એક વાર !,
માતા યશોદા નદી કિનારે બેસી ને માઁ યમુનાજી ની પૂજા કરતા હતા !,
વૃક્ષ ના પર્ણો માં વાટ ના દીવાઓ કરી ને નદીના જળ પ્રવાહ માં વહાવતાતા !,
તેમણે જોયું, કે તેમના થી થોડે દુર !, કાનો, નદીના જળ માંથી, દીવાઓ કાઢી કાઢી ને નદી કિનારે, પાળી પર મુકે છે !,
એટલે માતાએ પૂછ્યું કે તું આ શું કરે છે ?, લલ્લા !,
તો, કાન્હા એ કાલી-કાલી ભાષામાં જવાબ આપ્યો !,
કે, મૈયા !, હું આ દીવાઓ ને ડૂબતા બચાવું છું !,
માતાએ ગમ્મત માં પૂછ્યું !, કે આટલા બધા દીવાઓ તો, પાણીના પ્રવાહ માં તણાય જાય છે !, તેનું શું ?, લલ્લા !,
કાન્હા એ જવાબ આપ્યો !,
મેં થોડી કાઈ બધાંજ દીવાઓ ની જવાબદારી લીધી છે ?,
આ પ્રવાહ માં !, જે દીવાઓ મારી તરફ આવે છે !, તેને હું બચાવું છું !,
જેમને, સમજાય તેને અભિનંદન !,
જય શ્રી કૃષ્ણ
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો