ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ તહેવારોની શુભકામનાઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ તહેવારોની શુભકામનાઓ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

હું એક શિક્ષક છું,

હું એક શિક્ષક છું,
હા હું જ આ સમાજને દિશા આપવામાં સમર્થ છું. એક શિક્ષક સતત સમાજમાં શિક્ષણ,સંસ્કાર,રિત,રિવાજ,જ્ઞાન પ્રસરાવવાનું કાર્ય કરતો આવ્યો છે. સતત અને અવિરત વાલ્મીકીથી શરૂ કરી સાંદિપની, યાજ્ઞવલ્કય, ચાણક્ય, સોક્રેટીસ, લેલીન, રસેલ, માર્કસ અનેક શિક્ષકોએ સમાજમાં સતત નવા વિચારો આપ્યા જ નહિ પરંતુ તે વિચાર પર સમાજને ચાલતો કર્યો છે.
રામ અને કૃષ્ણ જેવા શિક્ષકો તો આજે પણ માર્ગદર્શન કરી રહ્યા છે.આ એ જ સમાજ છે કે જે આજે શિક્ષક દિવસ મનાવે છે. આ તો આજના જમાનામાં સામાન્ય છે જે તહેવાર આવે તેના ગીતો વગાડવાના અને જાય એટલે એ સરંજામ લઇને બીજાની તૈયારી કરવાની.
મિત્રો શિક્ષક એ ખાલી ભણાવતો નથી તે ભણતા કરે છે. ખાલી હોમવર્ક આપે એ શિક્ષકનું કામ નથી. પણ જીવન સમજાવી જાય એ કામ છે. આજે આ દેશમાં સૌથી વધુ જરૂર મારી.... એટલો કે એક શિક્ષકની છે. હવે કંઇ કરવાનો દિવસ અને અવસર છે.
સમાજમાંથી ગંદકી દૂર કરવાનું શિક્ષણ હોય કે સમાજને સ્વચ્છતાની ટેવ પાડવાનું શિક્ષણ હોય ભ્રષ્ટાચાર રોકવાનું શિક્ષણ હોય કે તેની સામે લડવાનું કુરિવાજો સામે અવાજ ઉઠાવનાર શિક્ષકની આજે જરૂર છે
એક સામાન્ય માણસ અંધશ્રદ્ધા ફેલાવે અને આપણે તે રોકી પણ ન શકીએ...!!!
જવા દો
સવાલ એ નથી કે શું કરવું પણ મિત્રો ચાણક્ય પર મને આજે પણ એટલો જ વિશ્વાસ છે તેથી માનું છું કે તેની વાત સત્ય પણ હશે જ. સમાજને કોઇ બદલી શકશે તો આપણે જ...!!!
હિંમત અને જ્ઞાનયુક્ત શક્તિની જરૂર છે બાકી શિક્ષણ તો હવે વેચાવા લાગ્યું છે અને ૧૦૦૦ ₹ કલાક ના ભાવે શિક્ષક પણ બજારના ટ્યુંશન શોરૂમ મા અવેલેબલ છે.


પણ આજે જો આ દિવસ મારો હોય દિલીપ રાઠોડનો હોય તો હું હિંમત અને વિશ્વાસથી કહું છું કે આપણે લડીશું
મહેનત કરીશું
વિશ્વાસ કરીશું
પ્રયાસો કરીશું
પણ આ દિવસ માટે સમાજ દ્વારા આપણને જે માન મળ્યું છે તેની કિંમત ચૂકવીશું
એક શ્રેષ્ઠ સમાજની રચના કરીને.....

શનિવાર, 1 ઑગસ્ટ, 2020

ફ્રેન્ડશીપ ડે શાયરી,ફ્રેન્ડશીપ ડે ફોટા અને શુભેચ્છાઓ

ફ્રેન્ડશીપ ડે શાયરી,ફ્રેન્ડશીપ ડે ફોટા અને શુભેચ્છાઓ
આ ઓગસ્ટ મહિનો એ “ફ્રેન્ડશીપ” નો મહિનો ગણાય છે. સને ૧૯૩૫થી અમેરિકાની કોન્ગ્રેસમાં પસાર થયેલ ઠરાવ પ્રમાણે દર વર્ષે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર અમેરિકામાં Friendship Day તરીકે મનાવવામાં આવે છે.

હવે અન્ય દેશોમાં પણ આ મહિનામાં  મિત્રોને યાદ કરીને મિત્રતાને  નવાજવામાં આવે છે.માણસની જીવન યાત્રાના ભિન્ન ભિન્ન તબક્કે મિત્રો આવી મળે છે.

કેટલાક મિત્રોની મૈત્રી સવારના ઝાકળની જેમ કામ ચલાઉ હોઈ  થોડા સમયમાં અલોપ થઇ જાય છે ,જ્યારે ઘણા મિત્રો જીવન ભરના કાયમી મિત્રો બની રહે છે.સાચી મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખાં સુખ દુખ તેમ જ સરખી વિચારસરણી ધરાવનારી વ્યક્તિઓ સાથે ટકતી હોય છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
મિત્રોની બાબત હું ખુબ નસીબદાર રહ્યો છું.
જીવનનાં હર તબક્કે, મારામાં રહેલી અનેક ખામીઓ છતાં, મને પ્રેમથી સ્વીકારનારાં મિત્રો મળતાં રહ્યા છે, એને હું મારૂં સદભાગ્ય ગણું છું.
મારાં જીવનઘડતરમાં ફાળો આપનાર દરેક મિત્રોને  મૈત્રીદિન ની  શુભેચ્છા....
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
મૈત્રી  ભાવનું  પવિત્ર  ઝરણું  મુઝ હૈયામાં  વહ્યા  કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું,  એવી ભાવના નિત્ય  રહે....
વિશ્વ  મૈત્રી  દિવસની  શુભકામનાઓ...
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ.
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
સમય ના વહેણ માં  સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા…
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.

ગુરુવાર, 21 મે, 2020

મધર ડે શાયરી | #MotherDayStatus | #MotherDaySpacial | મધર ડે વિશે જાણો

‘મધર ડે’ કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ન ચૂકવી શકાય. માનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે. આપણે આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર એ માતા પ્રત્યે સમ્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી પરંતુ મધર્સ ડેના દિવસે આપણે આપણી લાગણીઓને રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે. આ જ કારણે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 12 મે ના રોજ છે. માને સમ્માન આપનાર આ દિવસને કેટલાક દેશોમાં જૂદી જૂદી તારીખે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ભારત સહિત મોટાભાગના દેશોમાં મે મહિનાના બીજા રવિવારને જ મધર્સ ડે તરીકે ઉજવાય છે. મધર્સ ડેના દિવસે લોકો તેમની માતા પ્રત્યે અલગ અલગ રીતે લાગણીઓ રજૂ કરતાં હોય છે.

કેવી રીતે થઈ મધર્સ ડેની શરુઆત?
તમને જણાવી દઈએ કે, માતાને સમ્માન આપનાર આ દિવસની શરુઆત અમેરિકાથી થઈ. અમેરિકન એક્ટિવિસ્ટ ‘એના જાર્વિસ’ તેમની માતાને ખૂબ જ પ્રેમ કરતી હતી. એના એ તેમના જીવનમાં ન તો કદી લગ્ન કર્યા કે ન તો કોઈ બાળકને જન્મ આપ્યો. માતાના મૃત્યુ પછી તેમના પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે તેમણે મધર્સ ડેની શરુઆત કરી. ત્યાર બાદ ધીમે ધીમે ઘણા દેશોમાં મધર્સ ડેની ઉજવણી શરુ થઈ.
        
મે મહિનાના બીજા રવિવારે જ શા માટે થઈ પસંદગી?
9 મે 1914ના રોજ અમેરિકન પ્રેસિડન્ટ વુડ્રો વિલ્સનને એક કાયદો પસાર કર્યો જેમાં લખ્યું હતું કે, દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ મધર્સ ડે અમેરિકા, ભારત સહિતના કેટલાક દેશોમાં મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે.
                       
આમ તો માતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા અને ગિફ્ટ આપવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી હોતી, તેમ છતાં પણ મધર્સ ડેના દિવસે માતાને વિશેષ સમ્માન આપવામાં આવે છે. માતાને ગિફ્ટ, મીઠાઈ અને ખૂબ જ પ્રેમ પીરસવામાં આવે છે.
         

તું ફક્ત આજે મધર ડે ઉજવીશ
પછી બીજા other dayનું શું કરીશ?
કાયમ રવિવાર આવતો
પણ તું ન આવતો
આ વખત મેળ નહી પડે એવું બહાનું બતાવતો
હવે આ રવિવારને ઉજવીને શું કરીશ ?
તું લઘરવઘર ન ફરે ત્યારે તારું માથું ઓળી આપતી
તું ભૂખો ન રહે એટલે વહેલી વહેલી રાંધતી
તું શાંતિથી નિંદર માણે એટલે રાતભર જાગતી
છતાં કશું જ નથી હું માગતી
અને તું પણ કશું જ ન આપતો
પણ મારા જેવી કોઈ સ્ત્રી મા જરૂર શોધજે
એને પણ માન આપજે
મારા માતૃત્વની લાજ રાખજે
અરે માતાનું ઋણ તો પરમાત્મા પણ નથી ચૂકવી શક્યા
તો એમાં તારી ને મારી શી વિસાત ?
|| માતાને કોટી કોટી વંદન ||

માતાનો દિવસ દરેક બાળક અને વિદ્યાર્થી માટે વર્ષ ખૂબ યાદગાર અને ખુશીનો દિવસ છે
મધર ડે ભારતના તમામ માતાઓ માટે સમર્પિત વર્ષ એક ખાસ દિવસ છે. મેના બીજા રવિવારે મધર ડે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષ 2018 માં, તે પૂર્ણ આનંદ સાથે 12 મે (બીજા રવિવારે) પર ઉજવણી કરવામાં આવશે. આ દિવસે બાળકો ખૂબ ખુશ છે અને તેમની માતાને સ્કૂલ કે ધરમાં સન્માન આપવા માટે તેમને સન્માનિત કરતા હોય છે.

માતા અને માતાની સન્માન માટે દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે. તે દર મે બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે, માતાને ખાસ કરીને તેના બાળકોની શાળાઓમાં આમંત્રણ આપવામાં આવે છે. ઘણા કાર્યક્રમો સાથે, શિક્ષકો મધર્સ ડે માટે ઘણું તૈયાર કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ હિન્દી અને અંગ્રેજીમાં કવિતાઓ તૈયાર કરે છે, નિબંધ લેખન, હિન્દી અને અંગ્રેજી ભાષણની કેટલીક રેખાઓ, પ્રવચન વગેરે. આ દિવસે માતા તેમનાં બાળકોની શાળામાં જાય છે અને આ ઉજવણીમાં સામેલ છે.

શિક્ષકો અને વિદ્યાર્થીઓ માતાઓનું સ્વાગત કરવા માટે વર્ગખંડોને શણગારે છે. આ વિવિધ દેશોમાં વિવિધ દિવસોમાં અને દિવસો પર ઉજવવામાં આવે છે, જોકે ભારતમાં તે બીજા રવિવારના રોજ ઉજવવામાં આવે છે. બાળકો તેમની માતાને ખાસ કાર્ડ (ખાસ કરીને બાળકો દ્વારા બનાવવામાં આવે છે) માટે યોગ્ય સમયે તેમના શાળામાં આવવા માટે આમંત્રિત કરે છે, અને બાળકો અનપેક્ષિત ભેટ આપીને તેમની માતાને આશ્ચર્ય આપે છે. માતાના શુભેચ્છા કાર્ડ્સ, ખાસ કાર્ડ્સ અને તેમના બાળકો દ્વારા અન્ય ખાસ ભેટો મેળવે છે. આ દિવસે, પરિવારના સભ્યો બહાર જાય છે અને આનંદપ્રદ વાનગીઓ લે છે અને તેમની ખુશી ઉજવે છે. માતા પણ તેના પ્રિય બાળકોને ઘણો પ્રેમ અને ભેટો આપે છે અને તેની સંભાળ રાખે છે.

માતા તેના બાળકોની પસંદગી મુજબ મેક્રોન્સ, ચોઇમિન્સ, મીઠાઈઓ, બિસ્કિટ વગેરે જેવા વિશિષ્ટ વાનગીઓ બનાવે છે. આ દિવસે સંપૂર્ણ આનંદ સાથે ઉજવણી, માતા અને બાળક બંને નૃત્ય, ગાયક, વાણી વગેરે જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. મધર ડે જેવા કે ગાયન, નૃત્ય, વાણી, કવિતા વ્યાખ્યાન, નિબંધ લેખન અને મૌખિક વાતચીત વગેરે કાર્યક્રમોમાં બાળકો ભાગ લે છે. તહેવારના સમાપન સમયે માતાઓ દ્વારા ખાસ રશોઈ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બનાવવામાં આવે છે. બધા તેને એકસાથે ખાય છે અને તેનો આનંદ માણે છે.

માં એટલે દુનિયાનો સૌથી મધુર શબ્દ, ઈશ્વર ખુદને પણ જન્મ લેવા માટે માં ની જરૂર પડે છે આ મધર ડે તમે પણ કરો કઈક અલગ જેથી તમારા માતાને પણ વધુ સુખની અનુભૂતિ થાય, આ મધર ડે તમારા મમ્મીને આપો સ્પેશિયલ ગીફ્ટ જેથી મધર ડે નો સાચો અર્થ સાર્થક થાય.

તમારા માતાએ તમારી દેખરેખ સારી થાય તે માટે નોકરી છોડી દીધી હશે તો તેને પાછો ઉત્સાહ વધારીને નોકરી કરવામાં મદદ કરવી જોઈએ.

માતાએ બાળકોને મોટા કરવા માટે બહુજ સંધષ કર્યો હોય છે માટે તેની વધતી ઉમર સાથે તેને મદદ થાય તેવા ઉપકરણોને ધરમાં લઈને મદદ કરવી જોઈએ.

માતાનું ઋણ ચુકવવુંએ અશક્ય છે પરતું આ દિવસને યાદગાર બનવવા માટે તમે તમારા માતા ગમતા અને પ્રિય સ્થળે લઈ જાય શકાય છે અને વધુ માં તેમના ગમતા રેસ્ટોરન્ટમાં જમવા માટે અથવા એક દિવસ માતા બધાય કામ રજા આપીને આરામ આપવો જોઈએ.

માતા માટે જેટલું કરીએ એટલું ઓછુ છે પરતું માં ને તેમના માવતરામાં પણ આ દિવસે લય જાય શકાય જેથી તેમની જૂની યાદો અને માતા તથા તેમની જૂની બહેનપણીને મલાવીને પણ આ દિવસની ઉજવણી કરી શકાય છે.

જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય

જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ.....
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ......
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
💖 Dilu Rathod 💖
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

બુધવાર, 6 મે, 2020

દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ

દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ
 #બુદ્ધ પૂર્ણિમા સ્ટેટ્સ #બુદ્ધ પૂર્ણિમા 2020 #ગૌતમ બુદ્ધા #હેપ્પી બુદ્ધ પૂર્ણિમા #Dilu Diary

વૈશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે. વિશ્વભરમાં બૌદ્ધધર્મને અનુસરનારા લોકો આજે બુદ્ધ ભગવાનની વિશેષ આરાધનામાં જોડાશે.
                   
બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે.  આજે 2560મી બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
                                
બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવ પૂર્વક ઉજવે છે.
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો મૌર્ય યુગથી થયેલો છે. છે. આથી સૌરાષ્ટ્ર પ્રદેશ બુદ્ધનાં ઉપદેશોથી સુપેરે પરિચિત છે. ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રાચીન સમયનાં અનેક બૌદ્ધ સ્મારકો આવેલાં છે.
                        
ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્યા વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાં નહીં
 #બુદ્ધ પૂર્ણિમા સ્ટેટ્સ #બુદ્ધ પૂર્ણિમા 2020 #ગૌતમ બુદ્ધા #હેપ્પી બુદ્ધ પૂર્ણિમા #Dilu Diary
                  
ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ મહીનો પવિત્ર માસ મનાય છે. વૈશાખ શુક્લ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા અને પીપળ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન બુદ્ધની જયંતી અને નિર્વાણ દિવસ ખુબ જ ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. મહાત્મા બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે.

સુખી જીવન માટે બુદ્ધના ચાર સૂત્ર
વૈશાખ પૂર્ણિમાને ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલી ત્રણ અહમ વાતો-બુદ્ધનો જન્મ, બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ અને બુદ્ધના નિર્વાણના કારણે પણ વિશેષ તિથિ પણ માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધે ચાર સૂત્ર આપ્યા છે જેને 'ચાર આર્ય સત્ય'ના નામે ઓળખવામાં આવે છે. પહેલું દુ:ખ છે, બીજુ દુ:ખનું કારણ, ત્રીજુ દુ:ખનું નિદાન અને ચોથું માર્ગ એ છે જેનાથી દુ:ખનું નિવારણ થાય છે. ભગવાન બુદ્ધના અષ્ટાંગ માર્ગ એ માધ્યમ છે, જે દુ:ખના નિદાનનો માર્ગ બતાવે છે. તેમનો આ અષ્ટાગિંક માર્ગ જ્ઞાન, સંકલ્પ, વચન, કર્મ, આજીવ, વ્યાયામ, સ્મૃતિ અને સમાધિના સંદર્ભમાં સમ્યકતાથી સાક્ષાત્કાર કરાવે છે. 

ભગવાન બુદ્ધે બતાવ્યું દુ:ખનું કારણ
ગૌતમ બુદ્ધે મનુષ્યોના ઘણા દુ:ખોનું કારણ તેમના સ્વંયના અજ્ઞાન અને મિથ્યા દ્રષ્ટિને બતાવ્યા છે. મહાત્મા બુદ્ધે પહેલીવાર સારનાથમાં પ્રવચન આપ્યું હતું. તેમનો પ્રથમ ઉપદેશ 'ધર્મચક્રપ્રવર્તન' નામથી જાણવામાં આવે છે, જે એમણે અષાઢ પૂર્ણિમાના દિવસે પાંચ ભિક્ષુઓને આપ્યો હતો.

ભેદભાવ વગર તમામ વર્ગના લોકોએ મહાત્મા બુદ્ધની શરણ લીધી અને તેમના ઉપદેશોનું અનુસરણ કર્યું. કેટલાક દિવસોમાં પૂર્ણ ભારતમાં 'બુદ્ધ શરણ ગચ્છામિ, ધમ્મ શરણ ગચ્છામિ, સંઘ શરણમ્ ગચ્છામિ' નો જયઘોષ ગૂંજવા લાગ્યો. તેમણે કહ્યું કે માત્ર માંસ ખાનર અપવિત્ર નથી હોતો પરંતુ ક્રોધ, વ્યભિચાર, છળ, કપટ, ઇર્ષા અને બીજાની નિંદા પણ માણસને અપવિત્ર બનાવે છે. મનની શુદ્ધતા માટે પવિત્ર જીવન વિતાવવું જરૂરી છે.

મહાનિર્વાણ
ભગવાન બુદ્ધનો ધર્મ પ્રચાર 40 વર્ષો સુધી રહ્યો. અંતમાં ઉત્તરપ્રદેશના કુશીનગરમાં પાવાપુરી નામક સ્થાન પર 80 વર્ષની અવસ્થામાં ઇ.પૂ. 483 માં વૈશાખની પૂર્ણિમાના દિવસે મહાનિર્વાણ પ્રાપ્ત થયો.


કુશીનગરમાં લાગે છે વિશલા મેળો
બુદ્ધ પૂર્ણિમાના પર્વ પર કુશીનગરના મહાપરિનિર્વાણ મંદિરમાં એક મહીના સુધી ચાલનારા વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમા દેશ-વિદેશથી લાખો લોકો મેળામાં સામેલ થાય છે. ત્યારે આજના જ દિવસે બોધગયામાં જે બોધિવૃક્ષ (પીપળાનું વૃક્ષ) નીચે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તી થઇ હતી આ વૃક્ષના મૂળમાં દૂધ અને સુંગધિત પાણીનું સિંચન કરી પૂજા કરવામાં આવે છે.

વિદેશોમાં પણ ઉજવાય છે બુદ્ધ પૂર્ણિમા
બુદ્ધ પૂર્ણિમા ભારત ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. શ્રીલંકા, કંબોડિયા, વિયેતનામ, ચીન, નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, મ્યાન્માર, ઇન્ડોનેશિયા જેવા દેશ સામેલ છે. શ્રીલંકામાં આ દિવસને 'વેસાક' નામથી ઉજવવામાં આવે છે. જે નિશ્ચિત રૂપે વૈશાખનું અપભ્રંશ છે. આ દિવસે બૌદ્ધ અનૂયાયીઓ બૌદ્ધ વિહાર, અને મઠોમાં ભેગા થઇને એક સાથે ઉપાસના કરે છે. દીપ પ્રજવલિત કરી બુદ્ધની શિક્ષાઓનું અનુસરણ કરવાનો સંકલ્પ લેવામાં આવે છે.

ભગવાન બુદ્ધના એવો પ્રસંગો, જેમા દર્શાવામાં આવ્યું છે કે, બધા લોકોના વિચારો અને સમજની ક્ષમતાઓ અલગ-અલગ હોય છે. બધાના દિમાગ અલગ હોય છે. એટલા માટે એક જ વાત બધા લોકો માટે પોત-પોતાના મતે સમજે છે.

ભગવાન બુદ્ધ દરેક વાતને ત્રણ વખત સમજાવે છે. એક દિવસ આનંદે ભગવાન બુદ્ધને પૂછ્યું કે, તમે એક જ વાતને ત્રણ વખત કેમ સમજાવો છો? બુદ્ધે કહ્યું કે આજના પ્રવચનમાં સંન્યાસીઓની સાથે એક વેશ્યા અને ચોર પણ હતા. કાલે સવારે તમે ત્રણેય સંન્યાસી, વેશ્યા અને ચોરને પૂછજો કે કાલે સભામાં ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલું છેલ્લા પ્રવચનમાં તમે શું સમજ્યા?

આગળના દિવસની સવારે આનંદે જે પહેલા નજર આવ્યું તેને પૂછ્યું કે, કાલે રાતે તથાગત દ્વારા છેલ્લા પ્રવચનમાં કહ્યું હતું કે, પોત-પોતાનું કામ કરો. આ શબ્દોમાં તમે શુ સમજ્યાં? સંન્યાસીએ કહ્યું કે, આપણુ જે દૈનિક કર્મ છે ધ્યાન કરવાનું. આપણે ધ્યાન જ કરવું જોઈએ. આનંદને આવાજ જવાબની અપેક્ષા હતી. હવે તે નગર તરફ ચાલવાં લાગે છે.

આનંદ હવે ચોરના ઘરે પહોંચે છે, જે ભગવાન બુદ્ધના પ્રવચનમાં આવ્યો હતો. ચોરને આનંદએ તેજ પ્રશ્ન પૂછ્યો તો, ચોરે જવાબ આપતા કહ્યું કે મારૂ કામ ચોરી કરવાનું છે. કાલે રાતે મે એટલી મોટી ચોરી કરી કે, મારે હવે ચોરી કરવાની જરૂર નહી પડે. આનંદ સ્તબ્ધ થઈ જાય છે અને ત્યાંથી તે વેશ્યાના ઘરે જાય છે.

વેશ્યાના ઘરે પહોંચીને આનંદે ફરી પાછો તે પ્રશ્ન પૂછ્યો. વેશ્યાએ જવાબ આપતા કહ્યું કે, મારૂ કામ નાચવા-ગાવાનું છે. કાલે મે એ કામ કર્યું હતું. આનંદ આશ્ચર્યચકિત થઈને ત્યાંથી જાતો રહે છે અને ભગવાન બુદ્ધને પૂર્ણ વાત કહે છે.

ભગવાન બુદ્ધ કહે છે કે, આ સંસારમાં જેટલા પણ પ્રાણી છે તેટલા જ દિમાગો છે. વાત તો એક જ હતી, પરંતુ દરેક મનુષ્ય પોતાની સમજના હિસાબે તેમનો અર્થ કાઢે છે. તેનો કોઈ ઉપાય નથી આખી સૃષ્ટી આવી છે.


ગૌતમ બુદ્ધના ઉપદેશો
ગૌતમ બુદ્ધના ઉપદેશોને જો કોઈ પોતાના જીવનમાં અમલ કરે તો તે ધરતી પર પણ સ્વર્ગનો અનુભવ કરી શકે છે. બૌદ્ધ ધર્મે દુનિયાભરને શાંતિ અને પ્રેમનો સંદેશ આપ્યો છે. જેમાંથી કેટલાક વિચાર એવા છે જેને જીવન જીવવા માટે અમલમાં મુકવામાં આવે તો કોઈપણ પ્રકારનું દુ:ખ જીવનમાં રહેતું નથી. તો વાંચી લો કયા છે ગૌતમ બુદ્ધના 7 અનમોલ વચન.

1. દુનિયાના તમામ સુખ બીજાનું ભલું વિચારવાથી મળે છે જ્યારે દુ:ખ આત્મમુગ્ધ થવાથી મળે છે. એટલા માટે જ તેનાથી બચીને રહેવું જોઈએ.
2. કોઈના કહેલા કટુ વચનને ગ્રહણ કરવા કે નહીં તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. જો તેને ધ્યાનમાં લેવામાં ન આવે તો તે પરત બોલનાર પાસે જ પહોંચી જાય છે.
3. દુનિયાની દરેક વસ્તુ બદલવા માટે જ બની છે, કારણ કે તે તમામ એકબીજા સાથે જોડાયેલી છે.
4. માણસની જીભ ધારદાર ચાકુ જેવી છે. જે ચાલવાથી રક્ત વહેતું નથી પરંતુ તે અન્યને મારી પણ શકે છે.
5. જે વ્યક્તિ પોતાના ધર્મનો આદર કરે અને અન્યના ધર્મનો નિરાદર કરે તો તે પોતાના જ ધર્મને નુકસાન પહોંચાડે છે.
6. એક હજાર શબ્દો બોલવા કરતાં એક એવો શબ્દ બોલવો સારો જે મનને શાંતિ આપે.
7. દુ:ખ અને દગો સહન કર્યા પછી જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે.


પૉઝિટિવિટીથી ભરપૂર ભગવાન બુદ્ધના વિચાર
મહાત્મા બુદ્ધે કહેલી વાતો અને તેમની ફિલસૂફી એ કંઈ ખજાનાથી કમ નથી. જીવનમાં આપણને જ્યારે પણ હારનો અહેસાસ થાય અથવા જ્યારે પણ મન કોઈ પ્રકારનો ભય અનુભવે ત્યારે ભગવાન બુદ્ધે કહેલી અનેક વાતો વિશે માત્ર એકવાર વિચાર કરીશું તો મનને અનન્ય પૉઝિટિવિટી મળશે. અને જો એ અમુલ્ય વિચારોનો અમલ કરીશું તો જીવનમાં જ્વલંત સફળતા પણ મળશે. આજે વિશ્વભરમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવાઈ રહી છે તો પ્રસ્તુત છે ભગવાન બુદ્ધની વિચાર કર્ણિકાઓ…


  • માણસે જીવનમાં ક્યારેય શંકા ન કરવી. શંકા માત્ર સંબંધોને જ નહીં, પરંતુ માણસને પણ બરબાદ કરી દેતી હોય છે.
  • ક્રોધ કરવો એ બીજા પર ગરમ કોલસો ફેંકવાની ઈચ્છા બરાબર છે. જોકે બીજા પર કોલસો ફેંકાય  એ પહેલાં આપણો જ હાથ બળી જતો હોય છે.
  • ભૂતકાળ પર ધ્યાન ન આપો અને ભવિષ્યની ચિંતા ન કરો. તમારા મનને માત્ર વર્તમાન પર કેન્દ્રિત કરો.
  • જો તમે તમારી જાતને સાચા દિલથી પ્રેમ કરતા હશો તો તમે બીજાઓને ક્યારેય નહીં ધિક્કારી શકો.
  • શાંતિ તમારી અંદર જ છે, એને બહાર શોધવાનો પ્રયત્ન ન કરો.
  • તમે જે વિચારો છો એ જ તમે બનો છો. એટલે હંમેશાં શ્રેષ્ઠ વિચાર કરો.
  • કોઈ પણ મુકામ પર પહોંચવા કરતા મુકામ સુધી પહોંચવા માટેની યાત્રા ઘણી મહત્ત્વની હોય છે.
  • સાચો પ્રેમ હંમેશાં સમજણથી શરૂ થાય છે.
  • બીજાઓ પર વિજય પ્રાપ્ત કરવા કરતા પોતાની કમજોરીઓ પર વિજય પ્રાપ્ત કરવો એ ઘણી મોટી વાત છે.
  • બધું જ સમજતા હોવાનો અર્થ છે બધાને જ માફ કરી દેવું.
  • આપણે જો ફૂલ ખીલવા જેવી ઘટનાને પણ ચમત્કાર માનીશું તો આપણું સમગ્ર જીવન પણ એક ચમત્કાર જ છે એવું  પણ આપણે માનતા થઈ જઈશું.
  • ભૂતકાળ  વિતી ચૂક્યો છે અને ભવિષ્ય હજુ આવ્યું જ નથી. તમારી પાસે માત્ર વર્તમાન જ છે. એટલે આજની ક્ષણ જીવી લેવું અત્યંત અનિવાર્ય છે.
  • જે ક્ષણે તમે તમામ મદદો અને બીજા પરના આધારનો નકાર કરો છો એ જ ક્ષણે તમે મુક્ત થઈ જાઓ છો.
  • જે રીતે કોઈ પહાડ તેજ પવનથી વિચલિત નથી થતો એમ બુદ્ધિશાળી માણસ પ્રશંસા અને ટીકાથી વિચલિત નથી થતો.
  • એક ક્ષણ એક દિવસ બદલી શકે છે, એક દિવસ એક જીવન બદલી શકે છે અને એક જીવન સમગ્ર વિશ્વને બદલી શકે છે.

ગુરુવાર, 30 એપ્રિલ, 2020

ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છાઓ | ગુજરાત સ્થાપના દિવસ શુભકામનાઓ

ગુજરાત સ્થાપના દિવસ શુભેચ્છાઓ | ગુજરાત સ્થાપના દિવસ શુભકામનાઓ
શું તમને ખબર છે

સુર્યવંશી ગોહીલવંશના રાજાઓ આ રજવાડા પર શાસન કરતા આવ્યા છે. તેમનું મુળ વતન મારવાડ હતું. સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. એ કારણે મારવાડ છોડીને ગુજરાત બાજુ આવ્યા. ગુજરાતમાં એમણે સૌ પ્રથમ રાજધાની ઇ.સ. ૧૧૯૪માં સેજકપુર ને બનાવ્યું. ત્યાંથી તેઓ આગળ વધીને ઇ.સ. ૧૨૫૪માં રાણપુરમાં રાજધાની બદલી. ઇ.સ. ૧૩૦૯માં રાજધાની રાણપુરથી ખસેડી ઉમરાળામાં સ્થાપી.

ઇ.સ. ૧૫૭૦માં સિહોરમાં રાજધાની સ્થાપી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ૩-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. ૧૮૦૭થી ભાવનગર બ્રિટીશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું.

#ગુજરાત દિવસ 2020 #ગુજરાત દિવસની શુભેચ્છાઓ #ગુજરાત સ્થાપના દિવસ #ગુજરાત વિશે ખાસ


















રવિવાર, 15 માર્ચ, 2020

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગુજરાતી શાયરી અને ફોટા - ૮ માર્ચ

સ્ત્રીને પ્રેમનું સુખ નહી પણ સમ્માન આપજો,
તો તે પ્રેમ નહી પણ પણ પોતાનું સમર્પણ આપશે....
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
-------------------------------------------------------------------

સ્ત્રી👩 સાથે દોસ્તી🤝 કે દુશ્મની😠 કેમ થઈ શકે ? સાહેબ
સ્ત્રી સાથે તો માત્ર પ્રેમ જ થઈ શકે..
-------------------------------------------------------------------



સોમવાર, 28 ઑક્ટોબર, 2019

નવા વર્ષના પાવન પર્વની આપને અને આપના પરિવાર ને સુખ,શાંતિ,સમૃદ્ધિ આપે એવી મારી અને મારા પરિવાર તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છા.

🎊🎉💥🔥💥🎊🎉 👉 Happy New year👈
 નવા વર્ષના પાવન પર્વ ની
આપને અને આપના પરિવાર ને
    "સુખ,  શાંતિ  સમૃદ્ધિ"
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છા.......
🙏🏻🎉🎊Happy new year 🎉🎊 🙏🏻
--------------------------------------------------------------------------------

નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારની જીવનયાત્રામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ!!
✨ HAPPY NEW YEAR ✨
--------------------------------------------------------------------------------

આજ ના  શુભ દીને શરૂ થતુ નવું વર્ષ આપ ના અને આપ ના સર્વે કુટુંબીજનો ને સુખકારી, મંગલકારી, અને નિરોગી રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના.   આપ સર્વે ને સાલ મુબારક...💐💐💐
🎆HAPPY NEW YEAR🎆
--------------------------------------------------------------------------------

નુતનવર્ષાભિનંદન -
નવું આવનારું વરસ આપને તથા આપના પરિવાર માટે લાભદાયી, ફળદાયી, શુભદાયી રહે અને...
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારાં બધાંનું ખુબજ સારું રહે, એજ અમારી આપ સૌના માટે નવા વષૅની દિલથી શુભેચ્છા.
🎈 HAPPY NEW YEAR
--------------------------------------------------------------------------------

आप सभी को और आपके परिवार को दीपावली के पावन पर्व की हार्दिक शुभकामनाएं
ईश्वर से यही कामना है कि यह त्यौहार आपके जीवन में अनेकानेक सफलताएँ एवं अपार खुशियाँ लेकर आए
इस अवसर पर ईश्वर से यही प्रार्थना है कि वह वैभव, ऐश्वर्य,उन्नति, प्रगति,आदर्श, स्वास्थ्य,प्रसिद्धि और समृद्धि के साथ साथ आजीवन आपको जीवन पथ पर गतिमान रखे

दीपावली की हार्दिक शुभकामनाए
--------------------------------------------------------------------------------

સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
       દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
      નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,  સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય  એવી શુભકામનાઓ....
       💐🕯શુભ દિવાળી🕯💐
--------------------------------------------------------------------------------

🙏માફી માગવાની શરુઆત હું કરુ,
માફી આપવાની શરુઆત તમે કરો.
મારા થી કંઇ ભુલચુક થઇ હૉય,  કોઇ ની લાગણી દુભાઇ હૉય તૉ ,
આ વષૅ ના છેલ્લા દિવસો મા  અંતઃકરણથી
તમામ મીત્રૉ
🌹સ્નેહીજનૉ ની 💖🙏દિલ થી માફી માગુ છુ.🙏
--------------------------------------------------------------------------------
             
રાગ - દ્વેષ, વેર - ઝેર, ઈર્ષા, આસુરી વૃત્તિ, વિગેરે કાઢીને
પ્રેમ, શ્રધ્ધા, ભાવ, સત્કાર્ય માટે નિષ્ઠાપૂર્વક કર્મ કરવાનો સંકલ્પ કરીએ.
 Happy Diwali

શુક્રવાર, 25 ઑક્ટોબર, 2019

લાગણી થી ખળખળો તો છે દિવાળી, પ્રેમ ના રસ્તે વળો તો છે દિવાળી

લાગણી થી ખળખળો તો છે દિવાળી,
પ્રેમ ના રસ્તે વળો તો છે દિવાળી.

એકલા છે જે સફર માં જિંદગીની,
એમને જઈ ને મળો તો છે દિવાળી.

છે ઉદાસી કોઈ આંખો માં જરા પણ,
લઇ ખુશી એમાં ભળો તો છે દિવાળી.

જાત થી યે જેમણે ચાહયા વધારે,
એમના ચરણે ઢળો તો છે દિવાળી.

દીવડાઓ બહાર પ્રગટાવ્યે થશે શું
ભીતરેથી ઝળહળો તો છે દિવાળી.

ધનતેરસ આજે છે.
પણ
ધન ની તરસ બારે માસ છે..!!

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી