૂક્યો છે અને ભવિષ્ય હજુ આવ્યું જ નથી. તમારી પાસે માત્ર વર્તમાન જ છે. એટલે આજની ક્ષણ જીવી લેવું અત્યંત અનિવાર્ય છે.
  • જે ક્ષણે તમે તમામ મદદો અને બીજા પરના આધારનો નકાર કરો છો એ જ ક્ષણે તમે મુક્ત થઈ જાઓ છો.
  • જે રીતે કોઈ પહાડ તેજ પવનથી વિચલિત નથી થતો એમ બુદ્ધિશાળી માણસ પ્રશંસા અને ટીકાથી વિચલિત નથી થતો.
  • એક ક્ષણ એક દિવસ બદલી શકે છે, એક દિવસ એક જીવન બદલી શકે છે અને એક જીવન સમગ્ર વિશ્વને બદલી શકે છે.

ગુરુવાર, 30 એપ્રિલ, 2020

ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છાઓ | ગુજરાત સ્થાપના દિવસ શુભકામનાઓ

ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છાઓ | ગુજરાત સ્થાપના દિવસ શુભકામનાઓ
શું તમને ખબર છે

સુર્યવંશી ગોહીલવંશના રાજાઓ આ રજવાડા પર શાસન કરતા આવ્યા છે. તેમનું મુળ વતન મારવાડ હતું. સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. એ કારણે મારવાડ છોડીને ગુજરાત બાજુ આવ્યા. ગુજરાતમાં એમણે સૌ પ્રથમ રાજધાની ઇ.સ. ૧૧૯૪માં સેજકપુર ને બનાવ્યું. ત્યાંથી તેઓ આગળ વધીને ઇ.સ. ૧૨૫૪માં રાણપુરમાં રાજધાની બદલી. ઇ.સ. ૧૩૦૯માં રાજધાની રાણપુરથી ખસેડી ઉમરાળામાં સ્થાપી.

ઇ.સ. ૧૫૭૦માં સિહોરમાં રાજધાની સ્થાપી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ૩-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. ૧૮૦૭થી ભાવનગર બ્રિટીશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું.

#ગુજરાત દિવસ 2020 #ગુજરાત દિવસની શુભેચ્છાઓ #ગુજરાત સ્થાપના દિવસ #ગુજરાત વિશે ખાસ


















રવિવાર, 15 માર્ચ, 2020

મેજર ધ્યાનચંદ -હોકી ના જાદુગર

━━━━━━━━━━━━━━━━━━━━━━━
         ❝ મેજર ધ્યાનચંદ 曆❞[ હોકી ના જાદુગર ]
━━━━━━━━━━━━━━━━━━━━━━━
 જન્મ તારીખ :- 29 August 1905
  મત્યુ તારીખ :-  03 ડિસેમ્બર, 1979
 મેજર ધ્યાનચંદનો જન્મ  અલ્હાબાદમાં થયો હતો.

 તે ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ભારતીય હોકી ટીમ (1928 નું એમ્સ્ટરડેમ ઓલિમ્પિક્સ, 1932 નું લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને 1936 ના બર્લિન ઓલિમ્પિક્સ) ના સભ્ય હતા.
 હોકીમાં જોડાતા પહેલા તેમણે ભારતીય સૈન્યમાં મેજરનો હોદ્દો સંભાળ્યો હતો.
 એકવાર એવું બન્યું કે નેધરલેન્ડ્સની મેચ દરમિયાન, તે લાકડીમાં કોઈ ચુંબક ન હોવાની શંકા સાથે તેની હોકીની લાકડી તોડતો જોવા મળ્યો.
 મેજર સાહેબે શોટ ફટકાર્યો, તે ધ્રુવ પર ગયો અને તેણે રેફરીને કહ્યું કે ગોલ પોસ્ટની પહોળાઈ ઓછી છે. જ્યારે ગોલપોસ્ટની પહોળાઈ માપવામાં આવી, ત્યારે દરેકને આશ્ચર્ય થયું કે તે ખરેખર ઓછી છે.
 1936 માં, જર્મન ગોલકીપરે ધ્યાન ધ્યાનચંદને જાણી જોઈને પડતો મૂક્યો. આનાથી મેજરનો દાંત તૂટી ગયો હતો.
 મેજર ધ્યાનચંદે તેની આખી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 400 થી વધુ ગોલ નોંધાવ્યા હતા, જે હોકીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ છે.
 ધ્યાનચંદને 1956 માં ભારતના પ્રતિષ્ઠિત નાગરિક સન્માનિત પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
 હિટલરે મેજરને તેની જર્મન તરફથી રમવાનું કહ્યું હતું અને જર્મન આર્મીમાં માર્શલ બનવાની ખાતરી આપી હતી, પરંતુ મેજેરે આ તકને ઠુકરાવી દીધી હતી.
 ભારત સરકારે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ વર્ષ ૨૦૧૨ માં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, ત્યારથી 29 29ગસ્ટ દર વર્ષે દેશભરમાં "રાષ્ટ્રીય રમત દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
 તેમનું 03 ડિસેમ્બર 1979 ના રોજ અવસાન થયું.


લાંબા સમયથી ભારત રત્ન પુરસ્કાર આપવાના મામલે હોકીની અવગણના કરવામાં આવી છે. વર્ષ 2019માં પણ દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન માટે મેજર ધ્યાનચંદની અવગણના કરવામાં આવી છે. જેના કારણે હોકીના દિગ્ગજ દુખી છે. તેમને કહ્યું કે ભારતને ખેલ જગતમાં ઓળખ અપાવનાર એવા દિગ્ગજ ખિલાડીને આવી રીતે ભુલાવી દેવું દુર્ભાગ્યપૂર્ણ છે.

તેમને બતાવી દઈએ કે આ પહેલા 2014માં પણ ભારત રત્ન માટે ખેલ ક્ષેત્રને અલગ-અલગ શ્રેણીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખેલોમાં જોકે પહેલા અને અત્યાર સુધી ભારત રત્ન એકમાત્ર ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંદુલકરને આપવામાં આવ્યો છે.

પરંતુ આ વખતે મેજર ધ્યાનચંદના પુત્ર અશોક કુમારે કહ્યું કે તેમના પરિવારે હવે આશા છોડી દીધી છે. તેમને કહ્યું કે,‘કોઈ પણ સરકાર તેમના પિતાના યોગદાનને સમઝી શકી નથી અને આટલા વર્ષોથી રાહ જોયા બાદ હવે અમારી આશા તૂટી ગઈ છે.’ નોંધનીય છે કે આ વખતે કેન્દ્રની બીજેપી સરકારે જનસંઘ નેતા નાનાજી દેશમુખ, મશહૂર સંગીતકાર ભૂપેન હજારિકાને મરણોપરાંત અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.

બુધવાર, 11 માર્ચ, 2020

હોળી શા માટે ઊજવાય છે? પ્રહલાદની યાદમાં કે કામદેવની યાદમાં?

હોળી શા માટે ઊજવાય છે? પ્રહલાદની યાદમાં કે કામદેવની યાદમાં?
ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે.હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે. તેમાંથી ચાર પ્રમુખ કથાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.
                   
પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા:
હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્યકશિપુની.
કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા કે જેઓ પોતાને ઇશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકોની તેમની પૂજા કરે.પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા.ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી.તેમણે પોતાનાં બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે, કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં.કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી.તેનો મતલબ છે આગમાં હોલિકા સળગી ગયાં, અને પ્રહલાદ બચી ગયા.

રાધા અને કૃષ્ણની કથાઃ
હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે. વસંતમાં એકબીજા પર રંગ નાંખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે.ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે. 



શ્રીકૃષ્ણ અને પૂતનાની કથાઃ
વધુ એક પૌરાણિક કથાના અનુસાર જ્યારે કંસને શ્રીકૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યાં હતાં.પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતાં હતાં અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતાં હતાં.ગોકુળનાં ઘણાં બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા. તેમણે દુગ્ધાપન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો.કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળીનું પર્વ મનાવવાની શરૂઆત થઈ છે.

શિવ- પાર્વતીની કથાઃ
એક કથા શિવ- પાર્વતીની પણ છે. પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માગતાં હતાં પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું.તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું.પરંતુ તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી હતી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા.ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા. ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધાં હતાં.કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે.પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે.તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગ્યાં અને શિવ પાસે કામદેવને ફરી જીવીત કરવા આહ્વાન કર્યું હતું.આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા.તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે.

હોળી વિશે માહિતિ -હોળી પર નિબંધ

દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી.
હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે.
હોળી આવતા લોકો ખુબ ઉત્સાહિત થઇ જાય છે . વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકીને હોળી પ્રગટાવવામાં આવે છે.

લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું
પૂજન કરે છે.
ઉજવણીની રીતો અલગ હોઈ શકે એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે, અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.

હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે.
કેટલાક લોકો આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. બોલીવુડની ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તીઓ પણ ધુળેટીના રંગોમાં રંગાવાથી બાકાત રહેતી નથી. ”રંગબરસે,ભીગે ચુનરવા” જેવાં ગીતો ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે.

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓ .
હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.
વૈષ્ણવ માન્યતા અનુસાર,હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો.એને
બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી એનું મૃત્યું થશે નહીં’.આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો.તેને મારવો એ લગભગ અસંભવ થઇ ગયું.આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો.સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો.

હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર,પ્રહલાદ,ભગવાન વિષ્ણુનો ભક્ત હતો.એને
કંઇ કેટલાં ય પ્રલોભનો તથા ડર બતાવી એણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી.તેણે પ્રહલાદને મારવા માટે પણ બહું જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા.છેવટે પ્રહલાદને મારી નાખવાના
ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી,અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો.હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી.અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી,આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુના વધની કથા આવે છે,જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં બેસાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કરે છે.આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ એટલે હોળી મનાવવામાં આવે છે.
Source By gujarati.webdunia.com

રવિવાર, 1 ડિસેમ્બર, 2019

" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો "

" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો  "

૧. કોઇપણ વ્યક્તિ ને ફોન કરો તો બે વખત થી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો, કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત છે .
૨. કોઇપણ પાસે થી ઉછીના પૈસા અથવા ચીજ વસ્તુઓ   મુદત પહેલા અથવા એ માંગે એ પહેલા પરત આપી દેવી .
https://diludiary.blogspot.com/
આ વસ્તુ  તમારું વ્યક્તિત્વ અને  તમારો વ્યવહાર દર્શાવે છે .
૩. જયારે કોઈ વ્યક્તિ તમને લંચ /ડિનર પર બોલાવે  ત્યારે મોંઘી ડીશ નો ઓર્ડર આપવો નહી શક્ય હોય તો એ વ્યક્તિ ને જ કહેવું કે " આજે મારે તમારી પસંદગી નું ખાવું છે આપ જ ઓર્ડર આપો ".
૪. કોઈ દિવસ ઓકવર્ડ પ્રશ્નો જેમકે  " ઓહ !!! તો તમે હજુ સુધી લગ્ન નથી કર્યા ? ' અથવા " તમે હજુ સુધી ઘરનું ઘર કેમ નથી લીધું ?" પૂછવા નહિ.
૫. હમેંશા તમારી પાછળ ચાલતી આવતી વ્યક્તિ માટે દરવાજો તમે ખોલજો પછી એ પુરુષ હોય કે સ્ત્રી.  આ રીતે જાહેર સ્થળો એ  કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન કરવાથી તમે નાના માણસ નહી બની જાઓ.
૬.  જો તમે ટેક્સીમાં કોઈ મિત્ર સાથે જતા હોવ તો તે આ વખતે ભાડું આપે છે તો તમે બીજી વખતે તમે જ આપજો.
૭. અલગ અલગ રાજકીય વિચારધારા ને માન આપજો.
૮. કોઈ વ્યક્તિ બોલતું હોય ત્યારે એને વચ્ચેથી અટકાવવા નહી.
૯.  જો તમે કોઈ ની મજાક કરતા હોવ અને એને મજા ના આવતી હોય તો એની મજાક કરવાની બંધ કરી દેશો.
૧૦ . જયારે કોઈ વ્યક્તિ મદદરૂપ થયા હોય એનો હમેશા આભાર માનવો.
૧૧. જાહેરમાં હમેંશા વખાણ કરો અને ખાનગીમાં જ ક્રીટીસાઈઝ(ટીકા/ટીપપણી) કરો
૧૨ .  કોઈ દિવસ કોઈના વજન પર કોમેન્ટ ના કરો. જસ્ટ એટલું જ કહેવું " તમે મસ્ત લાગો છો ". જો તેઓ ને વજન ઘટાડવું હશે કે વધારવું હશે અને તમારી પાસે નોલેજ હશે તો એ પૂછશે અને તો જ વજન વિશે વાત કરવી.
૧૩. જયારે કોઈ વ્યક્તિ એના મોબાઈલમાં ફોટો બતાવતા હોય  ત્યારે કોઈ દિવસ એ ફોટો જોઈ ને "લેફ્ટ કે રાઈટ સ્વાઇપ" ના કરો. તમને ખબર નથી હોતી કે આના પછી કેવો ફોટો હશે . માટે એ ટાળવું.
૧૪. જો તમારા સહ કર્મચારી/મિત્ર તમને કહે કે તેઓની ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ છે  તો કદાપિ પૂછવું નહી કે  શેના માટે છે ?  માત્ર એટલું જ કહો કે "ઓકે આશા રાખું છુ કે સારું થઇ જશે". જો તેઓ પોતાની બિમારી વિશે જણાવવા માંગતા હોય તો જ જાણશો કેમકે ઘણી વખત તેમની બીમારી ખાનગી હોઈ શકે છે.
૧૫. સફાઈ કામદારોને પણ એમ.ડી. જેટલી જ રીસ્પેક્ટ આપો . તમે કોઈ સાથે ખરાબ રીતે વર્તો છો એના થી કોઈ સારી ઇમ્પ્રેશન નહિ પડે, પરંતુ લોકો તમે કેટલી નમ્રતાથી વાત કરો છો એની સારી ઇમ્પ્રેશન ની નોંધ લેશે.
૧૬.  જો કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરતો હોય તે વખતે તમારું એની સામે જોવાને બદલે ફોન માં જોવું એ ખરાબ આદત છે.
૧૭. જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી સલાહ આપવી નહિ.
૧૮. જ્યાંરે કોઈ વ્યક્તિને ઘણા સમયે મળતા હોઈએ ત્યારે એમની ઉમર અથવા  પગાર વિશે પૂછવું નહિ. 
૧૯.  તમારા બિઝનેસ ને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ખરાબ ચીતરવા ની કોશિશ ના કરે ત્યાં સુધી એ વ્યક્તિને બિઝનેસને લઇને દુશ્મન ના બનાવો.
૨૦. જયારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે ગોગલ્સ પહેર્યા હોય તો એ કાઢી ને વાત કરવી . આ વસ્તુ તમે એને આદર આપો છો એવું દર્શાવે છે. અને આપ જાણો જ છો કે આંખ ના કોન્ટેક્ટ થી તમારી વાતચીત ની અસર સારી રહે છે.

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા વિશે ચાલો જાણીએ

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા વિશે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
*“આવોને પારેવાં, આવો ને ચકલાં,*
*ચોકમાં દાણા નાખ્યા છે.* ”

જન્મ : નવેમ્બર 15, 1885 : ચિત્તળ (અમરેલી)
  • ઉપનામ : બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
  • માતા – કાશીબા
  • પિતા -ભગવાનજી

➖શિક્ષણના  વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.
પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.
  • પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં.
  • ૧૯૦૫ –  મૅટ્રિક.

➡️૧૯૧૩ થી ૧૯૧૬ – વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર
➡️૧૯૧૬ – કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક
➡️૧૯૧૮ – વિનયમંદિરના આચાર્ય
➡️૧૯૩૬ – દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત

⭕ *મુખ્ય રચનાઓ*
➡️શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું અઘરું છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો,  શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું
➡️બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય નાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)
➡️ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં

 *ગિજુભાઈ ને મળેલ સન્માન*
⭕1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
⭕1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક

બુધવાર, 6 નવેમ્બર, 2019

500 જનરલ નોલેજ ના સવાલ જવાબ

1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત
11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)
21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા
26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ
29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા
30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા
31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી
33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો
34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ
35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ
36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!…’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ
39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે
40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર
41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા
42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા
47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…’ – આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી
51 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
52 નવરાત્રિ દરમ્યાન નોમના દિવસે પલ્લીનો ઊત્સવ કયાં ઊજવવામાં આવે છે? Ans: રૂપાલ
53 ગુજરાત ચેસ ઓપન સ્ટેટ ચેમ્પિયનશીપમાં બધી જ કેટેગરી અને બધી જ ગેમ્સ જીતનાર એકમાત્ર ખેલાડી કોણ છે ? Ans: વલય પરીખ
54 ગુજરાતી સાહિત્યમાં ‘આદિ વિવેચક’ તરીકે કોણે નામના મેળવી છે? Ans: નવલરામ
55 સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? Ans: કાદંબરી
56 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી
57 ગુજરાતનું કયું સ્થળ ડીઝલ મોટર્સના ઉત્પાદનમાં દેશભરમાં પ્રથમ સ્થાને આવે છે ? Ans: રાજકોટ
58 ગુજરાતનું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ઉકાઇ
59 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
60 ગુજરાત રાજયનો કયો પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે ? Ans: મધ્ય ગુજરાત
61 ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી? Ans: કોચરબ આશ્રમ
62 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
63 વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ? Ans: નરસિંહ મહેતાનો ચોરો
64 તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે ? Ans: દ્રોપદી સ્વયંવર
65 ગુજરાતમાં સૌપ્રથમ કઈ કોલેજ શરૂ થઈ? Ans: ગુજરાત કોલેજ-અમદાવાદ-ઇ.સ.૧૮૮૭
66 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા ? Ans: મોતીભાઇ અમીન
67 જાણીતા નાટ્યકાર જયશંકર સુંદરીનું મૂળ નામ જણાવો. Ans: જયશંકર ભોજક
68 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી
69 સાપુતારા કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: સહ્યાદ્રિ
70 ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે ? Ans: ભેંસ
71 કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? Ans: કાકાની શશી
72 કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ? Ans: સુરખાબ નગર
73 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
74 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
75 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ
76 સવારથી લઇને રાત સુધી આકાશમાં ઊંચે ઉડીને ગાતા ભરત અથવા જલઅગન પક્ષી કયા અંગ્રેજી નામથી ઓળખાય છે? Ans: સ્કાય લાર્ક
77 ભાષા, સાહિત્ય, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન બદલ ગુજરાત સરકાર તરફથી કયો પુરસ્કાર આપવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
78 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
79 ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. Ans: હેમુ ગઢવી
80 ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે? Ans: ભુજ
81 જૂનાગઢમાં ઉપરકોટમાં કઇ વાવ જોવાલાયક છે ? Ans: અડી કડીની વાવ
82 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
83 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી
84 રાણી સિપ્રીની મસ્જિદને કોણે ‘અમદાવાદનું રત્ન’ કહી છે? Ans: જેમ્સ ફર્ગ્યુસન
85 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ
86 વિદેશમાં રહીને ક્રાંતિકારી ચળવળ ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા? Ans: સરદાર સિંહ રાણા
87 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા
88 મંજીરાનૃત્ય એ ભાળકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે ? Ans: પંઢાર
89 મીઠાપુર શેના માટે વિશેષ જાણીતું છે ? Ans: ટાટા કેમિકલ્સ ઉદ્યોગ
90 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
91 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો
92 ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ
93 છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા? Ans: દુર્ગારામ મહેતા
94 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
95 ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે? Ans: સુંદરમ્
96 સ્વતંત્ર ગુજરાત રાજય મેળવવા માટે થયેલી મહાગુજરાતની ચળવળનો સમય જણાવો. Ans: ૧૯૫૬ થી ૧૯૬૦
97 રમણલાલ વ. દેસાઈનો જન્મ કયાં થયો હતો ? Ans: શિનોર
98 ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન-સંશોધન માટે કઇ સંસ્થાની સ્થાપના થઇ હતી? Ans: સોશિયલ એન્ડ લિટરરી એસોશિયેશન
99 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
100 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ
101 ‘રાઇનો પર્વત’ ના લેખક કોણ છે? Ans: રમણલાલ નીલકંઠ
102 ગુજરાતમાં જોવા મળતા કયા સસ્તન વર્ગના પ્રાણીની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે? Ans: નીલ ગાય
103 ગુજરાતના કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર ‘સિસમોગ્રાફ’ રાખવામાં આવ્યું છે? Ans: રાજકોટ અને વડોદરા
104 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
105 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ
106 ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ કયાં આવેલું છે ? Ans: જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે
107 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ
108 રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? Ans: નરસિંહ મહેતા
109 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
110 ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ
111 ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? Ans: નાઘેર
112 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
113 ‘અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા
114 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી
115 ગુજરાતમાં સરેરાશ કેટલો વરસાદ પડે છે? Ans: ૬૭ સેમી
116 કાકરાપાર એટૅમિક પાવર સ્ટેશન કયા જિલ્લામાં છે ? Ans: તાપી
117 ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની
118 કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી
119 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત
120 ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ? Ans: રણજિતરામ વાવાભાઇ
121 સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ કયાં થયો હતો ? Ans: ભરૂચ
122 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી
123 છેક ૧૮૭૫ની સાલમાં ‘દેશી કારીગરીને ઉત્તેજન’ પુસ્તક કોણે લખ્યું હતું? Ans: હરગોવિંદદાસ કાંટાવાલા
124 હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીકરૂપ ગણાતી મીરાદાતારની દરગાહ ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: ઉનાવા
125 કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ
126 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે? Ans: શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ
127 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ
128 ગુજરાતમાં હાફૂસ કેરીનું સૌથી વધારે ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: વલસાડ
129 ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું? Ans: સુકાની
130 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
131 ટીપ્પણી નૃત્ય કઇ પ્રજાતિ સાથે સંકળાયેલું છે? Ans: ભીલ અને કોળી
132 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ
133 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજનાનું નામ જણાવો. Ans: સરદાર સરોવર નર્મદા યોજના
134 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)
135 ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ? Ans: ભાલણ
136 સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી? Ans: જૈન ધર્મ
137 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી
138 ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે ? Ans: સૌરાષ્ટ્ર
139 લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
140 ગુજરાતમાં મોર્યવંશનું શાસન કેટલાં વર્ષ રહ્યું? Ans: ૧૩૭ વર્ષ
141 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
142 કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ? Ans: નગીનાવાડી
143 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર
144 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
145 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ
146 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
147 ભારતના પાંચ પવિત્ર સરોવરમાંનું એક નારાયણ સરોવર ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
148 ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા કયાં આવેલી છે? Ans: બાલાછડી
149 સૌરાષ્ટ્રના ભરવાડ કોમના લોકો કયો રાસ લે છે? Ans: હુડારાસ
150 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans: ભાવનગર
151 તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં’ – જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. Ans: કવિ ધીરો
152 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ
153 સ્નેહરશ્મિનું મૂળ નામ શું છે? Ans: ઝીણાભાઇ દેસાઇ
154 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
155 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
156 ‘મંગલ મંદિર ખોલો…’ – ગીતકાવ્ય કોણે લખ્યું છે ? Ans: નરસિંહરાવ દિવેટિયા
157 રાજયધોરીમાર્ગ ક્રમાંક-૩ પર કયું બંદર આવેલું છે? Ans: કંડલા
158 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ
159 સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ ૨૦૦૯માં રણજી ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી? Ans: ચેતેશ્વર પૂજારા
160 સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ જણાવો. Ans: મૂળરાજ સોલંકી
161 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
162 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત
163 એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે? Ans: સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ
164 નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? Ans: કચ્છ
165 સાબરમતી નદીનું ઉદગમ સ્થાન કયું છે ? Ans: ઢેબર સરોવર- રાજસ્થાન
166 ગુજરાતના પ્રસિધ્ધ ઘઉંની જાતિનું નામ જણાવો. Ans: દાઉદખાની
167 કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા
168 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ
169 સોલંકી રાજા કર્ણદેવના સમયમાં કાશ્મીરથી કયા કવિ ગુજરાતમાં આવ્યા હતા? Ans: કવિ બિલ્હણ
170 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
171 ગુજરાતીમાં ‘અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? Ans: કનૈયાલાલ મુનશી
172 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર
173 સોનિક મુલતાની કઇ રમત જાણીતો ખેલાડી છે? Ans: સ્નુકર
174 ભવાઇના આદ્યપિતા અસાઇત ઠાકર કઇ સદીમાં થઇ ગયા? Ans: ૧૫મી સદી
175 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ
176 ગુજરાતમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કઇ સરકારી વાહન સેવા કાર્યરત છે? Ans: ‘૧૦૮’
177 ‘પ્રજાબંધુ’ અને ‘મુંબઇ સમાચાર’ ના રિપોર્ટર જેમણે દાંડીકૂચનું અતથી ઇતિ સુધી રિપોર્ટિંગ કર્યું હતું તે કોણ હતા? Ans: કપિલપ્રસાદ દવે
178 હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌપ્રથમ કોણે કરી? Ans: રમણભાઇ નીલકંઠ
179 વ્યસનમુકિત અભિયાન સૌપ્રથમ કયાં શરૂ થયું? Ans: કનોરિયા હોસ્પિટલ-ગાંધીનગર
180 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
181 ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક કયા શહેરમાં છે ? Ans: અમદાવાદ
182 કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ
183 રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? Ans: ભીમદેવ પહેલો
184 પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભિયારણ્ય કયાં આવેલું છે ? Ans: જસદણ
185 ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી
186 નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં શેનો મહિમા ગાયો છે ? Ans: જ્ઞાન
187 કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લીવાર કોણે સંગીત આપ્યું હતું? Ans: ક્ષેમુભાઇ દિવેટીયા
188 ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા કયાં આવેલી છે? Ans: ગાંધીનગર
189 કચ્છમાં આવેલું કયું સ્થળ આહિર એમ્બ્રોઈડરી માટે જાણીતું છે? Ans: ધનેતી
190 ‘નદીની રેતમાં રમતું નગર મળે ના મળે’ ના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી
191 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ
192 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર
193 કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? Ans: સંસ્કૃતિ
194 ગુજરાતની સૌપ્રથમ ટ્રામ કંપની કયાં સ્થપાઇ? Ans: ધોલેરા (ઇ.સ. ૧૮૫૦)
195 ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક મીઠા પાણીનું કયું સરોવર આવેલું છે ? Ans: નારાયણ સરોવર
196 ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી
197 ભારતભરની દૂધ અને ડેરી પ્રોડકટ્સની માંગને પૂરી કરતી અમૂલ ડેરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: આણંદ
198 વોશિગ્ટનમાં મેયરે ગુજરાતી લેખક માટે ખાસ દિવસ જાહેર કર્યો હતો તે લેખક કોણ હતા? Ans: સુરેશ દલાલ
199 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી.
200 કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ? Ans: vadhvan
201 ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? Ans: સાત
202 ગુજરાતમાં કેટલી જાતિના વન્ય સસ્તન પ્રાણીઓ નોંધાયા છે? Ans: ૧૦૭ જાતિના
203 ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ
204 વસ્તીની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? Ans: અમદાવાદ
205 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ
206 હેમચંદ્રાચાર્યે સ્થાપેલું જ્ઞાનમંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: પાટણ
207 લલિતકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર
208 પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રીકૃષ્ણ, બલરામ અને રુકિમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: માધવપુર
209 નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? Ans: શંખેશ્વર
210 અખા ભગતના ગુરુનું નામ શું હતું? Ans: બ્રહ્માનંદ
211 બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી? Ans: બગદાણા
212 હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે ? Ans: ભરત દવે
213 ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીની શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઇ પક્ષીનું ઉપનામ મળ્યું છે? Ans: દૂધિયો લટોરો
214 ભૂકંપના કારણે કચ્છમાં થઇને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઇ ગયો? Ans: વર્ષ ૧૮૧૯
215 ઉત્કૃષ્ટ કાષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાળદાસની હવેલીની કયાં આવેલી છે? Ans: વસો
216 રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? Ans: વિભોજી જાડેજા
217 ગુજરાતમાં તમાકુનો સૌથી વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? Ans: ચરોતર
218 ગુજરાતના કયા વિદ્વાને એક લાખ શ્લોકોવાળા મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને ‘જયસંહિતા’ જુદી તારવી આપી છે? Ans: કે.કા. શાસ્ત્રી
219 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩
220 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
221 પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે ? Ans: અપભ્રંશ
222 વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? Ans: ધૂમકેતુ
223 ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા
224 કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર
225 ગુજરાતમાં ચિત્રવિચિત્ર મેળો કયાં ભરાય છે ? Ans: ગુણભાખરી
226 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને ‘હરિની દાસી’ તરીકે ઓળખાવે છે ? Ans: દાસી જીવણ
227 ‘જનનીની જોડ સખી, નહ જડે રે લોલ’ – જાણીતી કાવ્યપંકિતના રચયિતા કોણ છે? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર
228 ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળા કઇ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી હતી? Ans: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
229 ગુજરાતી સાહિત્યમાં ‘માણભટ્ટ’ કે ‘ગાગરિયા ભટ્ટ’ તરીકે કોણ ઓળખાય છે ? Ans: પ્રેમાનંદ
230 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા
231 હડ્ડપીય સંસ્કૃતિના મહત્ત્વના સ્થળ લોથલની શોધ કયા પુરાતત્ત્વશાસ્ત્રીએ કરી હતી ? Ans: ડૉ. એસ.આર.રાવ
232 ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી
233 ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે ? Ans: બનાસકાંઠા
234 કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? Ans: મુંદ્રા
235 કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ
236 પંચમહાલ જિલ્લાનું કયું અભયારણ્ય પક્ષીઓ માટે જાણીતું છે ? Ans: રતનમહાલ
237 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય
238 કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ – મુંબઇ
239 ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ
240 ગાંધીજીના નઇ તાલીમ શિક્ષણ વિચારના તત્ત્વો સૌપ્રથમ કયા કમિશનની ભલામણમાં જોવા મળ્યા હતા? Ans: કોઠારી કમિશન (૧૯૬૪ – ૬૬)
241 મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
242 નરસિંહે ગૃહત્યાગ કરી જંગલમાં જઈ કયા ભગવાનની આરાધના કરેલી? Ans: શિવ
243 કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ? Ans: વીર
244 ‘નંદબત્રીસી’ અને ‘સિંહાસન બત્રીસી’ પદ્યવાર્તાઓ કોણે લખી છે ? Ans: કવિ શામળ
245 કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા
246 ડાહ્યાભાઇ ધોળશાજીનું કીર્તિદા નાટક કયું છે? Ans: વીણાવેલી
247 સરદાર આવાસ યોજના કયારથી અમલમાં છે? Ans: ૧૯૭૨થી
248 હિરાચોકડી ભાતની ભૌમિતિક ડિઝાઈન કયા ભરતકામમાં કરવામાં આવે છે? Ans: મહાજન ભરત
249 હસનપીરની દરગાહ કયાં આવેલી છે ? Ans: દેલમાલ
250 ‘સોક્રેટીસ’ નવલકથાના લેખક કોણ છે? Ans: દર્શક – મનુભાઈ પંચોળી
251 મહાન કવિ અખો કયા મુઘલ રાજાના સમયમાં થઈ ગયો ? Ans: જહાંગીર
252 કવિ નર્મદના મનમોજી સ્વભાવને કારણે તેમને મિત્રો કયા નામે બોલાવતાં ? Ans: લાલાજી
253 મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય કયું છે ? Ans: નેમિનાથ ચતુષ્યદિકા
254 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ
255 રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? Ans: બાળ સાહિત્ય
256 રમત – ગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
257 ગુજરાતમાં કયા સ્થળેથી વાસ્તુકલાના નિયમો પ્રમાણે લાકડાનું કોતરકામ મળી આવ્યું છે ? Ans: સોમનાથ
258 વડનગર શાના માટે જાણીતું છે ? Ans: પ્રાચીન કલાત્મક તોરણ અને હાટકેશ્વર મંદિર
259 બોલીવુડ ફિલ્મ દેવદાસનું નિર્માણ કયા ગુજરાતીએ કર્યું છે? Ans: સંજય લીલા ભણસાલી
260 નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? Ans: ઝૂલણા છંદ
261 જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ? Ans: પિરોટન
262 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? Ans: કચ્છ મ્યુઝિયમ
263 જુનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે ? Ans: ઉપરકોટનો કિલ્લો
264 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
265 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
266 ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? Ans: કાંકરેજી
267 કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? Ans: ડૉ. હંસાબેન મહેતા
268 મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે ? Ans: પાલિતાણા
269 દો-હદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે ? Ans: દાહોદ
270 ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ
271 ગુજરાતમાં સૌ પ્રથમ ટીચર્સ ટ્રેઇનિંગ કોલેજ કોણે અને કયાં સ્થાપી ? Ans: પ્રેમચંદ રાયચંદ-અમદાવાદ
272 ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે ? Ans: વઘઇ બોટેનિકલ ગાર્ડન
273 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર
274 ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? Ans: છેલ્લો કટોરો
275 ગુજરાતમાં ‘વાડીઓનો જિલ્લો’ તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે ? Ans: વલસાડ
276 સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય
277 ‘હરિજન સેવક સંઘ’ની સ્થાપના કોણે કરી હતી ? Ans: ગાંધીજી
278 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
279 રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? Ans: મૃચ્છકટિકમ્
280 અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? Ans: દેસાઈની પોળ
281 ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી
282 નરસિંહ અને મીરાં માટે ‘ખરા ઈલ્મી, ખરા શૂરા’ વિશેષણો કોણે વાપર્યાં છે ? Ans: કવિ કલાપી
283 ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ? Ans: સરદાર સરોવર ડેમ
284 ગુજરાતની મુખ્ય નદીઓ જણાવો. Ans: મહી, નર્મદા અને તાપી
285 ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે? Ans: ધુવારણ
286 અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ
287 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા
288 લોથલ લગભગ કેટલા વર્ષ પહેલાનું બંદર હશે એમ મનાય છે ? Ans: આશરે ૪૦૦૦ વર્ષ પૂર્વેનું
289 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત
290 નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું? Ans: તળાજા
291 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ
292 ગુજરાતમાં લાકડામાંથી વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન બનાવવાનું કારખાનુ સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ? Ans: ઉધના
293 કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ
294 વિશ્વામિત્રી નદીનું ઉદભવસ્થાન કયાં છે ? Ans: પાવાગઢનો ડુંગર
295 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું
296 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ
297 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન
298 ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ કયાં આવેલો છે? Ans: રાજપીપળા
299 કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી
300 ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? Ans: મહિપતરામ નીલકંઠ
301 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર
302 ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? Ans: ત્રણ
303 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ
304 ગોકુલ ગ્રામ યોજનાનો પ્રારંભ કયારે થયો હતો? Ans: ૧૯૯૫-૯૬
305 પન્નાલાલ પટેલની કઇ નવલકથા પરથી ફિલ્મ બની છે? Ans: માનવીની ભવાઇ
306 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર
307 દ્વારકાનું મંદિર કઇ નદીના કાંઠા ઉપર આવેલું છે ? Ans: ગોમતી નદી
308 સુપ્રસિદ્ધ પુરાતત્ત્વશાસ્ત્રી ડૉ. હસમુખ સાંકળિયાએ કયા ગામના ટિંબાનું ઉત્ખનન કરીને ગુજરાતમાં પાંગરેલી પ્રાગઐતિહાસીક સંસ્કૃતિના પુરાવા મેળવ્યા હતા? Ans: લાંઘણજ
309 અખાનો જન્મ કયાં થયો હતો? Ans: જેતલપુર (અમદાવાદ નજીક)
310 ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ? Ans: જામનગર
311 રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા
312 કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર
313 ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં અકીકકામ માટે જાણીતું છે ? Ans: ખંભાત
314 નીલ ગાયની સુરક્ષા માટે સ્થાપવામાં આવેલું અભયારણ્ય ગુજરાતમાં કયાં આવેલું છે? Ans: પાલનપુર
315 ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? Ans: દલપતરામ
316 ધરમપુર વિસ્તારના આદિવાસીઓ તીરકામઠું કે ધનુષ બાણ અને ભાલા લઈ કયું નૃત્ય કરે છે? Ans: શિકાર નૃત્ય
317 કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા હતા? Ans: કાકાસાહેબ કાલેલકર
318 ગેટ વે ઑફ ફ્રીડમ તરીકે કઇ ગ્રામપંચાયત સમરસ તરીકે જાહેર થયેલી છે? Ans: દાંડી ગ્રામ પંચાયત
319 ક્રિકેટમાં દુલિપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? Ans: જામ દુલિપસિંહ
320 આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? Ans: સાપુતારા
321 ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ? Ans: સીદી
322 ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી? Ans: ઇ.સ. ૧૮૬૩
323 પોરબંદર અને જામનગર જીલ્લાને જોડતો કયો ડુંગર છે ? Ans: બરડો
324 ‘મંગલ મંદિર ખોલો’ ગીત-કાવ્યના રચયિતાનું નામ જણાવો. Ans: નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા
325 ગોધરાનું પ્રાચીન નામ શું હતું ? Ans: ગોરૂહક
326 જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે ? Ans: ભાવનગર
327 ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઊપયોગ કયા સુલતાને કર્યો હતો? Ans: અહમદશાહ
328 સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. Ans: સત્યાર્થપ્રકાશ
329 ડભોઇનો કિલ્લો કેટલો લાંબો અને કેટલો પહોળો છે ? Ans: એક હજાર વાર લાંબો અને આઠસો વાર પહોળો
330 ચોટીલા ડુંગર ઉપર કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
331 ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ
332 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય
333 ગુજરાતમાં કેટલા પક્ષી અભ્યારણ્યો આવેલાં છે? Ans: પાંચ
334 ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે? Ans: ૬૦ ટકા
335 મનુભાઈ ત્રિવેદી કયા તખલ્લુસથી વિખ્યાત બન્યા? Ans: ગાફિલ
336 સુરત શહેર કઇ નદીના કાંઠે વસેલું છે ? Ans: તાપી
337 ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા? Ans: થરાદ
338 ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? Ans: જલારામ બાપા
339 ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? Ans: પીછોરા
340 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
341 અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ
342 ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ
343 ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર
344 એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ
345 ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઇ છે? Ans: અરવલ્લી
346 મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
347 મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? Ans: આચાર્ય બુદ્ધિસાગરજી
348 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ
349 ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ કયો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે? Ans: રણજિતરામ સુવર્ણચંદ્રક
350 ગરમ કાપડ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો મોખરે છે ? Ans: જામનગર
351 સરદાર સરોવર યોજના પૂર્ણ થતા કેટલા મેગાવોટ વિદ્યુત ઊત્પન્ન થવાની સંભાવના છે? Ans: ૧૪૫૦ મેગાવોટ
352 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો
353 બન્નીના ઘાસનાં મેદાનો કયાં આવેલાં છે ? Ans: કચ્છ
354 ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ
355 કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? Ans: ગોકુલગ્રામ યોજના
356 ગઝલકાર આદિલ મનસુરીની સૌપ્રથમ રચના કયા સામયિકમાં પ્રકાશિત થઇ હતી? Ans: કુમાર
357 ગીરાધોધ કઇ નદી પર આવેલો છે ? Ans: અંબિકા
358 ગુજરાતનું રાજયપ્રાણી કયું છે? Ans: સિંહ
359 ફિલ્મ અભિનય ક્ષેત્રે જંપલાવનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ હતાં? Ans: લીલા દેસાઈ
360 ર. વ. દેસાઇની ‘ભારેલો અગ્નિ’ નવલકથા કયા ઐતિહાસિક સ્વાતંત્ર્ય સંગ્રામના પરિવેશમાં લખાઇ છે? Ans: ઇ.સ. ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ
361 જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? Ans: ઉપરકોટ
362 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું? Ans: નવજીવન
363 નળસરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે ? Ans: પાનવડ
364 શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટીવલ – ૨૦૦૯-૨૦૧૦માં કઇ ગુજરાતી ફિલ્મને ઇનામ મળ્યું ? Ans: હારૂન – અરૂન
365 ગુજરાતમાં જિલ્લાઓની પુર્નરચના કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન થઇ હતી? Ans: શંકરસિંહ વાઘેલા
366 કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી
367 ગુજરાતમાં જામફળ અને દાડમના ઉત્પાદન માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે ? Ans: ભાવનગર
368 ગુજરાતમાં મોટા અંબાજી ખાતે મેળો કયા મહિનાની પૂનમે ભરાય છે ? Ans: ભાદરવા
369 મૈત્રકવંશના સ્થાપક રાજા પરમ ભટ્ટાર્કની રાજધાની કઇ હતી? Ans: વલભી
370 અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧
371 ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? Ans: મહિપતરામ રૂપરામ
372 ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ
373 અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ
374 પન્નાલાલ પટેલની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા પર આધારિત ફિલ્મનું નામ જણાવો. Ans: માનવીની ભવાઇ
375 ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
376 ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? Ans: બળવંતરાય ક. ઠાકોર
377 ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: જામનગર
378 ચાલુકયકાળના અંતભાગમાં કયા જાણીતા વિદેશી મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: માર્કો પોલો
379 સુરત પાસે કયો દરિયાકિનારો પ્રખ્યાત છે ? Ans: ડુમ્મસ
380 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ
381 સંત પુનિત મહારાજની ગ્રંથશ્રેણીનું નામ શું છે? Ans: જ્ઞાનગંગોત્રી
382 દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ
383 ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? Ans: દીવ
384 ગુજરાતનાં કયાં નગરો શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઊનાળામાં સૌથી વધુ ગરમી પડે છે ? Ans: ઠંડી-નલિયા અને ગરમી-ડીસા
385 અસુરોના સંહાર માટે વસિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો? Ans: અર્બુદક પર્વત
386 ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય
387 કવિ કલાપીનું પુરું નામ શું છે? Ans: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
388 કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ? Ans: આઠ
389 ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? Ans: અમદાવાદ-૧૯૦૫
390 સ્વાતંત્ર્ય ચળવળનું ચિહ્ન ‘ચક્ર’ રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું? Ans: ગંગાબેન મજમુદાર
391 કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો
392 સોલંકી વંશના પ્રસિદ્ધ રાજવી સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં કોને ‘કલિ કાલ સર્વજ્ઞ’નું બિરુદ પ્રાપ્ત થયું હતું? Ans: હેમચંદ્રાચાર્ય
393 ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ
394 ગુજરાતી ભાષાલેખન અને ગુજરાતી રૂપરચના કયા શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે? Ans: કેશવરામ કાશીરામ શાસ્ત્રી (કે. કા. શાસ્ત્રી)
395 ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? Ans: જામનગર
396 ગુજરાતમાં સૌપ્રથમ કલોથ માર્કેટ કયાં સ્થપાઇ હતી? Ans: અમદાવાદ
397 કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? Ans: કુમુદબેન જોષી
398 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું
399 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ
400 ગુજરાતી ગૃહિણીઓમાં અપાર લોકચાહના મેળવનાર ‘ઘરઘરની જયોત’ કૉલમના લેખિકા કોણ હતાં? Ans: વિનોદીની નીલકંઠ https://diludiary.blogspot.com/
401 ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans: સંજીવની રથ
402 વિશ્વપ્રસિદ્ધ કાળિયાર પાર્ક ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: વેળાવદર
403 એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ
404 ગુજરાતી સાહિત્યમાં સૉનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
405 ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથના નામનો અર્થ શું થાય છે? Ans: ચંદ્રનો રક્ષક
406 ગુજરાતમાં દેહદાનની શરૂઆત કયા પ્રસિદ્ધ સાહિત્યકાર દ્વારા થઇ? Ans: નાનાભાઇ ભટ્ટ
407 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans: મણીશંકર રત્નજી ભટ્ટ
408 ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ? Ans: ચામુંડા માતા
409 ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લૅન્ડ ધરાવે છે? Ans: ૨૭,૦૦૦ ચો. કિમી.
410 આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર
411 શેત્રુંજો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ? Ans: ભાવનગર
412 ‘વીજળીને ચમકારે મોતીડા પરોવો…’ – પદ કોણે લખ્યું છે ? Ans: ગંગાસતી
413 ‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ
414 પોતાના શાસનકાળમા ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? Ans: મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા
415 બાર જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ ગુજરાતમાં કયાં આવેલું છે ? Ans: સોમનાથ
416 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા
417 ભાવનગર જિલ્લામાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે ? Ans: આવાણિયા
418 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ
419 અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદભૂત કોતરણી માટે જાણીતું છે? Ans: કુંભારિયાનાં દેરા
420 ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં પત્રકાર હતાં? Ans: ફૂલછાબ
421 ગુજરાતની કઇ નદી દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાય છે? Ans: કોલક
422 દિવાળીઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી પહોંચે છે? Ans: આસો માસ
423 ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ? Ans: કાળીયાર
424 મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ? Ans: શ્યામ સરોવર
425 ‘ફિશર ચેસ કલબ’ની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૯૬
426 ગાંધીજીને રાજકારણમાં આવતા પહેલાં એક વર્ષ સુધી રાજકારણનો અભ્યાસ કરવા એક વિદેશી મહિલાએ સૂચવ્યું. એ મહિલા કોણ હતા? Ans: એની બેસન્ટ
427 ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans: વિશાલા હોટલ-અમદાવાદ
428 ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઊત્સવ ‘તાનારીરી’ ગુજરાતમાં કયાં ઊજવાય છે? Ans: વડનગર
429 વિશાળ હમીરસર તળાવ કયાં આવેલું છે? Ans: ભૂજ
430 ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? Ans: પરબ
431 મુઘલ સામ્રાજય દરમ્યાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે રહેલા શહેરનું નામ જણાવો. Ans: સુરત
432 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? Ans: જુલાઇ, ૧૯૫૦
433 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫
434 ગુજરાતના પ્રથમ ઉર્દૂ ગઝલકાર કોણ છે ? Ans: વલી ગુજરાતી
435 સૌ પ્રથમ ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દ પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: પ્રેમાનંદ
436 જૂનાગઢ જિલ્લાના ગિરનાં જંગલોમાં રહેલો કેલ્સાઈટનો જથ્થો કયા નામથી ઓળખાય છે? Ans: પનાલા ડિપોઝિટ
437 ફ્રેંચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૬૮
438 શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ
439 ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ? Ans: ગુજરાત ખનીજ વિકાસ નિગમ
440 ગુજરાતમાં મધ્યકાલીન યુગના ૧૭મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે ? Ans: શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ
441 વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઇ સંસ્થા કાર્યરત છે? Ans: અપંગ માનવ મંડળ
442 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
443 ‘સીતાહરણ’ કૃતિના રચયિતા કોણ છે? Ans: કર્મણ મંત્રી
444 સરસ્વતીચંદ્રના બીજા ભાગનું શીર્ષક શું છે? Ans: ગુણસુંદરીની કુટુંબજાળ
445 ગુજરાતી ભાષાનાં જાણીતાં વિજ્ઞાન પાક્ષિક અને તેના પ્રકાશકનું નામ જણાવો. Ans: સફારી – નગેન્દ્ર વિજય
446 જામનગર શહેરના રણમલ તળાવની મધ્યે આવેલા મહેલનું નામ જણાવો. Ans: લાખોટા મહેલ
447 રાજપીપળાના ડુંગરો કયા ખનીજના ઉત્પાદન માટે જાણીતા છે ? Ans: અકીક
448 અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર
449 ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે ? Ans: અલિયા બેટ
450 ગુજરાતનો કયો પર્વત ‘ઊજજર્યન્ત પર્વત’ તરીકે ઓળખાતો હતો? Ans: ગિરનાર
451 ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઇ સંસ્થા કાર્યરત હતી? Ans: ફાર્બસ ગુજરાતી સભા
452 બ્રિટીશ રાજ દરમિયાન મુંબઇના કયા ગવર્નરે કચ્છ મ્યુઝિયમની સ્થાપના કરી હતી? Ans: સર જેમ્સ ફર્ગ્યુસન, ઇ.સ. ૧૮૭૭
453 ‘સંભવામિ યુગે યુગે’ના લેખક કોણ છે? Ans: હરીન્દ્ર દવે
454 તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે ? Ans: મહેસાણા
455 પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ? Ans: મોરારજી દેસાઇ
456 સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920
457 શિયાળામાં અમદાવાદ જિલ્લાના કયા સ્થળે ૨૦૦થી વધારે જાતિના વિદેશી પક્ષીઓ સૌનું આકર્ષણનું કેન્દ્ર બને છે? Ans: નળ સરોવર
458 પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે ? Ans: મહાકાળી
459 ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે? Ans: રાજભાષા
460 ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ
461 ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? Ans: અમદાવાદ
462 મહમ્મદ બેગડાએ જામા મસ્જિદ કયાં બંધાવી હતી? Ans: પાવાગઢ અને ચાંપાનેર
463 પાટણની કઇ ચીજ સમગ્ર ભારતમાં વિશેષ છે? Ans: પટોળાં
464 ગુજરાતમાં આવેલું કયું જ્યોર્તિલિંગ બારેય જ્યોર્તિલિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે? Ans: સોમનાથ
465 વડોદરા જિલ્લામાં આવેલું કયું તળાવ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામ્યું છે? Ans: આજવા તળાવ
466 જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? Ans: રણજિતસાગર ડેમ
467 ગુજરાતમાં કુલ કેટલી મોટી નદીઓ આવેલી છે ? Ans: સાત
468 સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જળપ્રણાલી રચે છે ? Ans: ત્રિજયાકાર
469 પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે અને તે કયાં આવેલી છે? Ans: અંધજન મંડળ-અમદાવાદ
470 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ
471 ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌ પ્રથમ રચના ગુજરાતની કઇ વ્યકિતએ કરી હતી? Ans: મેડમ ભીખાઈજી કામા
472 ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી
473 સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? Ans: ગોફ ગુંથન
474 ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ
475 લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા
476 દર વર્ષે અમદાવાદના કયા મંદિરેથી રથયાત્રા નીકળે છે? Ans: જગન્નાથ મંદિર
477 કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? Ans: પંચમહાલ, ખેડા, આણંદ
478 વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં કયાં આવેલી છે? Ans: જામનગર
479 ગુરુ નાનક કચ્છમાં કયાં રહ્યા હતા? Ans: લખપત
480 વિસ્તારની દૃષ્ટિએ ભારતના રાજયોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? Ans: સાતમું
481 કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ
482 ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ.૧૯૯૭
483 ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું
484 ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ? Ans: ગ્રંથાલય ખાતું https://diludiary.blogspot.com/
485 ગુજરાતી લોકસાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહફાળો છે ? Ans: ભાટચારણ
486 રૂપાયતન હસ્તકલા ઊદ્યોગ કયાં વિકસેલો છે? Ans: જૂનાગઢ
487 શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે? Ans: શ્રી ગુરુલીલામૃત
488 સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ કયાં આવેલી છે ? Ans: અમદાવાદ
489 વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવી છે? Ans: નવ વિભાગમાં
490 ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકગ યાર્ડ કયાં આવેલું છે? Ans: અલંગ
491 ગુજરાતી ભાષા-સાહિત્યના સંદર્ભમાં ઈ.સ.૧૪૦૦ થી ૧૮૦૦નો સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે ? Ans: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો યુગ
492 કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? Ans: રાજયરંગ
493 ગુજરાતમાં કાર્તિકી-પૂનમનો સૌથી મોટો મેળો કયાં ભરાય છે ? Ans: સોમનાથ
494 સરદાર પટેલ સ્મારક ભવનની સ્થાપના કયારે અને કયાં કરવામાં આવી? Ans: ૧૯૮૦, અમદાવાદ
495 છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો. Ans: મેદાની રમતો
496 પાટણમાં ડબલ ઈક્કત પદ્ધતિથી બનાવવામાં આવતી સાડીઓ માટે કયું ફાયબર ઉપયોગમાં લેવાય છે? Ans: સિલ્ક ફાયબર
497 સરદાર પટેલનો જન્મ કયાં થયો હતો? Ans: નડિયાદ
498 ગુજરાતમાં ભૂમિજળ સંશોધન કાર્ય સર્વપ્રથમ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું હતું ? Ans: મહેસાણા
499 કવિ નાકરનું વતન કયું હતું? Ans: વડોદરા
500 બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો. Ans: અવિનાશ વ્યાસ

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી