શું આ પાંચ તત્વોના શરીરમાં બીજી કોઈ શક્તિ આવે ખરી ?
કોઈનાય શરીરમાં ક્યારેય કોઈ દૈવીશક્તિ આવતી નથી.મંત્રો -તંત્રો ચોટ મૂઠ આ બધુ ખોટું છે કાલ્પનિક છે.
જે લોકો અંધશ્રદ્ધાળુ છે અને જે લોકો ની નબળી માનસિકતા છે એવાં અભણ અને ભોળા માણસોના દિમાગ માં આ વગર વિચારે માની લીધેલ વાત છે ,તેને આપણે અંધશ્રદ્ધા કહીએ છીયે.
લોકોની નબળી માનસિકતા નો લાભ લેનાર પણ આ જગત માં તૈયાર જ બેઠા છે એમનોય રાફડો ફાટેલો છે કારણ કે એવું માનનારા છે તો એનો ફાયદો ઉપાડી લૂંટીને પોતાના ઘર ભરનારા પણ હોય તો ખરાજ ને
જ્યાં સુધી શરીર માં એક આત્મા છે ત્યાં સુધી બીજો અંદર પ્રવેશી ના શકે અને એ અંદર છે તે હટી જાયઃ તો એ પોતે પાછો ના ફરે અને એ શરીર મૃતદેહ બની જાયઃ
જેમ એક બુટ માં બે પગ એક સાથે ના જાયઃ
જેમ એક શર્ટ એકસાથે બે માણસ પહેરી ના શકે તેજ રીતે એક શરીર માં બે આત્મા એક સાથે અસંભવ છે.
http://www.diludiary.blogspot.com
વિચારો.........
એક લીટર બોટલ માં કેટલું પાણી સમાય બોલો?
1લિટરજ ને????
તેમાં 2 લીટર પાણી નાખશુ તો રહેશે એમાં??
ના ના ને ના...... બરાબર ને.
જો દાણાં જોવા ધુણવુ -ધુણીને ગુપ્ત વસ્તુઓ બતાવવી કે વર્ષો પહેલાની વાત કરવી ,આ બધુ જો સાચુ હોય તો સરકાર આવાં ભુવા ,તાંત્રિકોને ઑફીસ ખોલી આપે એમનો એક ભુવાજી તાંત્રિક વિભાગ પણ સરકાર માં હોય આખો ડિપાર્ટમેન્ટ અલગ હોય એમનો.
જે ગુનાઓ પકડાતા નથી તેનેય ધુણીને દાણાં જોય ને પકડી લે.
સંસદ ભવનમાં બધાં સંસદ સભ્યો પાટ નાખીને દાણાં કેમ જોતાં નથી??
ચોટ મૂઠ કે મંત્ર તંત્ર જો સાચું હોય તો સરહદ પર 2--2 કિલો મીટરના અંતરે આવાં લોકોને બેસાડી દેવા જોઇએ જો કોઈ સરહદ ની અંદર પ્રવેશ કરે કે ભુવા તેનાં દેવ, આકાશી, ભેરવ પાઁચ, આખડિયો ,ખિમડિયો કે ભૂતડો કાળ ભેરવ જેવાં દેવો વહેતા કરી દે એમની ઉપર....
http://www.diludiary.blogspot.com
પણ કેમ આવું બધું બનતુ નથી??
કારણકે આ શ્રમજીવી લોકોના અભ્યાસ વિનાના દિમાગ માં વગર વિચારે પકડી પાડેલ અને બાળપણ થી સાંભળેલ કાલ્પનિક વાતોની અસર છે.
જરા વીચાર તો કરો મોબાઇલ ઉપર બોલનાર વક્તિનો જ અવાજ આપણને સંભળાય છે તો ત્યાં જેવી બોલનાર વક્તિ બદલાય કે તરતજ અવાજ પણ બદલાય જતો હોય છેને...
હવે વીચારિયે આપણા શરીરમા કોઈ દેવ દેવી આવ્યા હોયતો એમનો જ અવાજ આવવો જોઈએ ભુવાનો નય... ભાષા, સ્પીચ પણ એમની હોવી જોઈએ પણ એમ બનતુજ નથી.
તો આ બધૂ શું છે મંત્ર તંત્ર ગ્રહ, પનોતી, ચોધડીયા, ભૂત -પ્રેત વળગાડ ધૂણવૂ, શુકન અપશુકન એ આપણને મૂર્ખ બનાવીને આપણા પર લોકો ઘર ચલાવી રહ્યા છે કરોડો રુપિયા કમાણી કરે છે એ લોકો જેનો ભોગ બનેછે જેઓ જાગૃત થયા નથી.
ભૂત પ્રેત શુભ અશુભ શુકન અપશુકન બધું જ ખોટું છે.
ક્યાંય કોઈ ભૂત કે પ્રેત નથી નહિ તો ભૂત થયેલા લોકો એમના દુશમ્નો ને તાત્કાલિક મારી નાખે
અને પોતાના સંતાનોને કરોડો રૂપિયા લાવી આપી ના દે, શું કામ છોકરાઓ ને કામ કરવા દે.
બોર્ડર પર અધૂરી ઈચ્છા એ મૃત્યુ પામેલા તમામ સૈનિકો પણ ભૂત થઈને લડ્યા કરે આપણે કે અન્ય કોઈ દેશ ને નવા સૈનિકો ની ભરતીજ ના કરવી પડે શું કામ જીવતાને મારવા મોકલી દેવાય.
કુતરા બિલાડા મચ્છર પણ કમોતે મરે છે અકસ્માત માં અને એમ્નાય સંતાનો હોય છે પ્રેમ અને લાગણી હોય છે તો તેઓ પણ ભૂત બનવા જોઈએ પણ આવ્યા કદી એ પાછા??
અમુક લોકો કહે છે મારા બાપા થયા છે અમને હેરાન કરે છે...
અલ્યા ભાઈ આપણા સંતાનો ને આપણે હેરાન કરીયે કે પ્રેમ કરીયે એતો વિચારો જરા.
અને ભૂત પ્રેત ને કોની બીક છે કે આટલા બધા શક્તિશાળી હોવા છતાંય એમને અંધારામાં ભેંકાર બકવાસ જગ્યાએ રહેવું પડે છે અને તેઓ પોતે છે તે ખુલ્લેઆમ આવીનર કેમ સ્વીકારતા નથી કે અમે છીએ??
માટે કોઈપણ વાત પર ખુબ ઊંડા વિચાર કરો તર્ક કરો જુઓ તમે પોતેજ બધુંય સમજી જશો અને દુનિયા માં ક્યાંય કોઈ તમને ખોટી રીતે મૂર્ખ બનાવી છેતરી નહિ શકે.
આ મેસેજ નો મોરલ માત્ર લોકો જાગૃત થાય અને સત્ય ને જાણે તેમજ ધુતારા ઓ થી ચેતતા રહે એટલો જ છે.