ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ પ્રેરક પ્રસંગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેરક પ્રસંગ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 13 ફેબ્રુઆરી, 2023

રશિયામાં મોટાભાગની પરીક્ષાઓનો સર્વોચ્ચ સ્કોર 5 ગ્રેડ

Courtesy: Harish Modha
રશિયામાં ભણતો એક વિદ્યાર્થી કહે છે : રશિયામાં મોટાભાગની પરીક્ષાઓનો સર્વોચ્ચ સ્કોર 5 ગ્રેડ છે.જો કોઈ વિદ્યાર્થી કોઈ પ્રશ્નનો બરોબર જવાબ ન આપે, તેની પરીક્ષાનું પેપર કોરું પાછું આપે તો પણ તેને 5 માંથી 2 ગ્રેડ મળે છે.
મોસ્કોની યુનિવર્સિટીના મારા શરૂઆતના દિવસોમાં હું આ પદ્ધતિ વિશે જાણતો ન હતો એટલે મને આશ્ચર્ય થયું. મેં ડૉ. થિયોડોર મેદ્રેવને પૂછ્યું : "શું આ વાજબી કહેવાય કે વિદ્યાર્થી કોઈ પણ પ્રશ્નનો જવાબ ન આપે અને તમે તેને 5 માંથી 2 આપો ? તેને શૂન્ય કેમ નથી આપતા ? શું શૂન્ય આપવું તે યોગ્ય રીત ન કહેવાય ?"

એણે જવાબ આપ્યો :
"આપણે કોઈ વ્યક્તિને શૂન્ય કેવી રીતે આપી શકીએ? જે કોઈ વ્યક્તિ રોજ સવારે સાત વાગ્યે ઊઠીને બધાં લેકચરોમાં હાજરી આપવા આવતી હોય તેને આપણે કેવી રીતે શૂન્ય આપી શકીએ ?

આપણે તેને શૂન્ય કેવી રીતે આપી શકીએ કે જે આ ઠંડીની મોસમમાં ઉઠી ને, અને જાહેર પરિવહનનો ઉપયોગ કરીને સમયસર પરીક્ષા આપવા પહોંચી ગયો હોય અને પ્રશ્નો હલ કરવાનો પ્રયત્ન કર્યો હોય ?

તેને શૂન્ય કેવી રીતે આપી શકીએ જેણે રાતોના ઉજાગરા કરી અભ્યાસ કર્યો હોય અને ભણવા માટે પેન નોટબુક તથા કોમ્પ્યુટર પાછળ પૈસા ખર્ચ્યા હોય ?

બેટા અહીં અમે કોઈ વિદ્યાર્થીને ફક્ત તેને જવાબોની ખબર નથી એટલે શૂન્ય નથી આપતા, અમે ઓછામાં ઓછું એ હકીકતને માન આપવાનો પ્રયાસ કરીએ છીએ કે તે એક માનવી છે, તેની પાસે મગજ છે, અને તેણે પ્રયાસ કર્યો. અમે જે રીઝલ્ટ આપીએ છીએ, તે ફક્ત પરીક્ષાના પેપરના પ્રશ્નો માટે જ નથી, તે એ હકીકતની પ્રશંસા અને આદર દર્શાવવા વિશે પણ છે કે અંતે તો તે એક માનવ છે અને ગુણ મેળવવાને પાત્ર છે. "

ડો. થિયોડોર મેદ્રેવનો આ જવાબ સાંભળી તેની શી પ્રતિક્રિયા આપવી તે મને સૂઝ્યું નહિં. બસ મારી આંખો આંસુ થી છલકાઈ ગઈ. ત્યારે મને માનવીનું અને માનવતાનું મૂલ્ય સમજાયું.

શૂન્ય ગુણ ખરેખર તો વિદ્યાર્થીઓના મોટિવેશનને ઘટાડી શકે છે. વિદ્યાર્થીને ખતમ પણ કરી શકે છે.
વિદ્યાર્થી તેના અભ્યાસમાં રસ અને કાળજી લેવાનું બંધ કરી શકે છે. એકવાર ગ્રેડ બુકમાં શૂન્ય ગુણ આવ્યા પછી, વિદ્યાર્થી હતાશ થઈને એવું માની શકે કે તે પોતાના વિશે તે કંઇ કરી શકે તેમ નથી !!

મા-બાપ, શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષકો માટે આ અગત્યનો સંદેશ છે.

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020

એક કુંભાર અને ત્રણ ગધેડા

એક કુંભાર પાસે ત્રણ  ગધેડા અને બે દોરડા હતાં.
પોતાને નદીમાં ન્હાવા માટે જવું હતું એટલે તેણે ગધેડાઓને દોરડાથી બાંધવાનું વિચાર્યું પણ, દોરડા તો બે જ હતાં અને ગધેડા ત્રણ !

તેણે એક ડાહ્યા માણસની સલાહ લીધી.એ માણસે કહ્યું કે, "તું બે ગધેડાને, ત્રીજો ગધેડો જુએ તે રીતે બાંધ અને પછી ત્રીજા ગધેડાને (ખોટે ખોટે) બાંધવાની ફક્ત એક્શન કર...કુંભારે એમ જ કર્યું !નહાઈને, બહાર આવીને જોયું તો, જેને નહોતો બાંધ્યો, તે ગધેડો પણ જાણે બાંધ્યો હોય એમ જ ઉભો હતો !!!
કુંભારે બે ગધેડાઓને છોડયાં અને ચાલવા માંડ્યો પણ, એનાં આશ્ચર્ય વચ્ચે ત્રીજો ગધેડો પોતાનાં સ્થાનેથી હલ્યો પણ નહીં ! ધક્કો માર્યો તો પણ નહીં !

કુંભારે ફરી પેલા ડાહ્યા માણસને પૂછ્યું..પેલા ડાહ્યા માણસે કહ્યું કે, "શું તે એ ત્રીજા ગધેડાને છોડેલો ?"
કુંભાર કહે કે, *"પણ મેં તેને બાંધ્યો જ ક્યાં હતો !!"*
ડાહ્યા માણસે કહ્યું કે, "એ તું જાણે છે... પણ, ગધેડો તો પોતાને બંધાયેલો જ સમજે છે.. તું એને (ખોટે ખોટે) છોડવાનું નાટક કર.."
કુંભારે તેમ કર્યું, તો તેના આશ્ચર્ય વચ્ચે હવે ત્રીજો ગધેડો પણ હવે ટેસથી ચાલવા લાગ્યો..!!!

જરા વિચારો... કે એ ત્રીજા ગધેડાને કોણ અટકાવતું હતું ?
- શું એની પાસે તક નહોતી ?
- શું એની પાસે ચાલવા માટે માર્ગ નહોતો ?
- શું તેની સામે મુક્તતાથી ચાલતા અન્ય બે ગધેડાઓનું ઉદાહરણ નહોતું ?
- શક્તિ નહોતી ?
- સપોર્ટ નહોતો ?
એનો માલિક તો એને ચલાવવા માટે રીતસર ધક્કા મારતો હતો !!
.
.
બધું જ હતું..તો પછી,એને ચાલવાથી કોણ રોકતું હતું ?
મિત્રો,
*ક્યાંક આપણી સાથે તો એ ત્રીજા ગધેડા જેવું નથી બનતું ને..*
*આપણે પણ ક્યારેક આપણી સાવ ખોટી શરમ, સંકોચ, ક્ષોભ અને કુંઠિત મનોવૃત્તિના કાલ્પનિક દોરડાથી બંધાયેલા હોઈએ છીએ..*
- મને સંકોચ થાય છે..
- મને શરમ આવે છે..
- મને તક નથી મળતી..
- મને કોઈ સપોર્ટ નથી મળતો..
- મને માર્ગ નથી મળતો..
- મારાથી આ નથી થઈ શકે તેમ..
વગેરે.. વગેરે..

ખરેખર
જેને ઉડવું છે - એને *આકાશ* મળી રહે છે..
જેને ગાવું છે - એને *ગીત* મળી રહે છે..
જેને ચાલવું છે - એને *દિશા* મળી જ રહે છે.
જરૂર છે... મારાથી તો હવે શું થઈ શકે ની માનસિકતામાંથી મુક્ત થવાની...
*ચાલો...આપણે આપણાં મનમાં જ કાલ્પનિક રીતે ઉભી કરેલી આવી બંધનવૃત્તિ થી છૂટીએ અને સાચા અર્થમાં સમાજ સેવા કરીએ*

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

સિંહ -એક અબોલ જંગલનો રાજા

સિંહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્ચું છે. સિંહે ધીમેથી તે બચ્ચાંને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું. કારણ કે બચ્ચું મૃત્યુ પામ્યું હતું. મૃત બચ્ચાંને જમીન પર મુકીને લંગડાતા પગલે સિંહ ચાલી નીકળ્યો.
જે ફોટોગ્રાફર આ તમામ ફોટા લઇ રહ્યો હતો. તેને શંકા થઇ કે સિંહ કશુક બોલી જ શક્યો નહોતો અને શાંત થઇ ગયો હતો. ફોટોગ્રાફરે તમામ હિંમત ભેગી કરીને તેની પાસે ગયો ત્યારે તેણે જોયું સિંહ મૃત્યુ પામ્યો હતો.

મૃત સિંહને વેટરન ડોકટર પાસે મોકલવામા આવ્યો જેથી તે સિંહ ના મૃત્યુ નું કારણ જાણી શકે. ડોકટરે તપાસ કરતા જાણ થઇ કે સિંહ ને હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણે તે મૃત્યુ પામ્યો હતો.

આ ફોટોગ્રાફ અને ફોટોગ્રાફર સમજાવે છે સિંહ જેવું હદય રાખવાનો એ અર્થ નથી કે તમે તમારાથી નબળાનો જીવ લઇ લો, પરંતુ તમારું હદય તે દુખ સહન ના કરી શક્યુ કે એક નિર્દોષ માતા અને તેને બાળકના મૃત્યુને કારણે તમે જે દુખનો અહેસાસ કર્યો હતો.

એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે...

ટાઇટેનિક દુર્ઘટના

ટાઇટેનિક દુર્ઘટના
ટાઇટેનિક જયારે ડૂબી રહી હતી ત્યારે એની નજીકમાં ત્રણ જહાજ હતા જે ટાઇટેનિકને કપરા સમયમાં મદદ કરી શક્યા હોત પણ એમાંથી બે એ ના કરી. ચાલો જોઈએ એ જહાજો કયા હતા અને એમણે મદદ કેમ ના કરી?
સૌથી નજીક જહાજ જે હતું એનું નામ 'સેમસન' હતું. એ ટાઇટેનિકથી ફક્ત ૭ માઈલ દૂર હતું. એના કેપટને ટાઇટેનિકમાંથી સહાયતા માટે આકાશમાં છોડેલા સફેદ અગન ગોળા ફક્ત જોયાજ ના હતાં પરંતુ એમાં સવાર સહેલાણીઓના રડવાનો અવાઝ પણ સાંભળ્યો હતો અને તેમ છતાં સહાયતા ના કરી. કારણ હતું એ લોકો અમૂલ્ય એવી મચ્છલીઓનું એ વખતે ગૈર કાનૂની શિકાર કરી રહ્યા હતા અને એમને પકડાઈ જવાનો ડર લાગ્યો! એ લોકોએ 'સેમસન' બીજી જગ્યાએ લઇ ગયા.

ટાઇટેનિકની નજીક જે બીજું જહાજ હતું એનું નામ 'કેલિફોર્નિયાન' હતું. એ ટાઇટેનિકથી ૧૪ માઈલ દૂર હતું. એના  કેપટને પણ પેસેન્જરોના અવાજ સાંભળ્યા હતા. પોતાની કેબિનમાંથી બહાર નીકળી એણે પણ પેલા સફેદ અગન ગોળા જોયા હતા. પણ ટાઇટેનિક હિમશિલાઓથી ઘેરાયેલું હતું, એને હિમશીલાઓ ફરતે થઇ જવું પડ્યું હોત. એણે નક્કી કર્યું કે સવારે જઈશ અને સુવા ચાલ્યો ગયો અને સવાર થવાની રાહ જોવા લાગ્યો. એ સવારે જયારે ટાઇટેનિકના લોકેશન પર પહોંચ્યો ત્યારે એણે એના (ટાઇટેનિકના) કેપ્ટાન એડવર્ડ સ્મિથ સાથે ડૂબી ગયાને ૪ કલાક થઇ ગયા હતાં.

ત્રીજો જહાજ 'કાર્પેથિયા' ટાઇટેનિકથી ૬૮ માઈલ દૂર હતો. એના કેપટને રેડીઓ પર ટાઇટેનિકના લોકોની ચીખો સાંભળેલી. એ જહાજ બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યું હતું અને તે છતાં એના કેપટને ખરાબ હવામાન અને હિમશિલાઓની પરવાહ કર્યા વિના પોતાના જહાજને ટાઇટેનિક તરફ વાળ્યો. એ જયારે દુર્ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ટાઇટેનિકને ડુબ્યાને ૨ કલાક થઇ ગયા હતા. પણ આ એજ જહાજ હતું જેણે ટાઇટેનિકના ૭૧૦ પેસેન્જરોના જીવ બચાવેલાં.

આ ત્રીજા જહાજના કેપ્ટાન આર્થો રોસ્ટનને બ્રિટનમાં બહાદુરી માટે અનેક ઇનામો અને એવોર્ડ્સ અપાયેલાં. એમનું થેરે, ઠેર સન્માન કરાયું હતું.
ઉપરોક્ત પોસ્ટમાં ત્રણ ઉદાહરણો છે. આ ઉદાહરણો આપણા સમાજ અને દુનિયામાં બધે જોવા મળે છે.
'સેમસન'વાળા એ લોકો છે જે ડુબતાની સહાય કરી શકતા હતા પણ પોતાની સ્વાર્થ વૃત્તિ બતાવીને મદદ ના કરતાં ત્યાંથી ભાગી ગયા.

બીજા કિસ્સામાં મદદ કરવા માગતા હતા પરંતુ આળસ કરી. સમયસર સહાયતા ના કરી. રાંડ્યા પછીનું ડહાપણ નકામું.

ત્રીજા કિસ્સાના ના લોકો ખરેખર મદદગાર પુરવાર થયા. ૭૦૦ થી વધુ લોકોને બચાવ્યા.
દોસ્તો, કોરોના ના સંકટ કાળમાં આપણી આજુ બાજુ ઘણા લોકો છે જેમને આપણી સહાયતાની જરૂરત છે. તમે બધાને મદદ ના કરી શકો પણ જેટલાને કરી શકતા હોવ એટલાને કરશો.

મંગળવાર, 18 ઑગસ્ટ, 2020

સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર

મસ્ત સ્ટોરી છે અચૂક વાંચજો, મજા આવશે!! ! પ્રેમ કરવો..........!!!
સવારના નવ વાગ્યાની આસપાસનો સમય હતો.પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા પરદેશના વેઇટિંગ રૂમમાં બેઠા હતા. ડ્યુટી પરની નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી. પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો.દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ.એ પછી એ નર્સે અંદર જઇ ડૉકતરને જાણ કરી. ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી.નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા. પછી પૂછ્યું,’દાદા ! તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું?કોઇ બીજા ડૉક્ટરને બતાવવા માટે જવાનું છે?’‘ના બહેન! પરંતુ ફલાણા નર્સિંગ હોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે. એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે.

છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે. છેલ્લાં પાંચ વરસથી એ નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે.પાંચ વરસથી? શું થયું છે એમને? નર્સે પૂછ્યું. એને સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનો રોગ થયેલો છે.

દાદાએ જવાબ આપ્યો.મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી.એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી.‘દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે કે તમારા પર ખિજાશે ખરાં?દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,’ના ! જરા પણ નહીં, કારણ કે છેલ્લાં પાંચ વરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે ચાલી ગઇ છે, એ કોઇને ઓળખતી જ નથી. હું કોણ છું એ પણ એને ખબર નથી !’નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ ગયું, ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો? તમે આટલી બધી કાળજી લો છો, પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?’

દાદાએ નર્સનો હાથ પોતાના હાથમાં લઇ હળવેથી કહ્યું,’બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છે ને કે એ કોણ છે?’ સાચો પ્રેમ એટલે… સામી વ્યક્તિ જેમ છે તેમ તેનો સંપૂર્ણ સ્વીકાર. એના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. જે હેતુ તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર.ભવિષ્યમાં જે હશે તેનો સ્વીકાર અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વીકાર !!!!!!!

તહેવારોની ઉજવણી

પેટ્રોલ પંપ પર કામ કરતા બે લોકોને આજે વાતો કરતા સાંભળ્યા. એ બંનેને આનંદ એ વાતનો હતો કે તહેવારના દિવસોમાં તેમણે 80 રૂપિયામાં ચાર શાક, બે ફરસાણ અને એક મીઠાઈ ખાધી. અને એટલામાં એમનો તહેવાર સુધરી ગયો. માસ્કથી ઢંકાયેલા ચહેરા પાછળથી પણ એમનું સુખ કોરોનાની જેમ સ્પ્રેડ થતું'તું.
આપણી Unsatisfied desires ની પેલે પાર એક જગત આવું પણ છે જ્યાં લોકો ફક્ત survival mode માં જીવતા હોય છે. એમને મેળામાં ન જઈ શકવાનો, નવરાત્રી ન ઉજવી શકવાનો કે ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ ન કરી શકવાનો અફસોસ નથી હોતો. તેઓ ફક્ત survive થયા નું સુખ ઉજવવા માં વ્યસ્ત હોય છે. આજ નો દિવસ જીવી ગયા, પેટ ભરી ને ખાઈ લીધું, આજ નો દિવસ survive કરી ગયા, એ વાત નો આનંદ. આવતી કાલે ફરી પ્રયત્ન કરશું, આવતી કાલ નો દિવસ survive કરવાનો.

સુખ કેટલું સબ્જેક્ટીવ હોય છે નહીં ? ગામડામાં રહેતા કેટલાય લોકો તહેવારોની ઉજવણી તીખા ભૂંગળા-બટેટા અને પાણીપુરી ખાઈને કરશે, તો કેટલાક આખી રાત પત્તા રમીને. નજીકના કોઈ દરજી પાસે તહેવારો માટે ખાસ સિવડાવેલા એક જોડી કપડા અને નવા નક્કોર માસ્ક પહેરીને પણ કેટલાક લોકો તહેવારની અંદર પ્રવેશી શકે છે.

રસ્તા પર રહેલી લારીમાંથી લીધેલા લાલ કે પીળા રંગના ‘ચશ્માં’ પહેરીને પોતાની પ્રિય વ્યક્તિ ને વીડિયો કોલ કરવાનો આનંદ  કદાચ એટલો જ આવતો હશે જેટલો આનંદ આપણને માલદીવ્સના એરપોર્ટ પર લેન્ડ થતી વખતે આવે છે.
આ દુનિયાનો દરેક વ્યક્તિ સુખી એટલા માટે જ છે કારણકે સુખ ક્યારેય standardized નથી હોતું, હંમેશા customized જ હોય છે. માવા ખાઈને લાલ-પીળા થઈ ગયેલા દાંત બતાવીને પણ લોકો આનંદથી સેલ્ફીઓ લેતા હોય છે અને અપલોડ કરતા હોય છે. લાખોનું ફેન ફોલોઈંગ ધરાવતી કોઈ સેલેબ હોય કે ૧૫૦ જણાનું ફ્રેન્ડ લીસ્ટ ધરાવતો કોઈ સામાન્ય માણસ, ખુશ રહેવું કે જાતને ગમવું એ કોઈની મોનોપોલી નથી. કોઈના ઉધાર માંગીને કે પૈસા વ્યાજે લઈને પણ નવો નક્કોર ‘બુશકોટ’ પહેરીને તહેવારોની ઉજવણી કરવાની કળા માણસના જીવતા હોવાની નિશાની છે એ વાત તો નક્કી.

આ દુનિયા પર નું સૌથી મોટું સુખ 'existence' નું છે. આઈ. સી. યુ ના બેડ પર હાઇ ફ્લો ઓક્સિજન લેતી વખતે કે કોવિડ ના પોઝીટીવ રિપોર્ટ પછી આવનારી દરેક સવાર જોઈ ને આપણાં મન માં 'wow , આજે પણ જીવતા છીએ! ' ની જે ટોપ ફીલિંગ આવે, એ જ આ પૃથ્વી પર નું અલ્ટીમેટ સુખ છે. નાની મોટી ઈચ્છાઓ ફળે કે ન ફળે, પણ જીવતા હોવાની એ ફીલિંગ જ શ્રેષ્ઠ છે.

ઉજવણી કરવા માટે કોઈ ‘ટર્મ્સ એન્ડ કન્ડીશન્સ’ લાગુ નથી પડતી. જાતને ખુશ રાખી શકાય, એ બધા તહેવારો જ કહેવાય.
આ સંગીત ત્યાં સુધી જ છે, જ્યાં સુધી ફેફસાંની વાંસળી માં થી હવાની અવરજવર થઈ રહી છે. સંગીત ક્યારે અચાનક બંધ થઈ જશે, પડદો ક્યારે પડી જશે અને આપણા કેરેક્ટર નો 'ધ એન્ડ' ક્યારે આવશે, એ કોઈને નથી ખબર. તાળીઓના ગડગડાટ શમી ગયા બાદ, કાયમી નિરાંતની ચાદર ઓઢીને સૂતા રહીશું.
ત્યાં સુધી પરફોર્મ કરતા રહીએ. શ્વાસની અવર જવર થઈ શકે છે, ત્યાં સુધી દરેક ક્ષણ આપણા માટે તો તહેવાર જ છે. 

-ડૉ. નિમિત્ત ઓઝા

હું સુખ શોધી રહ્યો છું

સમય કાઢીને વાંચજો.મજા ન આવે તો પૈસા પાછા.
એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી.
ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.
મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા.

થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’
મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’

આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે.
આવું શા માટે?
એટલે, હવે પછી જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે?

કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી.

01. તમે ગરીબ નથી. (સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.)
02. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.
03. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. (દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)
04. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.
05. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.
06. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને) જે જગતના 18 કરોડ ઘરમાં નથી.
07. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો.. અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.
08. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.
08. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી.

આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank You, God..

ગમે તો આ સુખ બીજા સાથે વહેચશો, મજા આવશે

રવિવાર, 15 માર્ચ, 2020

મેજર ધ્યાનચંદ -હોકી ના જાદુગર

━━━━━━━━━━━━━━━━━━━━━━━
         ❝ મેજર ધ્યાનચંદ 曆❞[ હોકી ના જાદુગર ]
━━━━━━━━━━━━━━━━━━━━━━━
 જન્મ તારીખ :- 29 August 1905
  મત્યુ તારીખ :-  03 ડિસેમ્બર, 1979
 મેજર ધ્યાનચંદનો જન્મ  અલ્હાબાદમાં થયો હતો.

 તે ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ભારતીય હોકી ટીમ (1928 નું એમ્સ્ટરડેમ ઓલિમ્પિક્સ, 1932 નું લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને 1936 ના બર્લિન ઓલિમ્પિક્સ) ના સભ્ય હતા.
 હોકીમાં જોડાતા પહેલા તેમણે ભારતીય સૈન્યમાં મેજરનો હોદ્દો સંભાળ્યો હતો.
 એકવાર એવું બન્યું કે નેધરલેન્ડ્સની મેચ દરમિયાન, તે લાકડીમાં કોઈ ચુંબક ન હોવાની શંકા સાથે તેની હોકીની લાકડી તોડતો જોવા મળ્યો.
 મેજર સાહેબે શોટ ફટકાર્યો, તે ધ્રુવ પર ગયો અને તેણે રેફરીને કહ્યું કે ગોલ પોસ્ટની પહોળાઈ ઓછી છે. જ્યારે ગોલપોસ્ટની પહોળાઈ માપવામાં આવી, ત્યારે દરેકને આશ્ચર્ય થયું કે તે ખરેખર ઓછી છે.
 1936 માં, જર્મન ગોલકીપરે ધ્યાન ધ્યાનચંદને જાણી જોઈને પડતો મૂક્યો. આનાથી મેજરનો દાંત તૂટી ગયો હતો.
 મેજર ધ્યાનચંદે તેની આખી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 400 થી વધુ ગોલ નોંધાવ્યા હતા, જે હોકીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ છે.
 ધ્યાનચંદને 1956 માં ભારતના પ્રતિષ્ઠિત નાગરિક સન્માનિત પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.
 હિટલરે મેજરને તેની જર્મન તરફથી રમવાનું કહ્યું હતું અને જર્મન આર્મીમાં માર્શલ બનવાની ખાતરી આપી હતી, પરંતુ મેજેરે આ તકને ઠુકરાવી દીધી હતી.
 ભારત સરકારે મેજર ધ્યાનચંદની જન્મજયંતિ વર્ષ ૨૦૧૨ માં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, ત્યારથી 29 29ગસ્ટ દર વર્ષે દેશભરમાં "રાષ્ટ્રીય રમત દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.
 તેમનું 03 ડિસેમ્બર 1979 ના રોજ અવસાન થયું.


લાંબા સમયથી ભારત રત્ન પુરસ્કાર આપવાના મામલે હોકીની અવગણના કરવામાં આવી છે. વર્ષ 2019માં પણ દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન માટે મેજર ધ્યાનચંદની અવગણના કરવામાં આવી છે. જેના કારણે હોકીના દિગ્ગજ દુખી છે. તેમને કહ્યું કે ભારતને ખેલ જગતમાં ઓળખ અપાવનાર એવા દિગ્ગજ ખિલાડીને આવી રીતે ભુલાવી દેવું દુર્ભાગ્યપૂર્ણ છે.

તેમને બતાવી દઈએ કે આ પહેલા 2014માં પણ ભારત રત્ન માટે ખેલ ક્ષેત્રને અલગ-અલગ શ્રેણીઓમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખેલોમાં જોકે પહેલા અને અત્યાર સુધી ભારત રત્ન એકમાત્ર ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંદુલકરને આપવામાં આવ્યો છે.

પરંતુ આ વખતે મેજર ધ્યાનચંદના પુત્ર અશોક કુમારે કહ્યું કે તેમના પરિવારે હવે આશા છોડી દીધી છે. તેમને કહ્યું કે,‘કોઈ પણ સરકાર તેમના પિતાના યોગદાનને સમઝી શકી નથી અને આટલા વર્ષોથી રાહ જોયા બાદ હવે અમારી આશા તૂટી ગઈ છે.’ નોંધનીય છે કે આ વખતે કેન્દ્રની બીજેપી સરકારે જનસંઘ નેતા નાનાજી દેશમુખ, મશહૂર સંગીતકાર ભૂપેન હજારિકાને મરણોપરાંત અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.

રવિવાર, 1 ડિસેમ્બર, 2019

" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો "

" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો  "

૧. કોઇપણ વ્યક્તિ ને ફોન કરો તો બે વખત થી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો, કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામ માં વ્યસ્ત છે .
૨. કોઇપણ પાસે થી ઉછીના પૈસા અથવા ચીજ વસ્તુઓ   મુદત પહેલા અથવા એ માંગે એ પહેલા પરત આપી દેવી .
https://diludiary.blogspot.com/
આ વસ્તુ  તમારું વ્યક્તિત્વ અને  તમારો વ્યવહાર દર્શાવે છે .
૩. જયારે કોઈ વ્યક્તિ તમને લંચ /ડિનર પર બોલાવે  ત્યારે મોંઘી ડીશ નો ઓર્ડર આપવો નહી શક્ય હોય તો એ વ્યક્તિ ને જ કહેવું કે " આજે મારે તમારી પસંદગી નું ખાવું છે આપ જ ઓર્ડર આપો ".
૪. કોઈ દિવસ ઓકવર્ડ પ્રશ્નો જેમકે  " ઓહ !!! તો તમે હજુ સુધી લગ્ન નથી કર્યા ? ' અથવા " તમે હજુ સુધી ઘરનું ઘર કેમ નથી લીધું ?" પૂછવા નહિ.
૫. હમેંશા તમારી પાછળ ચાલતી આવતી વ્યક્તિ માટે દરવાજો તમે ખોલજો પછી એ પુરુષ હોય કે સ્ત્રી.  આ રીતે જાહેર સ્થળો એ  કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન કરવાથી તમે નાના માણસ નહી બની જાઓ.
૬.  જો તમે ટેક્સીમાં કોઈ મિત્ર સાથે જતા હોવ તો તે આ વખતે ભાડું આપે છે તો તમે બીજી વખતે તમે જ આપજો.
૭. અલગ અલગ રાજકીય વિચારધારા ને માન આપજો.
૮. કોઈ વ્યક્તિ બોલતું હોય ત્યારે એને વચ્ચેથી અટકાવવા નહી.
૯.  જો તમે કોઈ ની મજાક કરતા હોવ અને એને મજા ના આવતી હોય તો એની મજાક કરવાની બંધ કરી દેશો.
૧૦ . જયારે કોઈ વ્યક્તિ મદદરૂપ થયા હોય એનો હમેશા આભાર માનવો.
૧૧. જાહેરમાં હમેંશા વખાણ કરો અને ખાનગીમાં જ ક્રીટીસાઈઝ(ટીકા/ટીપપણી) કરો
૧૨ .  કોઈ દિવસ કોઈના વજન પર કોમેન્ટ ના કરો. જસ્ટ એટલું જ કહેવું " તમે મસ્ત લાગો છો ". જો તેઓ ને વજન ઘટાડવું હશે કે વધારવું હશે અને તમારી પાસે નોલેજ હશે તો એ પૂછશે અને તો જ વજન વિશે વાત કરવી.
૧૩. જયારે કોઈ વ્યક્તિ એના મોબાઈલમાં ફોટો બતાવતા હોય  ત્યારે કોઈ દિવસ એ ફોટો જોઈ ને "લેફ્ટ કે રાઈટ સ્વાઇપ" ના કરો. તમને ખબર નથી હોતી કે આના પછી કેવો ફોટો હશે . માટે એ ટાળવું.
૧૪. જો તમારા સહ કર્મચારી/મિત્ર તમને કહે કે તેઓની ડોક્ટર ની એપોઇન્ટમેન્ટ છે  તો કદાપિ પૂછવું નહી કે  શેના માટે છે ?  માત્ર એટલું જ કહો કે "ઓકે આશા રાખું છુ કે સારું થઇ જશે". જો તેઓ પોતાની બિમારી વિશે જણાવવા માંગતા હોય તો જ જાણશો કેમકે ઘણી વખત તેમની બીમારી ખાનગી હોઈ શકે છે.
૧૫. સફાઈ કામદારોને પણ એમ.ડી. જેટલી જ રીસ્પેક્ટ આપો . તમે કોઈ સાથે ખરાબ રીતે વર્તો છો એના થી કોઈ સારી ઇમ્પ્રેશન નહિ પડે, પરંતુ લોકો તમે કેટલી નમ્રતાથી વાત કરો છો એની સારી ઇમ્પ્રેશન ની નોંધ લેશે.
૧૬.  જો કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરતો હોય તે વખતે તમારું એની સામે જોવાને બદલે ફોન માં જોવું એ ખરાબ આદત છે.
૧૭. જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી સલાહ આપવી નહિ.
૧૮. જ્યાંરે કોઈ વ્યક્તિને ઘણા સમયે મળતા હોઈએ ત્યારે એમની ઉમર અથવા  પગાર વિશે પૂછવું નહિ. 
૧૯.  તમારા બિઝનેસ ને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ખરાબ ચીતરવા ની કોશિશ ના કરે ત્યાં સુધી એ વ્યક્તિને બિઝનેસને લઇને દુશ્મન ના બનાવો.
૨૦. જયારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે ગોગલ્સ પહેર્યા હોય તો એ કાઢી ને વાત કરવી . આ વસ્તુ તમે એને આદર આપો છો એવું દર્શાવે છે. અને આપ જાણો જ છો કે આંખ ના કોન્ટેક્ટ થી તમારી વાતચીત ની અસર સારી રહે છે.

આકાશ મનોજ :: એક ભારતીય બાળક

તામીલનાડુના વતની એવા 15 વર્ષની ઉમરના આકાશ મનોજ નામના એક ભારતીય બાળકે આખી દુનિયાને અચરજમાં મુકી દીધી છે. આકાશ મનોજ નાનો હતો ત્યારથી એને મેડીકલ સાયન્સના પુસ્તકો વાંચવા ગમતા હતા. જ્યારે એ 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે 13 વર્ષની વયે એ મેડીકલ સાયન્સના જર્નલ વાંચવા માટે બેંગ્લોરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની લાઇબ્રેરીમાં નિયમીત રીતે જતો હતો.
આકાશને એના દાદા સાથે ખૂબ મનમેળ હતો. દાદાજીને હાઇ બ્લડપ્રેસર અને ડાયાબીટીસ હતુ પણ તબીયત ખૂબ સારી હતી. એકવખત આકાશના દાદાનું અચાનક આવેલા હદયરોગના હુમલાને કારણે અવસાન થયુ. હાર્ટએટેક સાવ અચાનક આવ્યો આથી યોગ્ય સારવાર આપવામાં આવે તે પહેલા જ દાદાનું અવસાન થયુ. દાદાની વિદાયથી આકાશ દુ:ખી થયો.
                                       

હાર્ટએટેક એટેક માટેના બાહ્ય લક્ષણો જેવા કે છાતીમાં દુ:ખાવો થાય, ડાબા હાથમાં દુ:ખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે..વગેરેને કારણે માણસને એટેકની ખબર પડી જાય અને કદાચ સમયસર સારવાર પણ મળી જતા માણસ બચી પણ જાય. પણ ઘણીવખત આવા બાહ્યલક્ષણો જોવા મળતા નથી પણ હદય ચોક્કસ પ્રકારના સિગ્નલ આપતું હોય છે જો હદયના આ શાંત સિગ્નલને ઓળખી શકાય તો માણસની સમયસર સારવાર થઇ શકે અને એનો જીવ બચાવી શકાય.

આકાશે આ બાબતમાં સંશોધન ચાલુ કર્યુ. 10માં ધોરણમાં અભ્યાસ કરનારા આ છોકરાને મેડીકલ સાયન્સમાં પહેલેથી રસ પડતો હોવાથી એણે આ બાબતે સંશોધન શરુ કર્યુ. આકાશ મનોજનું એક ધ્યેય હતુ કે મારે એવુ સાધન બનાવવું છે જે સાયલન્ટ હાર્ટએટેકને ઓળખી અને એની જાણ કરી શકે. સામાન્યમાં સામાન્ય માણસ પણ એનો ઉપયોગ કરી શકે એવું સસ્તુ પણ બનાવવું છે જેથી લાખો લોકો એનું અમૂલ્યજીવન બચાવી શકે.
આકાશે ખૂબ મહેનત કરીને એક ચીપ તૈયાર કરી. આ ચીપને હાથના કાંડા પર અથવા તો કાનની પટી પર લગાડવાની. ચીપમાં રહેલ પોસીટીવ ઇલેક્ટ્રીકલ તરંગો હદયમાંથી ઉત્પન થતા FABP3-પ્રોટીન નામના નેગેટીવ પ્રોટીનને પોતાના તરફ ખેંચે જ્યારે નેગેટીવ પ્રોટીનની માત્રા વધી જાય ત્યારે તે પેલી કાંડાપર લગાવેલી ચીપ પરથી ખબર પડી જાય. આ હાર્ટએટેક આવવાના લક્ષણો છે જો 6 કલાકમાં માણસને યોગ્ય સારવાર આપી શકાય તો એનું અમૂલ્ય જીવન બચાવી શકાય.
                                               
15 વર્ષના આ બાળકે શોધેલા 'સાયલેન્ટ હાર્ટએટેક'ને ઓળખનારા આ યંત્રનું પરીક્ષણ ચાલી રહ્યુ છે. માત્ર 900 રૂપિયામાં તૈયાર થતુ આ અનોખુ યંત્ર કેટલાયને નવજીવન આપશે.

મિત્રો, માત્ર 10માં ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષના આ બાળકે દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકોની આંખો આશ્વર્યથી પહોળી કરી દીધી છે. આપણને ક્યારેય એમ થાય કે આવુ અઘરુ કામ કરવા માટે હું તો હજુ બહુ નાનો છુ ત્યારે આકાશ મનોજને યાદ કરી લેવો.

શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019

આજે મારા દાદાનું શ્રાદ્ધ છે

અચાનક.....મેં કાર ને બ્રેક મારી...
મારા થી બુમ પડાઈ ગઈ....ઓ ...દાદા રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો..?  આવી રીતે રોડ ક્રોસ થાય ?
અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે પડી ગયા..

હું નીચે ઉતર્યો.દાદા નો હાથ પકડ્યો.દાદા નો હાથ ગરમ.ગળે ને માથે હાથ મુક્યો.એ પણ એકદમ ગરમ.દાદા તાવ થી ધ્રુજતા હતા.મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો.મેં દાદા નો હાથ પકડી કાર માં બેસાડ્યા.દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો.અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવાર ના કોઈ સભ્ય નો નંબર આપો.હું તેને દવાખાને બોલાવી લઉં.

દાદા..ભીની આંખે મારી સામે જોતા રહ્યા.
મેં કીધું..દાદા..એકલા રહો છો ?
હા.એટલું જ બોલ્યા...
પરિવાર મા કોઈ...?
કોઈ નથી ?...પત્ની હતી પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા.
હું..અમારા ફેમિલી  ડૉક્ટર પાસે લઈ ગયો.ડૉક્ટર મારી સાથે દાદા ને જોઈ બોલ્યા,પંડ્યા દાદા.આરામ કરવાનું કીધુ..હતું...ફરીથી એકલા બહાર નીકળ્યા..?

મેં ડૉક્ટર સામે જોઈ કીધુ....તમે ઓળખો છો.દાદા ને ?
હા.. સારી રીતે...હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આતો અમારા પંડ્યા દાદા..છે.ડૉક્ટર દાદા નો તાવ માપી કીધુ દાદા ની ઉમ્મર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે.

પણ તેનો પરિવાર ?
ડૉક્ટર તેની રૂમ ની અંદર મને લઈ ગયા અને કીધુ દીકરો વહુ છે પણ તેમના થી જુદા થઈ ગયા છે.દાદા ને ગાંઠિયા બહુ ભાવે છે.દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં.ઝાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે.ઘડપણ છે.જુદું જુદું ખાવા ની ઈચ્છા પણ થાય.દાદા ને અઠવાડીયામાં બે વખત ગાંઠિયા જોવે જ એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા.ત્યાં સુધી વાંધો ન હતો...

એક દિવસ દીકરો વહુ બોલ્યા.તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દયો.દાદા એ કીધુ.હું મરી જાઉ પછી મિલકત તમારી જ છે.મારા જીવતા એ નહીં બને.

દીકરો કહે કેમ ના બને ?
દાદા કહે..તું નોકરી એ લાગ્યો.લગ્ન કર્યા.ભણાવી ને તૈયાર અમે કર્યો.અત્યારે પગાર મારા ખાતા માં જમા કરાવે છે કે તારા ખાતામાં ? રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે ?  કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી માઁ માટે સાડી લાવ્યો ? જો તું બધું તારા પરિવાર નું વિચારતો હોય.તો મારે પણ મારૂ કેમ ન વિચારવું ?

બસ...આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા.એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા.દાદા એકલા પડી ગયા.આમ તો હું કોઈ ના ઘરે વિઝીટ માં નથી જતો.પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો.કારણ કે તેમણે મારા ઉપર વિશ્વાસ મુક્યો હતો.

ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા,દાદા ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા ? દાદા આવા તાવમા પણ હસી પડ્યા.હું બાજુ માં ગયો.માથે હાથ ફેરવી કિધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ? ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું.

દાદા એ મારો હાથ પકડી.કીધુ..બેટા  100ગ્રામ
મેં ડોક્ટર સામે જોયું.
ડોક્ટર સાહેબ .હસી ને મને હા પાડી.એમણે દાદા ને અંદરના રૂમ માં સુવાડી.ઇંજેકશન આપ્યું અને કહ્યું.આરામ કરો ત્યા સુધી મા પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવે.
હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો.ગાંઠિયા લઈ ને હું પાછો આવ્યો.ડોક્ટર મારી રાહ જોતા હતા.હું દોડી અંદર ગયો.ડોક્ટર કહેરેહવા દ્યો.પ્રતિકભાઈ

મેં કીધું કેમ શુ થયું..? સાહેબ
દાદા...હવે આ દુનિયા માં નથી રહ્યા.મારા હાથ માંથી ગાંઠિયા નું પેકેટ નીચે પડી ગયું.
ફક્ત એક કલાક ના અજણયા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુ ને રોકી શક્યો નહીં.જે માઁ બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય એ આવી રીતે  ઘડપણ મા તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે ?

મેં ઑફિસે ફોન કરી કીધુ.આજે મારા દાદાનું શ્રાદ્ધ છે.હું ઑફિસે નહીં આવી શકું.
ડોક્ટર સાહેબ બોલ્યા.ભાઈ પ્રતિક તેં એક માનવતાનું કામ કર્યું છે.આજે મારૂ દવાખાનું પણ દાદાના માનમા બંધ રહેશે.
ડોક્ટર સાહેબ બોલ્યા પ્રતિકભાઈ તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી.
તેમના પુત્ર નો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરી દઈએ.

અગત્યની વાત એ છે દાદાએ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબને આપીને ગયા હતા અને કીધુ હતું મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવા ની જવાબદારી
ડૉકટર સાહેબ તમારી છે.મારો મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે...

દાદા ના વિલ પ્રમાણે તેમની મિલકતનો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચા ની દુકાન ખોલવી.ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિ ને મફતમા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી.ગાંઠિયાની દુકાન નું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.બાકી ના 25 % રકમ માંથી ગરીબ વ્યક્તિઓને તમારે  દવા આપવી.

મેં કીધું...વાહ દાદા..વાહ..આનું નામ સાચું દાન.મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમો ને રૂપિયાની જરૂર નથી.જરૂર સમાજ ને છે.
આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે ન કરવું હોય તો કાંઈ નહીં જીવતા સાચવો સ્વર્ગમાં કોઈ ટિફિન વ્યવસ્થા નથી.
મિત્રો મરતી વખતે ગંગા જળની કોઈ જરૂર તેઓ ને નથી.ઘરડી વ્યક્તિઓ ને  ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃપ્ત થઇ જશે.

સોમવાર, 15 એપ્રિલ, 2019

એક વાર !, માતા યશોદા નદી કિનારે બેસી ને માઁ યમુનાજી ની પૂજા કરતા હતા !,

એક વાર !,
માતા યશોદા નદી કિનારે બેસી ને માઁ યમુનાજી ની પૂજા કરતા હતા !,
વૃક્ષ ના પર્ણો માં વાટ ના દીવાઓ કરી ને નદીના જળ પ્રવાહ માં વહાવતાતા !,

તેમણે જોયું, કે તેમના થી થોડે દુર !, કાનો, નદીના જળ માંથી, દીવાઓ કાઢી કાઢી ને નદી કિનારે, પાળી પર મુકે છે !,
એટલે માતાએ પૂછ્યું કે તું આ શું કરે છે  ?, લલ્લા !,

તો, કાન્હા એ કાલી-કાલી ભાષામાં જવાબ આપ્યો !,
કે, મૈયા !, હું આ દીવાઓ ને ડૂબતા બચાવું છું !,

માતાએ ગમ્મત માં પૂછ્યું !, કે આટલા બધા દીવાઓ તો, પાણીના પ્રવાહ માં તણાય જાય છે !, તેનું શું ?, લલ્લા !,

કાન્હા એ જવાબ આપ્યો !,
મેં થોડી કાઈ બધાંજ દીવાઓ ની જવાબદારી લીધી છે ?,
આ પ્રવાહ માં !, જે દીવાઓ મારી તરફ આવે છે !, તેને હું બચાવું છું !,

જેમને, સમજાય તેને અભિનંદન !,

           જય શ્રી કૃષ્ણ

મંગળવાર, 2 એપ્રિલ, 2019

સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ....

સંપર્ક અને જોડાણ વચ્ચેનો ભેદ....

   રામકૃષ્ણ મિશનના એક સંતનો ઇન્ટરવ્યૂ ન્યૂયોર્કના એક પત્રકાર દ્વારા લેવાઈ રહ્યો હતો. પહેલેથી તૈયારી કર્યા મુજબ પત્રકાર સંતને પ્રશ્નો પૂછી રહ્યો હતો.
   
પત્રકાર - "સર, તમારા ગત પ્રવચનમાં તમે અમને જોગાજોગ (સંપર્ક) અને સંજોગ (જોડાણ) અંગે કહ્યું હતું. પણ એ મૂંઝાવનારું છે. તમે એ ફરી થોડું વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકશો? "
    
સંતે સસ્મિત પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે પત્રકારને પ્રતિ પ્રશ્ન કર્યો, "શું તમે ન્યૂયોર્કથી આવો છો?" પત્રકારે હકારમાં જવાબ આપ્યો.
    
સંત - "તમારે ઘેર કોણ કોણ છે?"
પત્રકારને લાગ્યું કે સંત તેનો પ્રશ્ન ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ તેમનો આ સામો પ્રશ્ન અતિ અંગત અને બિનઅપેક્ષિત અને બિનજરૂરી જણાતો હતો.

આમ છતાં પત્રકારે જવાબ આપ્યો," મારી માતા મૃત્યુ પામી છે. પિતા હયાત છે. મારા ત્રણ ભાઈઓ અને એક બહેન છે જે બધાં પરણેલા છે."
     
સંતે મુખ પરનું સ્મિત જાળવી રાખતા પૂછ્યું, "શું તમે તમારા પિતાજી સાથે વાતચીત કરો છો?"
     
પત્રકારના મુખ પર સ્પષ્ટ દેખાય એવા અણગમાના ભાવ ઉપસી આવ્યાં. સંતે આગળ ચલાવ્યું, "તેમની સાથે તમે છેલ્લે ક્યારે વાત કરી હતી?"

પત્રકારે પોતાની નારાજગી દબાવી જવાબ આપ્યો, "કદાચ એક મહિના પહેલા."
     
સંતે નવો પ્રશ્ન પૂછ્યો, "તમે બધાં ભાઈ - બહેન વારે ઘડીએ મળો છો? તમારા પરિવારનું સમૂહ મિલન છેલ્લે ક્યારે મળ્યું હતું? “
     
હવે પત્રકારના કપાળે પરસેવાના ટીપાં બાઝી ગયાં. ઇન્ટરવ્યૂ કોણ લઈ રહ્યું હતું પત્રકાર કે સંત? એમ લાગતું હતું કે જાણે સંત પત્રકારનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હોય!
    
નિસાસા સાથે પત્રકારે જવાબ આપ્યો, "બે વર્ષ અગાઉ અમે બધાં સાથે નાતાલ વખતે મળ્યાં હતાં."

સંતે પૂછ્યું, "કેટલાં દિવસ તમે બધાં સાથે રહ્યાં હતાં?"
     પત્રકારે કપાળ પરથી પરસેવો લૂછતાં જવાબ આપ્યો, "ત્રણ દિવસ..."

સંતે પૂછ્યું, "તમારા પિતાની બરાબર બાજુમાં બેસીને તમે કેટલો સમય પસાર કર્યો હતો? “
    
પત્રકારે હવે મૂંઝારો અને શર્મિંદગી અનુભવતા કાગળ પર કંઈક લખવાનું શરૂ કર્યું.

સંતના પ્રશ્નોનો જાણે અંત જ નહોતો આવતો! તેમણે પૂછ્યું," તમે સવારનો નાસ્તો, બપોરનું જમણ કે રાત્રિનું ભોજન સાથે લીધા હતા? તમે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ છે? તમે તેમને પૂછ્યું હતું કે તમારી માતાના અવસાન પછી તેમનો સમય કઈ રીતે પસાર થઈ રહ્યો છે?"
     
પત્રકારની આંખોમાંથી અશ્રુની સરવાણી વહી રહી.
     સંતે પત્રકારનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું," દુ:ખી કે નારાજ ન થાઓ. જો મેં અજાણતા તમને દુભવ્યા હોય તો હું એ બદલ દિલગીર છું, મને માફ કરી દેશો...
   
પણ આ તમારા જોગાજોગ અને સંજોગ(સંપર્ક અને જોડાણ) અંગે ના પ્રશ્ન નો જવાબ છે. તમારો તમારા પિતા સાથે સંપર્ક છે પણ તમારું તેમની સાથે જોડાણ નથી. તમે તેમની સાથે જોડાયેલા નથી. જોડાણ હ્રદયથી હ્રદય સાથેનું  હોય છે. સાથે બેસવું, સાથે જમવું, એકમેકની કાળજી કરવી, સ્પર્શ, હાથ મિલાવવો, આંખમાં આંખ મિલાવવી, સાથે સમય પસાર કરવો... આ બધું જોડાણમાં હોય છે. તમે બધાં ભાઈ-બહેન પણ સંપર્કમાં છો, પણ તમારી વચ્ચે જોડાણ નથી.
     
પત્રકારે આંખો લૂંછતાં કહ્યું, "મને આ ક્યારેય ન ભૂલી શકાય એવો સુંદર પાઠ શીખવવા બદલ તમારો ખૂબ આભાર."
      
આ આજના સમયની વાસ્તવિકતા છે. ઘરમાં કે સમાજમાં બધાં સંપર્કમાં હોય છે પણ તેઓનું એકમેક સાથે જોડાણ હોતું નથી. તેમની વચ્ચે સંવાદ નથી સધાતો, દરેક પોતપોતાની દુનિયામાં ડૂબેલા હોય છે.

ચાલો, આપણે સંકલ્પ કરીએ કે માત્ર સંપર્કો ન વધારતા, આત્મીયજનો સાથે જોડાણ સાધીશું,તેમની કાળજી કરીશું, તેમની સાથે સુખ દુઃખ વહેંચીશું અને તેમની સાથે સમય વ્યતિત કરીશું.

આ સંત એ બીજું કોઈ નહીં પણ સ્વામી વિવેકાનંદ હતાં...

શુક્રવાર, 22 માર્ચ, 2019

आत्मा की ज्योति

एक दिन राजा जनक ने महर्षि याज्ञवल्क्य से पूछा...
“महात्मन्! बताइए कि एक व्यक्ति किस ज्योति से देखता है और काम लेता है?”

याज्ञवल्क्य ने कहा....
“यह तो बिल्कुल बच्चों जैसी बात पूछी आपने महाराज। यह तो हर व्यक्ति जानता है कि मनुष्य सूर्य के प्रकाश में देखता है और उससे अपना काम चलाता है।”

इस पर जनक बोले...
“और जब सूर्य न हो तब?”

याज्ञवल्क्य बोले...
“तब वह चंद्रमा की ज्योति से काम चलाता है।”

तभी जनक ने टोका....
“और जब चन्द्रमा भी न हो तब।”

याज्ञवल्क्य ने जवाब दिया...
“तब वह अग्नि के प्रकाश में देखता है।”

जनक ने फिर कहा...
“और जब अग्नि भी न हो तब।”

याज्ञवल्क्य ने मुस्कराते हुए कहा....
“तब वह वाणी के प्रकाश में देखता है।”

जनक ने गंभीरतापूर्वक उसी तरह पूछा....
“महात्मन् यदि वाणी भी धोखा दे जाए तब।”
याज्ञवल्क्य ने उत्तर दिया....
“राजन् तब मनुष्य का मार्ग प्रशस्त करने वाली एक ही वस्तु है-आत्मा। सूर्य, चंद्रमा, अग्नि और वाणी चाहे अपनी ज्योति खो दें पर आत्मा तब भी व्यक्ति के मार्ग को प्रशस्त करती है।”

इस बार जनक संतुष्ट हो गए।
**********
🙏“आपका दिन शुभ हो!!”🙏

બુધવાર, 20 માર્ચ, 2019

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે!            

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને?
હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી,
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

મીનરલ વૉટરથી તો આંસુ છે સસ્તા,
ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે-
ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે!                   
- કૃષ્ણ દવે

ગુરુવાર, 14 માર્ચ, 2019

कहीं "मेरा भारत महान" लिख देने से कोई देश महान नही बन जाता,देश के नागरिकों की सोच महान होनी चाहिए!

जापान मे ट्रेन की सीट फटी हुई थी,एक जापानी नागरिक ने अपनी बैग में से सूई धागा निकाला और सीट की सिलाई करने लगा!
.
एक भारतीय नागरिक भी उसी ट्रेन मे था,उसने पूछा,क्या आप रेल्वे के कर्मचारी है?

उसने कहा,नहीं मैं एक शिक्षक हूं,मैं इस ट्रेन से हर रोज अप डाउन करता हूँ,जाते वक्त इस सीट की खस्ता हालत देखकर वापस आते वक्त  बाजार से सुई धागा खरीद लाया हूँ।

मुझे महसूस होता था कि अगर कोई विदेशी नागरिक इसे देखेगा तो मेरे देश की कितनी बेईज्जती होगी ऐसा सोच के सीट की सिलाई कर रहा हूँ!
---------------
जो नागरिक देश की इज्जत अपनी इज्जत समझता हो,जिस देश के नागरिको की सोच महान हो,वो देश विकसित और महान बन जाता है,जापान आज इतना विकसित हो गया है की हम उससे बुलेट ट्रेन खरीद रहे है!

कहीं "मेरा भारत महान" लिख देने से कोई देश महान नही बन जाता,देश के नागरिकों की सोच महान होनी चाहिए!

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી