ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."

શનિવાર, 5 સપ્ટેમ્બર, 2020

હું એક શિક્ષક છું,

હું એક શિક્ષક છું,
હા હું જ આ સમાજને દિશા આપવામાં સમર્થ છું. એક શિક્ષક સતત સમાજમાં શિક્ષણ,સંસ્કાર,રિત,રિવાજ,જ્ઞાન પ્રસરાવવાનું કાર્ય કરતો આવ્યો છે. સતત અને અવિરત વાલ્મીકીથી શરૂ કરી સાંદિપની, યાજ્ઞવલ્કય, ચાણક્ય, સોક્રેટીસ, લેલીન, રસેલ, માર્કસ અનેક શિક્ષકોએ સમાજમાં સતત નવા વિચારો આપ્યા જ નહિ પરંતુ તે વિચાર પર સમાજને ચાલતો કર્યો છે.
રામ અને કૃષ્ણ જેવા શિક્ષકો તો આજે પણ માર્ગદર્શન કરી રહ્યા છે.આ એ જ સમાજ છે કે જે આજે શિક્ષક દિવસ મનાવે છે. આ તો આજના જમાનામાં સામાન્ય છે જે તહેવાર આવે તેના ગીતો વગાડવાના અને જાય એટલે એ સરંજામ લઇને બીજાની તૈયારી કરવાની.
મિત્રો શિક્ષક એ ખાલી ભણાવતો નથી તે ભણતા કરે છે. ખાલી હોમવર્ક આપે એ શિક્ષકનું કામ નથી. પણ જીવન સમજાવી જાય એ કામ છે. આજે આ દેશમાં સૌથી વધુ જરૂર મારી.... એટલો કે એક શિક્ષકની છે. હવે કંઇ કરવાનો દિવસ અને અવસર છે.
સમાજમાંથી ગંદકી દૂર કરવાનું શિક્ષણ હોય કે સમાજને સ્વચ્છતાની ટેવ પાડવાનું શિક્ષણ હોય ભ્રષ્ટાચાર રોકવાનું શિક્ષણ હોય કે તેની સામે લડવાનું કુરિવાજો સામે અવાજ ઉઠાવનાર શિક્ષકની આજે જરૂર છે
એક સામાન્ય માણસ અંધશ્રદ્ધા ફેલાવે અને આપણે તે રોકી પણ ન શકીએ...!!!
જવા દો
સવાલ એ નથી કે શું કરવું પણ મિત્રો ચાણક્ય પર મને આજે પણ એટલો જ વિશ્વાસ છે તેથી માનું છું કે તેની વાત સત્ય પણ હશે જ. સમાજને કોઇ બદલી શકશે તો આપણે જ...!!!
હિંમત અને જ્ઞાનયુક્ત શક્તિની જરૂર છે બાકી શિક્ષણ તો હવે વેચાવા લાગ્યું છે અને ૧૦૦૦ ₹ કલાક ના ભાવે શિક્ષક પણ બજારના ટ્યુંશન શોરૂમ મા અવેલેબલ છે.


પણ આજે જો આ દિવસ મારો હોય દિલીપ રાઠોડનો હોય તો હું હિંમત અને વિશ્વાસથી કહું છું કે આપણે લડીશું
મહેનત કરીશું
વિશ્વાસ કરીશું
પ્રયાસો કરીશું
પણ આ દિવસ માટે સમાજ દ્વારા આપણને જે માન મળ્યું છે તેની કિંમત ચૂકવીશું
એક શ્રેષ્ઠ સમાજની રચના કરીને.....

ટાઇટેનિક દુર્ઘટના

ટાઇટેનિક દુર્ઘટના
ટાઇટેનિક જયારે ડૂબી રહી હતી ત્યારે એની નજીકમાં ત્રણ જહાજ હતા જે ટાઇટેનિકને કપરા સમયમાં મદદ કરી શક્યા હોત પણ એમાંથી બે એ ના કરી. ચાલો જોઈએ એ જહાજો કયા હતા અને એમણે મદદ કેમ ના કરી?
સૌથી નજીક જહાજ જે હતું એનું નામ 'સેમસન' હતું. એ ટાઇટેનિકથી ફક્ત ૭ માઈલ દૂર હતું. એના કેપટને ટાઇટેનિકમાંથી સહાયતા માટે આકાશમાં છોડેલા સફેદ અગન ગોળા ફક્ત જોયાજ ના હતાં પરંતુ એમાં સવાર સહેલાણીઓના રડવાનો અવાઝ પણ સાંભળ્યો હતો અને તેમ છતાં સહાયતા ના કરી. કારણ હતું એ લોકો અમૂલ્ય એવી મચ્છલીઓનું એ વખતે ગૈર કાનૂની શિકાર કરી રહ્યા હતા અને એમને પકડાઈ જવાનો ડર લાગ્યો! એ લોકોએ 'સેમસન' બીજી જગ્યાએ લઇ ગયા.

ટાઇટેનિકની નજીક જે બીજું જહાજ હતું એનું નામ 'કેલિફોર્નિયાન' હતું. એ ટાઇટેનિકથી ૧૪ માઈલ દૂર હતું. એના  કેપટને પણ પેસેન્જરોના અવાજ સાંભળ્યા હતા. પોતાની કેબિનમાંથી બહાર નીકળી એણે પણ પેલા સફેદ અગન ગોળા જોયા હતા. પણ ટાઇટેનિક હિમશિલાઓથી ઘેરાયેલું હતું, એને હિમશીલાઓ ફરતે થઇ જવું પડ્યું હોત. એણે નક્કી કર્યું કે સવારે જઈશ અને સુવા ચાલ્યો ગયો અને સવાર થવાની રાહ જોવા લાગ્યો. એ સવારે જયારે ટાઇટેનિકના લોકેશન પર પહોંચ્યો ત્યારે એણે એના (ટાઇટેનિકના) કેપ્ટાન એડવર્ડ સ્મિથ સાથે ડૂબી ગયાને ૪ કલાક થઇ ગયા હતાં.

ત્રીજો જહાજ 'કાર્પેથિયા' ટાઇટેનિકથી ૬૮ માઈલ દૂર હતો. એના કેપટને રેડીઓ પર ટાઇટેનિકના લોકોની ચીખો સાંભળેલી. એ જહાજ બીજી કોઈ જગ્યાએ જઈ રહ્યું હતું અને તે છતાં એના કેપટને ખરાબ હવામાન અને હિમશિલાઓની પરવાહ કર્યા વિના પોતાના જહાજને ટાઇટેનિક તરફ વાળ્યો. એ જયારે દુર્ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ટાઇટેનિકને ડુબ્યાને ૨ કલાક થઇ ગયા હતા. પણ આ એજ જહાજ હતું જેણે ટાઇટેનિકના ૭૧૦ પેસેન્જરોના જીવ બચાવેલાં.

આ ત્રીજા જહાજના કેપ્ટાન આર્થો રોસ્ટનને બ્રિટનમાં બહાદુરી માટે અનેક ઇનામો અને એવોર્ડ્સ અપાયેલાં. એમનું થેરે, ઠેર સન્માન કરાયું હતું.
ઉપરોક્ત પોસ્ટમાં ત્રણ ઉદાહરણો છે. આ ઉદાહરણો આપણા સમાજ અને દુનિયામાં બધે જોવા મળે છે.
'સેમસન'વાળા એ લોકો છે જે ડુબતાની સહાય કરી શકતા હતા પણ પોતાની સ્વાર્થ વૃત્તિ બતાવીને મદદ ના કરતાં ત્યાંથી ભાગી ગયા.

બીજા કિસ્સામાં મદદ કરવા માગતા હતા પરંતુ આળસ કરી. સમયસર સહાયતા ના કરી. રાંડ્યા પછીનું ડહાપણ નકામું.

ત્રીજા કિસ્સાના ના લોકો ખરેખર મદદગાર પુરવાર થયા. ૭૦૦ થી વધુ લોકોને બચાવ્યા.
દોસ્તો, કોરોના ના સંકટ કાળમાં આપણી આજુ બાજુ ઘણા લોકો છે જેમને આપણી સહાયતાની જરૂરત છે. તમે બધાને મદદ ના કરી શકો પણ જેટલાને કરી શકતા હોવ એટલાને કરશો.

#હિંગોળગઢ- એનો ઇતિહાસ અને જાણવાલયક વાતો

#હિંગોળગઢ
જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. તથા વીંછિયા થી ૧૦ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાકુંભાજી જાડેજાએ કોળીની વસતિને તગેડી મુકેલી જેને જસદણના ખાચર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી.

કોળી-પટેલોની વસતિ એ જમાનામાં ભારે ખેપાની ગણાતી.આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબ બાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગદોર સંભાળવા વિનંતી કરી.
સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને  સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા અને તેમણે હામ,દામ, શામ અને દંડથી અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.
પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે વાજસૂરે જસદણઅને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું.
પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૃઆત કરેલી ત્યાં જામનગરના સેનાધિપતી મેરૃ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં.
જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મૈત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથ ઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથેજસદણની ભાઇબંધી પાકી થઇ.એક અવરોધ દૂર થયો એટલે ઇ.સ. ૧૮૦૧ની સાલમાં શુભ મુર્હતે વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૃઆત કરી.

શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૃપ ગણાય છે.
સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશથી વાતો  કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર ઊંચો છે (૧૧૦૦ફૂટ) ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

આ હિંગોળગઢની શોભા ચોમાસાની ઋતુમાં ખુબ જ અનોખી હોય છે. ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે.

આ હિંગોળગઢની રચના યુદ્ધની દ્રષ્ટિએ અને વ્યુહાત્મક રીતે ઘણી ઉત્તમ છે. જાણે યુરોપની ધરતીનો નમૂનો જ જોઇ લ્યો. આ ગઢને ફક્ત પશ્ચિમે જસદણ બાજુ એક જ દરવાજો છે. દરવાજો વટાવીને અંદર પ્રવેશતાંની સાથે જ મોટો ચોક આવે છે. આ ગઢમાં વાજસૂર ખાચર વખતની જુનવાણી તોપો જોવા મળે છે.
અનાજના મોટા કોઠારો, પાણીના મોટા ટાંકાઓ વગેરે દરેક જાતની સગવડો અહીં છે. લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી ઢબે બાંધેલો છે.

કહેવાય છે કે, કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે. તેમાં એક ખીરસરાનો, બીજો જામનગરનો બરડા ધક્કામાં મોડ પરનો, ત્રીજો રાજપરાનો, ચોથોગોંડલ તાબાના અનળગઢનો અને પાંચમો ભિમોરાનો ગઢ આ બધામાં ’હિંગોળગઢ આજની તારીખમાં અડીખમ ઊભો છે.  તેની એક કાંકરી પણ ખરી નથી એવુ બાંધકામ કરવામાં આવેલું છે.

હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૃખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા.
*હરીન્દ્ર દવે*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય,
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.
*હિતેન આનંદપરા*
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
આજ વાદળ એટલું વરસે તો બસ,
છ દશની ટ્રેન એ ચૂકે તો બસ.
*બાબુભાઇ પટેલ*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------
પાણીના ટીપે ઘાસમાં જઇએ, ચલ કોઈ પ્રવાસમાં જઇએ,
પહેલી વર્ષામાં એક થઇને પછી,
માટીના ભીના શ્વાસમાં જઇએ.
*શોભિત દેસાઈ*
💘 Dilu Rathod 💘
-------------------------------------------------------------------
ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઈએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતા જઇએ.
*હરીન્દ્ર દવે*
💘 Dilu Rathod 💘
www.diludiary.blogspot.com
-------------------------------------------------------------------

પહેલા ફોરામા ભીંજાણી,વાતું વાયુમાં વિંજાણી

પહેલા ફોરામા ભીંજાણી
   વાતું વાયુમાં વિંજાણી ,
ઓલી વાદલડી હરખાણી
   પ્રીત્યું પ્રીતમની પરખાણી ,
     ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....

કાંઠે કાંઠે વહેતી વહેતી ,
નજરું બાંધી અમે સમેટી ,
ઝબકી વીજળી પણ શરમાણી
   ઉંચે આભે જઈ પથરાણી..
     ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....
ચમકે પાલવનો ચમકારો ,
ઘમકે ઘૂઘરી નો ઘમકારો ,
મનમાં મોતીડે રંગાણી
    અડધી રાતે ઈ સમજાણી..
    ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....

સૂરજ ઊગ્યો આજે વહેલો ,
આવ્યો તેજ લિસોટો પહેલો ,
અડધી રાતે હું મુંઝાણી
    વેણું નાદે હું બાંધણી...
    ઈ તો મેહુલિયો.....
     આ તો મેહુલિયો.....
    --- હર્ષિદા દીપક

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી