સોમવાર, 13 ફેબ્રુઆરી, 2023
રશિયામાં મોટાભાગની પરીક્ષાઓનો સર્વોચ્ચ સ્કોર 5 ગ્રેડ
બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020
એક કુંભાર અને ત્રણ ગધેડા
તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.એ માણસે કહ્યું કે, "તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર...કુંભારે એમ જ કર્યું !નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, તે ગધેડો પણ જાણે બાંધ્યો હોય એમ જ ઉભો હતો !!!
- શું એની પાસે ચાલવા માટે માર્ગ નહોતો ?
- શું તેની સામે મુક્તતાથી ચાલતા અન્ય બે ગધેડાઓનું ઉદાહરણ નહોતું ?
- શક્તિ નહોતી ?
- સપોર્ટ નહોતો ?
એનો માલિક તો એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો !!
.
.
બધું જ હતું..તો પછી,એને ચાલવાથી કોણ રોકતું હતું ?
*ક્યાંક આપણી સાથે તો એ ત્રીજા ગધેડા જેવું નથી બનતું ને..*
- મને શરમ આવે છે..
- મને તક નથી મળતી..
- મને કોઈ સપોર્ટ નથી મળતો..
- મને માર્ગ નથી મળતો..
- મારાથી આ નથી થઈ શકે તેમ..
વગેરે.. વગેરે..
જેને ઉડવું છે - એને *આકાશ* મળી રહે છે..
જરૂર છે... મારાથી તો હવે શું થઈ શકે ની માનસિકતામાંથી મુક્ત થવાની...
શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020
સિંહ -એક અબોલ જંગલનો રાજા
ટાઇટેનિક દુર્ઘટના
'સેમસન'વાળા એ લોકો છે જે ડુબતાની સહાય કરી શકતા હતા પણ પોતાની સ્વાર્થ વૃત્તિ બતાવીને મદદ ના કરતાં ત્યાંથી ભાગી ગયા.
બીજા કિસ્સામાં મદદ કરવા માગતા હતા પરંતુ આળસ કરી. સમયસર સહાયતા ના કરી. રાંડ્યા પછીનું ડહાપણ નકામું.
ત્રીજા કિસ્સાના ના લોકો ખરેખર મદદગાર પુરવાર થયા. ૭૦૦ થી વધુ લોકોને બચાવ્યા.
દોસ્તો, કોરોના ના સંકટ કાળમાં આપણી આજુ બાજુ ઘણા લોકો છે જેમને આપણી સહાયતાની જરૂરત છે. તમે બધાને મદદ ના કરી શકો પણ જેટલાને કરી શકતા હોવ એટલાને કરશો.
મંગળવાર, 18 ઑગસ્ટ, 2020
સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર
સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ.એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું,’દાદા ! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું?કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?’‘ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે.
છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.પાંચ વરસથી? શું થયું છે એમને? નર્સે પૂછ્યું. એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે.
દાદાએ જવાબ આપ્યો.મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી.‘દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,’ના ! જરા પણ નહીં, કારણ કે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !’નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?’
દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,’બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે?’ સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હેતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર.ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર !!!!!!!
તહેવારોની ઉજવણી
-ડૉ. નિમિત્ત ઓઝા
હું સુખ શોધી રહ્યો છું
રવિવાર, 15 માર્ચ, 2020
મેજર ધ્યાનચંદ -હોકી ના જાદુગર
❝ મેજર ધ્યાનચંદ 曆❞[ હોકી ના જાદુગર ]
━━━━━━━━━━━━━━━━━━━━━━━
જન્મ તારીખ :- 29 August 1905
રવિવાર, 1 ડિસેમ્બર, 2019
" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો "
આ વસ્તુ તમારું વ્યક્તિત્વ અને તમારો વ્યવહાર દર્શાવે છે .
આકાશ મનોજ :: એક ભારતીય બાળક
શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019
આજે મારા દાદાનું શ્રાદ્ધ છે
મારા થી બુમ પડાઈ ગઈ....ઓ ...દાદા રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો..? આવી રીતે રોડ ક્રોસ થાય ?
અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે પડી ગયા..
હું નીચે ઉતર્યો.દાદા નો હાથ પકડ્યો.દાદા નો હાથ ગરમ.ગળે ને માથે હાથ મુક્યો.એ પણ એકદમ ગરમ.દાદા તાવ થી ધ્રુજતા હતા.મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો.મેં દાદા નો હાથ પકડી કાર માં બેસાડ્યા.દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો.અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવાર ના કોઈ સભ્ય નો નંબર આપો.હું તેને દવાખાને બોલાવી લઉં.
દાદા..ભીની આંખે મારી સામે જોતા રહ્યા.
મેં કીધું..દાદા..એકલા રહો છો ?
હા.એટલું જ બોલ્યા...
પરિવાર મા કોઈ...?
કોઈ નથી ?...પત્ની હતી પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા.
હું..અમારા ફેમિલી ડૉક્ટર પાસે લઈ ગયો.ડૉક્ટર મારી સાથે દાદા ને જોઈ બોલ્યા,પંડ્યા દાદા.આરામ કરવાનું કીધુ..હતું...ફરીથી એકલા બહાર નીકળ્યા..?
મેં ડૉક્ટર સામે જોઈ કીધુ....તમે ઓળખો છો.દાદા ને ?
હા.. સારી રીતે...હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આતો અમારા પંડ્યા દાદા..છે.ડૉક્ટર દાદા નો તાવ માપી કીધુ દાદા ની ઉમ્મર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે.
પણ તેનો પરિવાર ?
ડૉક્ટર તેની રૂમ ની અંદર મને લઈ ગયા અને કીધુ દીકરો વહુ છે પણ તેમના થી જુદા થઈ ગયા છે.દાદા ને ગાંઠિયા બહુ ભાવે છે.દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં.ઝાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે.ઘડપણ છે.જુદું જુદું ખાવા ની ઈચ્છા પણ થાય.દાદા ને અઠવાડીયામાં બે વખત ગાંઠિયા જોવે જ એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા.ત્યાં સુધી વાંધો ન હતો...
એક દિવસ દીકરો વહુ બોલ્યા.તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દયો.દાદા એ કીધુ.હું મરી જાઉ પછી મિલકત તમારી જ છે.મારા જીવતા એ નહીં બને.
દીકરો કહે કેમ ના બને ?
દાદા કહે..તું નોકરી એ લાગ્યો.લગ્ન કર્યા.ભણાવી ને તૈયાર અમે કર્યો.અત્યારે પગાર મારા ખાતા માં જમા કરાવે છે કે તારા ખાતામાં ? રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે ? કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી માઁ માટે સાડી લાવ્યો ? જો તું બધું તારા પરિવાર નું વિચારતો હોય.તો મારે પણ મારૂ કેમ ન વિચારવું ?
બસ...આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા.એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા.દાદા એકલા પડી ગયા.આમ તો હું કોઈ ના ઘરે વિઝીટ માં નથી જતો.પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો.કારણ કે તેમણે મારા ઉપર વિશ્વાસ મુક્યો હતો.
ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા,દાદા ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા ? દાદા આવા તાવમા પણ હસી પડ્યા.હું બાજુ માં ગયો.માથે હાથ ફેરવી કિધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ? ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું.
દાદા એ મારો હાથ પકડી.કીધુ..બેટા 100ગ્રામ
મેં ડોક્ટર સામે જોયું.
ડોક્ટર સાહેબ .હસી ને મને હા પાડી.એમણે દાદા ને અંદરના રૂમ માં સુવાડી.ઇંજેકશન આપ્યું અને કહ્યું.આરામ કરો ત્યા સુધી મા પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવે.
હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો.ગાંઠિયા લઈ ને હું પાછો આવ્યો.ડોક્ટર મારી રાહ જોતા હતા.હું દોડી અંદર ગયો.ડોક્ટર કહેરેહવા દ્યો.પ્રતિકભાઈ
મેં કીધું કેમ શુ થયું..? સાહેબ
દાદા...હવે આ દુનિયા માં નથી રહ્યા.મારા હાથ માંથી ગાંઠિયા નું પેકેટ નીચે પડી ગયું.
ફક્ત એક કલાક ના અજણયા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુ ને રોકી શક્યો નહીં.જે માઁ બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય એ આવી રીતે ઘડપણ મા તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે ?
મેં ઑફિસે ફોન કરી કીધુ.આજે મારા દાદાનું શ્રાદ્ધ છે.હું ઑફિસે નહીં આવી શકું.
ડોક્ટર સાહેબ બોલ્યા.ભાઈ પ્રતિક તેં એક માનવતાનું કામ કર્યું છે.આજે મારૂ દવાખાનું પણ દાદાના માનમા બંધ રહેશે.
ડોક્ટર સાહેબ બોલ્યા પ્રતિકભાઈ તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી.
તેમના પુત્ર નો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરી દઈએ.
અગત્યની વાત એ છે દાદાએ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબને આપીને ગયા હતા અને કીધુ હતું મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવા ની જવાબદારી
ડૉકટર સાહેબ તમારી છે.મારો મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે...
દાદા ના વિલ પ્રમાણે તેમની મિલકતનો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચા ની દુકાન ખોલવી.ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિ ને મફતમા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી.ગાંઠિયાની દુકાન નું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.બાકી ના 25 % રકમ માંથી ગરીબ વ્યક્તિઓને તમારે દવા આપવી.
મેં કીધું...વાહ દાદા..વાહ..આનું નામ સાચું દાન.મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમો ને રૂપિયાની જરૂર નથી.જરૂર સમાજ ને છે.
આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે ન કરવું હોય તો કાંઈ નહીં જીવતા સાચવો સ્વર્ગમાં કોઈ ટિફિન વ્યવસ્થા નથી.
મિત્રો મરતી વખતે ગંગા જળની કોઈ જરૂર તેઓ ને નથી.ઘરડી વ્યક્તિઓ ને ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃપ્ત થઇ જશે.
સોમવાર, 15 એપ્રિલ, 2019
એક વાર !, માતા યશોદા નદી કિનારે બેસી ને માઁ યમુનાજી ની પૂજા કરતા હતા !,
એક વાર !,
માતા યશોદા નદી કિનારે બેસી ને માઁ યમુનાજી ની પૂજા કરતા હતા !,
વૃક્ષ ના પર્ણો માં વાટ ના દીવાઓ કરી ને નદીના જળ પ્રવાહ માં વહાવતાતા !,
તેમણે જોયું, કે તેમના થી થોડે દુર !, કાનો, નદીના જળ માંથી, દીવાઓ કાઢી કાઢી ને નદી કિનારે, પાળી પર મુકે છે !,
એટલે માતાએ પૂછ્યું કે તું આ શું કરે છે ?, લલ્લા !,
તો, કાન્હા એ કાલી-કાલી ભાષામાં જવાબ આપ્યો !,
કે, મૈયા !, હું આ દીવાઓ ને ડૂબતા બચાવું છું !,
માતાએ ગમ્મત માં પૂછ્યું !, કે આટલા બધા દીવાઓ તો, પાણીના પ્રવાહ માં તણાય જાય છે !, તેનું શું ?, લલ્લા !,
કાન્હા એ જવાબ આપ્યો !,
મેં થોડી કાઈ બધાંજ દીવાઓ ની જવાબદારી લીધી છે ?,
આ પ્રવાહ માં !, જે દીવાઓ મારી તરફ આવે છે !, તેને હું બચાવું છું !,
જેમને, સમજાય તેને અભિનંદન !,
જય શ્રી કૃષ્ણ
મંગળવાર, 2 એપ્રિલ, 2019
સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ....
સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ....
રામકૃષ્ણ મિશનના એક સંતનો ઇન્ટરવ્યૂ ન્યૂયોર્કના એક પત્રકાર દ્વારા લેવાઈ રહ્યો હતો. પહેલેથી તૈયારી કર્યા મુજબ પત્રકાર સંતને પ્રશ્નો પૂછી રહ્યો હતો.
પત્રકાર - "સર, તમારા ગત પ્રવચનમાં તમે અમને જોગાજોગ (સંપર્ક) અને સંજોગ (જોડાણ) અંગે કહ્યું હતું. પણ એ મૂંઝાવનારું છે. તમે એ ફરી થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકશો? "
સંતે સસ્મિત પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પત્રકારને પ્રતિ પ્રશ્ન કર્યો, "શું તમે ન્યૂયોર્કથી આવો છો?" પત્રકારે હકારમાં જવાબ આપ્યો.
સંત - "તમારે ઘેર કોણ કોણ છે?"
પત્રકારને લાગ્યું કે સંત તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ તેમનો આ સામો પ્રશ્ન અતિ અંગત અને બિનઅપેક્ષિત અને બિનજરૂરી જણાતો હતો.
આમ છતાં પત્રકારે જવાબ આપ્યો," મારી માતા મૃત્યુ પામી છે. પિતા હયાત છે. મારા ત્રણ ભાઈઓ અને એક બહેન છે જે બધાં પરણેલા છે."
સંતે મુખ પરનું સ્મિત જાળવી રાખતા પૂછ્યું, "શું તમે તમારા પિતાજી સાથે વાતચીત કરો છો?"
પત્રકારના મુખ પર સ્પષ્ટ દેખાય એવા અણગમાના ભાવ ઉપસી આવ્યાં. સંતે આગળ ચલાવ્યું, "તેમની સાથે તમે છેલ્લે ક્યારે વાત કરી હતી?"
પત્રકારે પોતાની નારાજગી દબાવી જવાબ આપ્યો, "કદાચ એક મહિના પહેલા."
સંતે નવો પ્રશ્ન પૂછ્યો, "તમે બધાં ભાઈ - બહેન વારે ઘડીએ મળો છો? તમારા પરિવારનું સમૂહ મિલન છેલ્લે ક્યારે મળ્યું હતું? “
હવે પત્રકારના કપાળે પરસેવાના ટીપાં બાઝી ગયાં. ઇન્ટરવ્યૂ કોણ લઈ રહ્યું હતું પત્રકાર કે સંત? એમ લાગતું હતું કે જાણે સંત પત્રકારનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય!
નિસાસા સાથે પત્રકારે જવાબ આપ્યો, "બે વર્ષ અગાઉ અમે બધાં સાથે નાતાલ વખતે મળ્યાં હતાં."
સંતે પૂછ્યું, "કેટલાં દિવસ તમે બધાં સાથે રહ્યાં હતાં?"
પત્રકારે કપાળ પરથી પરસેવો લૂછતાં જવાબ આપ્યો, "ત્રણ દિવસ..."
સંતે પૂછ્યું, "તમારા પિતાની બરાબર બાજુમાં બેસીને તમે કેટલો સમય પસાર કર્યો હતો? “
પત્રકારે હવે મૂંઝારો અને શર્મિંદગી અનુભવતા કાગળ પર કંઈક લખવાનું શરૂ કર્યું.
સંતના પ્રશ્નોનો જાણે અંત જ નહોતો આવતો! તેમણે પૂછ્યું," તમે સવારનો નાસ્તો, બપોરનું જમણ કે રાત્રિનું ભોજન સાથે લીધા હતા? તમે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ છે? તમે તેમને પૂછ્યું હતું કે તમારી માતાના અવસાન પછી તેમનો સમય કઈ રીતે પસાર થઈ રહ્યો છે?"
પત્રકારની આંખોમાંથી અશ્રુની સરવાણી વહી રહી.
સંતે પત્રકારનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું," દુ:ખી કે નારાજ ન થાઓ. જો મેં અજાણતા તમને દુભવ્યા હોય તો હું એ બદલ દિલગીર છું, મને માફ કરી દેશો...
પણ આ તમારા જોગાજોગ અને સંજોગ(સંપર્ક અને જોડાણ) અંગે ના પ્રશ્ન નો જવાબ છે. તમારો તમારા પિતા સાથે સંપર્ક છે પણ તમારું તેમની સાથે જોડાણ નથી. તમે તેમની સાથે જોડાયેલા નથી. જોડાણ હ્રદયથી હ્રદય સાથેનું હોય છે. સાથે બેસવું, સાથે જમવું, એકમેકની કાળજી કરવી, સ્પર્શ, હાથ મિલાવવો, આંખમાં આંખ મિલાવવી, સાથે સમય પસાર કરવો... આ બધું જોડાણમાં હોય છે. તમે બધાં ભાઈ-બહેન પણ સંપર્કમાં છો, પણ તમારી વચ્ચે જોડાણ નથી.
પત્રકારે આંખો લૂંછતાં કહ્યું, "મને આ ક્યારેય ન ભૂલી શકાય એવો સુંદર પાઠ શીખવવા બદલ તમારો ખૂબ આભાર."
આ આજના સમયની વાસ્તવિકતા છે. ઘરમાં કે સમાજમાં બધાં સંપર્કમાં હોય છે પણ તેઓનું એકમેક સાથે જોડાણ હોતું નથી. તેમની વચ્ચે સંવાદ નથી સધાતો, દરેક પોતપોતાની દુનિયામાં ડૂબેલા હોય છે.
ચાલો, આપણે સંકલ્પ કરીએ કે માત્ર સંપર્કો ન વધારતા, આત્મીયજનો સાથે જોડાણ સાધીશું,તેમની કાળજી કરીશું, તેમની સાથે સુખ દુઃખ વહેંચીશું અને તેમની સાથે સમય વ્યતિત કરીશું.
આ સંત એ બીજું કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતાં...
શુક્રવાર, 22 માર્ચ, 2019
आत्मा की ज्योति
“महात्मन्! बताइए कि एक व्यक्ति किस ज्योति से देखता है और काम लेता है?”
याज्ञवल्क्य ने कहा....
“यह तो बिल्कुल बच्चों जैसी बात पूछी आपने महाराज। यह तो हर व्यक्ति जानता है कि मनुष्य सूर्य के प्रकाश में देखता है और उससे अपना काम चलाता है।”
इस पर जनक बोले...
“और जब सूर्य न हो तब?”
याज्ञवल्क्य बोले...
“तब वह चंद्रमा की ज्योति से काम चलाता है।”
तभी जनक ने टोका....
“और जब चन्द्रमा भी न हो तब।”
याज्ञवल्क्य ने जवाब दिया...
“तब वह अग्नि के प्रकाश में देखता है।”
जनक ने फिर कहा...
“और जब अग्नि भी न हो तब।”
याज्ञवल्क्य ने मुस्कराते हुए कहा....
“तब वह वाणी के प्रकाश में देखता है।”
जनक ने गंभीरतापूर्वक उसी तरह पूछा....
“महात्मन् यदि वाणी भी धोखा दे जाए तब।”
याज्ञवल्क्य ने उत्तर दिया....
“राजन् तब मनुष्य का मार्ग प्रशस्त करने वाली एक ही वस्तु है-आत्मा। सूर्य, चंद्रमा, अग्नि और वाणी चाहे अपनी ज्योति खो दें पर आत्मा तब भी व्यक्ति के मार्ग को प्रशस्त करती है।”
इस बार जनक संतुष्ट हो गए।
**********
🙏“आपका दिन शुभ हो!!”🙏
બુધવાર, 20 માર્ચ, 2019
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે!
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને?
હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.
કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી,
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
મીનરલ વૉટરથી તો આંસુ છે સસ્તા,
ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે-
ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે!
- કૃષ્ણ દવે
ગુરુવાર, 14 માર્ચ, 2019
कहीं "मेरा भारत महान" लिख देने से कोई देश महान नही बन जाता,देश के नागरिकों की सोच महान होनी चाहिए!
जापान मे ट्रेन की सीट फटी हुई थी,एक जापानी नागरिक ने अपनी बैग में से सूई धागा निकाला और सीट की सिलाई करने लगा!
.
एक भारतीय नागरिक भी उसी ट्रेन मे था,उसने पूछा,क्या आप रेल्वे के कर्मचारी है?
उसने कहा,नहीं मैं एक शिक्षक हूं,मैं इस ट्रेन से हर रोज अप डाउन करता हूँ,जाते वक्त इस सीट की खस्ता हालत देखकर वापस आते वक्त बाजार से सुई धागा खरीद लाया हूँ।
मुझे महसूस होता था कि अगर कोई विदेशी नागरिक इसे देखेगा तो मेरे देश की कितनी बेईज्जती होगी ऐसा सोच के सीट की सिलाई कर रहा हूँ!
---------------
जो नागरिक देश की इज्जत अपनी इज्जत समझता हो,जिस देश के नागरिको की सोच महान हो,वो देश विकसित और महान बन जाता है,जापान आज इतना विकसित हो गया है की हम उससे बुलेट ट्रेन खरीद रहे है!
कहीं "मेरा भारत महान" लिख देने से कोई देश महान नही बन जाता,देश के नागरिकों की सोच महान होनी चाहिए!