ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019

આજે મારા દાદાનું શ્રાદ્ધ છે

અચાનક.....મેં કાર ને બ્રેક મારી...
મારા થી બુમ પડાઈ ગઈ....ઓ ...દાદા રસ્તા વચ્ચે મરવા નીકળ્યા છો..?  આવી રીતે રોડ ક્રોસ થાય ?
અચાનક બ્રેક ના મોટા અવાજ માત્ર થી દાદા નીચે પડી ગયા..

હું નીચે ઉતર્યો.દાદા નો હાથ પકડ્યો.દાદા નો હાથ ગરમ.ગળે ને માથે હાથ મુક્યો.એ પણ એકદમ ગરમ.દાદા તાવ થી ધ્રુજતા હતા.મને મારા બોલવા ઉપર પસ્તાવો થયો.મેં દાદા નો હાથ પકડી કાર માં બેસાડ્યા.દાદા આટલો તાવ હોવા છતાં રસ્તા વચ્ચે એકલા કેમ નીકળો છો.અત્યારે જ મારી સાથે દવાખાને ચાલો અને તમારા પરિવાર ના કોઈ સભ્ય નો નંબર આપો.હું તેને દવાખાને બોલાવી લઉં.

દાદા..ભીની આંખે મારી સામે જોતા રહ્યા.
મેં કીધું..દાદા..એકલા રહો છો ?
હા.એટલું જ બોલ્યા...
પરિવાર મા કોઈ...?
કોઈ નથી ?...પત્ની હતી પણ વર્ષ પહેલાં આકાશ સામે હાથ કરી બોલ્યા.
હું..અમારા ફેમિલી  ડૉક્ટર પાસે લઈ ગયો.ડૉક્ટર મારી સાથે દાદા ને જોઈ બોલ્યા,પંડ્યા દાદા.આરામ કરવાનું કીધુ..હતું...ફરીથી એકલા બહાર નીકળ્યા..?

મેં ડૉક્ટર સામે જોઈ કીધુ....તમે ઓળખો છો.દાદા ને ?
હા.. સારી રીતે...હું તેમનો પણ ફેમિલી ડૉક્ટર છું. આતો અમારા પંડ્યા દાદા..છે.ડૉક્ટર દાદા નો તાવ માપી કીધુ દાદા ની ઉમ્મર પ્રમાણે દાખલ કરવા હિતાવહ લાગે છે.

પણ તેનો પરિવાર ?
ડૉક્ટર તેની રૂમ ની અંદર મને લઈ ગયા અને કીધુ દીકરો વહુ છે પણ તેમના થી જુદા થઈ ગયા છે.દાદા ને ગાંઠિયા બહુ ભાવે છે.દીકરો વહુ ગાંઠિયા લાવે નહીં.ઝાડા થશે તો કોણ સાફ કરશે એવી દલીલો કરે.ઘડપણ છે.જુદું જુદું ખાવા ની ઈચ્છા પણ થાય.દાદા ને અઠવાડીયામાં બે વખત ગાંઠિયા જોવે જ એ પોતાની જાતે વ્યવસ્થા કરી ગાંઠિયા ખાઈ લેતા.ત્યાં સુધી વાંધો ન હતો...

એક દિવસ દીકરો વહુ બોલ્યા.તમારી તમામ મિલ્કતો અમારે નામે કરી દયો.દાદા એ કીધુ.હું મરી જાઉ પછી મિલકત તમારી જ છે.મારા જીવતા એ નહીં બને.

દીકરો કહે કેમ ના બને ?
દાદા કહે..તું નોકરી એ લાગ્યો.લગ્ન કર્યા.ભણાવી ને તૈયાર અમે કર્યો.અત્યારે પગાર મારા ખાતા માં જમા કરાવે છે કે તારા ખાતામાં ? રોકાણ કે ફિક્સ મારા નામે લે છે કે તારી પત્ની અને બાળકોના નામે ?  કોઈ દિવસ મારા માટે ધોતી કે તારી માઁ માટે સાડી લાવ્યો ? જો તું બધું તારા પરિવાર નું વિચારતો હોય.તો મારે પણ મારૂ કેમ ન વિચારવું ?

બસ...આ નાની બાબત ઉપર દીકરા વહુ જુદા થઈ ગયા.એક વર્ષ પહેલાં તેમના પત્ની ગુજરી ગયા.દાદા એકલા પડી ગયા.આમ તો હું કોઈ ના ઘરે વિઝીટ માં નથી જતો.પણ દાદાનો ફોન આવે એટલે કામ પડતા મૂકી હું તેમની તબિયત જોવા જતો.કારણ કે તેમણે મારા ઉપર વિશ્વાસ મુક્યો હતો.

ડોક્ટર દાદા સામે જોઈ બોલ્યા,દાદા ગાંઠિયા ખાવા બહાર નીકળ્યા હતા ? દાદા આવા તાવમા પણ હસી પડ્યા.હું બાજુ માં ગયો.માથે હાથ ફેરવી કિધું પછી ગાંઠિયા ખાધા કે નહીં ? ગાંઠિયાનો તાવ હોય તો કહો હું લઈ આપું.

દાદા એ મારો હાથ પકડી.કીધુ..બેટા  100ગ્રામ
મેં ડોક્ટર સામે જોયું.
ડોક્ટર સાહેબ .હસી ને મને હા પાડી.એમણે દાદા ને અંદરના રૂમ માં સુવાડી.ઇંજેકશન આપ્યું અને કહ્યું.આરામ કરો ત્યા સુધી મા પ્રતિકભાઈ ગાંઠિયા લઇ આવે.
હું ઝડપથી ગાંઠિયા લેવા ગયો.ગાંઠિયા લઈ ને હું પાછો આવ્યો.ડોક્ટર મારી રાહ જોતા હતા.હું દોડી અંદર ગયો.ડોક્ટર કહેરેહવા દ્યો.પ્રતિકભાઈ

મેં કીધું કેમ શુ થયું..? સાહેબ
દાદા...હવે આ દુનિયા માં નથી રહ્યા.મારા હાથ માંથી ગાંઠિયા નું પેકેટ નીચે પડી ગયું.
ફક્ત એક કલાક ના અજણયા સંબંધો હતા છતાં પણ હું મારા આંસુ ને રોકી શક્યો નહીં.જે માઁ બાપે પોતાની જાત સંતાનો પાછળ ઘસી નાખી હોય એ આવી રીતે  ઘડપણ મા તેમને તરછોડી કઈ રીતે જઈ શકતા હશે ?

મેં ઑફિસે ફોન કરી કીધુ.આજે મારા દાદાનું શ્રાદ્ધ છે.હું ઑફિસે નહીં આવી શકું.
ડોક્ટર સાહેબ બોલ્યા.ભાઈ પ્રતિક તેં એક માનવતાનું કામ કર્યું છે.આજે મારૂ દવાખાનું પણ દાદાના માનમા બંધ રહેશે.
ડોક્ટર સાહેબ બોલ્યા પ્રતિકભાઈ તેમનો અંતિમ સંસ્કાર કરવાનો આપણો કાયદાકીય અધિકાર નથી.
તેમના પુત્ર નો મોબાઈલ નંબર મારી પાસે છે આપણે તેને જાણ કરી દઈએ.

અગત્યની વાત એ છે દાદાએ તેમના વકીલનો નંબર ડોક્ટર સાહેબને આપીને ગયા હતા અને કીધુ હતું મારા દેહાંત પછી મારી અંતિમ ઈચ્છાઓ પ્રમાણે વિલ મેં બનાવ્યું છે તે ઈચ્છા પૂરી કરવા ની જવાબદારી
ડૉકટર સાહેબ તમારી છે.મારો મૃત્યુ પછી વકીલ તમને ફોન કરશે...

દાદા ના વિલ પ્રમાણે તેમની મિલકતનો 75% હિસ્સાની રકમમાંથી એક ગાંઠિયા અને ચા ની દુકાન ખોલવી.ત્યાં રોજ ઘરડા અને ગરીબ વ્યક્તિ ને મફતમા ચા અને ગાંઠિયા મળે તેવી વ્યવસ્થા કરવી.ગાંઠિયાની દુકાન નું નામ મારા અને મારી પત્ની નામ ઉપર થી રાખવું.બાકી ના 25 % રકમ માંથી ગરીબ વ્યક્તિઓને તમારે  દવા આપવી.

મેં કીધું...વાહ દાદા..વાહ..આનું નામ સાચું દાન.મંદિર મસ્જિદ કે ધાર્મિક સ્થાન કે આશ્રમો ને રૂપિયાની જરૂર નથી.જરૂર સમાજ ને છે.
આપણા મર્યા પછી શ્રાદ્ધ કરવું હોય તો કરે ન કરવું હોય તો કાંઈ નહીં જીવતા સાચવો સ્વર્ગમાં કોઈ ટિફિન વ્યવસ્થા નથી.
મિત્રો મરતી વખતે ગંગા જળની કોઈ જરૂર તેઓ ને નથી.ઘરડી વ્યક્તિઓ ને  ભાવતી વસ્તુ તેમના જીવતા આપો એટલે એ તૃપ્ત થઇ જશે.

2 ટિપ્પણીઓ:

  1. સુપર હો ભાઈ આ પ્રેરક પ્રસંગ ખુબજ ગમ્યો..આવુ લખતા રહેજો લોકોને આનાથી પ્રેરણા મળે..આભાર

    જવાબ આપોકાઢી નાખો

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી