ગુજરાતી/હિન્દી શાયરી અને સાહિત્યનો અખુટ ભંડાર



અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો
"Best View Always Open www.DiluDiary.Blogspot.Com Website Google Crome Brower"
"Wel Come To My Website -Press Ctrl+D to Bookmarks Our Site.."
લેબલ પ્રેરણાદાયક વાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રેરણાદાયક વાર્તા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 2 એપ્રિલ, 2019

આ મોબાઈલ ફોન કાંઈ અમથો જ તાજો-માજો નથી થયો...

આ મોબાઈલ ફોન કાંઈ અમથો જ તાજો-માજો નથી થયો...

આ મોબાઈલ ફોન કાંઈ અમથો જ તાજો-માજો નથી થયો,
તેમણે ઘણું બધું ખાધુ-પીધુ છે.
જુઓ ને......
તે હાથની ઘડિયાળ ખાઈ ગયો.
તે ટોર્ચ-લાઇટ ખાઈ ગયો,
તે પત્રો-ટપાલો ખાઈ ગયો,
તે પુસ્તકો ખાઈ ગયો,
તે રેડિયો ખાઈ ગયો,
તે ટેપરેકોર્ડર ખાઈ ગયો,
તે કેમેરા ખાઈ ગયો,
તે કેલ્ક્યુલેટર ખાઈ ગયો,
તે શેરી નાં દોસ્તો ને ખાઈ ગયો,
તે હળવા-મળવાનું ખાઈ ગયો,
તે આપણો સમય ખાઈ ગયો,
તે આનંદ ખાઈ ગયો,
તે આપણાં પૈસા ખાઈ ગયો,
તે આપણાં સંબંધોને ખાઈ ગયો,
તે આપણી યાદશક્તિ ખાઈ ગયો,
તે આપણી તંદુરસ્તી ખાઈ ગયો,
તે કંઈક દંપતિ ના ઘર ખાઈ ગયો,
તે  ખાઉધરો......................
આટલું બધું ખાઈ ને જ.....
..........સ્માર્ટ  બન્યો  છે ,

બદલતી દુનિયા ની આ એવી અસર થવા લાગી કે ---
--માણસ પાગલ
              અને
ફોન સ્માર્ટ થવા લાગ્યો,
જ્યાં સુધી ફોન
વાયર સાથે બંધાયેલો હતો --
-- ત્યાં સુધી માણસ આઝાદ
હતો,
જ્યાર થી ફોન આઝાદ થયો -
- માણસ ફોન થી બંધાઈ ગયો,
હવે તો આંગળીઓ જ
નિભાવે છે સંબંધો ને,
આજકાલ
જીભ થી નિભાવવા નો
સમય જ ક્યાં છે?

બધા " ટચ " માં " બીઝી " છે,
પરંતુ *ટચ * માં કોઈ નથી..

આ મોબાઈલ ફોન કાંઈ
અમથો જ આટલો
તાજો-માજો નથી થયો,
તેમણે ઘણું બધું ખાધુ-પીધુ છે..!!

રવિવાર, 31 માર્ચ, 2019

एक बार श्यामसुन्दर अपना श्रृंगार कर रहे थे

एक बार श्यामसुन्दर अपना श्रृंगार कर रहे थे। तभी श्यामसुन्दर ने कुछ सोचकर नन्द गाँव की गोपियों को बुलाया और कहा कि अभी तुम  बरसाना  जाओ और ये पता लगाना कि हमारी प्राण प्यारी ने आज कैसे वस्त्र धारण किए हैं। आज हम भी वैसा ही पोशाक धारण करेंगे। आज तो राधे जैसे ही वस्त्र धारण करके ही निकुंज में जायेंगे और तो हमें देखकर राधा जी अचम्भित हो जायेंगी।
          जब नन्द गाँव से गोपियाँ श्री बरसाना पहुँची तो श्री कुछ मंजरियाँ श्री राधा रानी का श्रृंगार कर रही थीं। कुछ मंजरिया बाहर खड़ी थीं उन्होंने गोपियों को अन्दर जाने नहीं दिया। तो गोपियों ने बहुत अनुरोध किया कि सिर्फ एक झलक तो प्यारी की निहारने दो फिर हम यहाँ से चली जाएगीं। मंजरी ने कहा कि एक शर्त है कि कोई एक गोपी ही अन्दर जाएगी।
          फिर एक गोपी अन्दर श्रीराधे की झलक के दर्शन करने गयी। गोपी बिना पलकें झपकाए श्रीराधे की झलक के दर्शन करती रही। फिर उस गोपी ने तुरन्त अपने नेत्र बन्द कर लिए और बन्द नेत्रों से ही बाहर आकर दूसरी गोपी को कहा कि अरि सखी ! जल्दी से मुझे नन्द गाँव ले चल। सभी सखियों ने कहा कि पहले श्रीराधे के श्रृंगार का वर्णन तो कर सखी। गोपी ने कहा कि पहले जल्दी से मुझे श्यामसुन्दर के पास ले चलो वहीं पर बताती हूँ।
          उस गोपी का हाथ पकडकर सखियाँ नन्दभवन में ले आयीं। जब सखियाँ नंदगाँव पहुँची तो श्यामसुन्दर ने पुछा कि कर लिये मेरी श्रीराधे के दर्शन ? अब जल्दी से मुझे बता कैसे  पोषाक धारण किए हैं ? कितनी सुन्दर लग रही थीं मेरी प्यारी ?
          तब गोपी ने कहा कि हमारी प्राण प्यारी को बड़े प्रेम से संभाल कर मेरे इन नेत्रों में समां कर लायी हूँ। लो अब मैं नेत्र खोल रही हूँ। आप मेरे नेत्रों में झांक कर प्राण प्यारी का दर्शन करे।
          अहा ! कितना अद्भुत भाव है। कितना समर्पित भाव है। ऐसा अद्भुत और समर्पित भाव सिर्फ व्रज की गोपिकाएँ ही कर सकती हैं। तब श्यामसुन्दर ने उस गोपी के नयनो में झाँका तो बरसाने में श्रृंगार करती हुई श्रीराधे दिखाई दीं। श्यामसुन्दर अपनी प्राण प्यारी की झलक पाकर उस गोपी के नेत्रों में ही खो गए। अपलक उस गोपी के नेत्रों में ही निहारते रहे। अपना श्रृंगार करना भी जैसे भूल गए। एक स्तम्भ की तरह जैसे अचेतन हो गए हो। एक गोपी ने श्यामसुन्दर को पुकारा तो चेतनवन्त हुए।
          श्यामसुन्दर उस गोपी पर  बलिहारी जाते हैं और बोले तू धन्य है गोपी और तेरा प्रेम भी धन्य है। तुम्हारे प्रेम ने तो नन्दभवन में बरसाना दिखा दिया है।
          फिर श्यामसुंदर ने श्रीराधे जैसा ही श्रृंगार और पोषाक धारण किए। जिस गोपी के नेत्रों में श्री राधे देखी थी उस कहा कि अब तुम अपने नेत्रों में मेरी छवि को बन्द कर लो। उस गोपी ने श्यामसुन्दर को भी अपलक निहारा और थोडी देर में अपने नेत्रों को बन्द कर दिया। श्यामसुन्दर ने एक और गोपी से कहा कि इस गोपी को निकुंज में ले जाओ जहाँ श्रीराधे बैठकर मेरा इन्तजार कर रही हैं। वो सखी उसका हाथ पकडकर निकुंज में ले आयी जहाँ श्रीराधे अपने श्यामसुन्दर का इन्तजार कर रही थीं।
          नन्द गाँव की गोपियों को देखकर उनसे पूछा कि श्यामसुन्दर कहाँ हैं ? जिस गोपी के नेत्र बन्द थे उसने कहा कि श्यामसुन्दर मेरे नेत्रों में समा गए हैं। ऐसा कहकर उस गोपी ने अपने नेत्रों को जैसे ही खोला, तो श्रीराधे भी उसके नेत्रों में झाँककर अचम्भित सी हो गयीं। उस गोपी के एक नेत्र में श्रृंगार करती हुई बरसाना में श्रीराधे दिखाई दे रही थीं और दूसरे नेत्र में श्रृंगार करते हुए नन्दभवन में श्यामसुन्दर दिखाई दे रहे थे। उस गोपी के दोनों नेत्रों में प्रिया प्रियतम दोनों दिखाई दे रहे थे।
          तभी दूर से श्यामसुन्दर अपनी बंसी की मधुर धुन बजाते हुए आते दिखे। दोनों एक दूसरे को देखकर अचम्भित हो रहे हैं क्योंकि जैसा श्रृंगार उस गोपी के नेत्रों में दिखाई दे रहा है वैसा ही श्रृंगार दोनों ने किया है।
          राधा जी उस गोपी को अपना हीरा जड़ित हार पहना देती है और आलिंगन करते हुए कहती हैं, तू धन्य है गोपी और तेरा प्रेम भी धन्य हैं। तूने तो अपने दोनों नेत्रों में मुझे और श्यामसुन्दर दोनों को बसा लिया है।

       "जय जय श्री राधे"

સોમવાર, 25 માર્ચ, 2019

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી.

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી.છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા.વેવાઈ પણ માણસાઈવાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતરી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા. એક દિવસ છોકરીના સાસરિયાં વાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા.દીકરીના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો. વેવાઈ માટે ચા આવી.ડાયાબિટીસ હોવાથી ડોક્ટરે ખુબ સાવચેતી રાખવાનું કહેલું અને ખાંડવાલી ચા પીવાથી મનાઈ કરેલી પણ નવા સંબંધીને ખોટું ના લાગે એટલે ચા લઈ લીધી.ચાની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા હતી. ખાંડ વગરની અને ઈલાયચી નાંખેલી. છોકરીના પિતાને થયું મારા ટેસ્ટની આ લોકોને કેમ ખબર હશે ? બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોકટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી. બપોરની આરામની વ્યવસ્થા, ઉઠીને તુરંત વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘર જેવી જ હતી.
                   છોકરીના પિતાને સમજાતું નહોતું કે નવા વેવાઈને આ બધીખબર કેમ પડી? જયારે એમણે દીકરીના સાસરિયામાંથી વિદાય લીધી ત્યારે પૂછ્યા વગરના રહી શક્યા કે મારે શું ખાવાનું છે ? શું પીવાનું છે ? મને કેવો ટેસ્ટ પસંદ છે ? આ બધી ખબર તમને કેમ પડી ? દીકરીના સાસુએ કહ્યું ," કાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી ગયો હતો.એણે મને કહ્યું કે મારા પપ્પા એમના સ્વભાવ પ્રમાણે કંઈ બોલશે નહી પણ એની તબિયતને ધ્યાને લેતા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે.તમે મારા પપ્પાને સાચવજો.
              "બાપની આંખ ભીની થઇ ગઈ" છોકરીના પિતા ઘરે આવ્યો એટલે ડ્રોઈંગરૂમમાં રાખેલા સ્વર્ગવાસી માતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દીધો.એના પત્નીએ પૂછ્યું, "કેમ બાના ફોટા પરથી હાર ઉતારી લીધો."આંખમાં આંસુ સાથે પતિએ એની પત્નીને કહ્યું, "મને આજે ખબર પડી કે મારુ ધ્યાન રાખનારી મારી માં ગઈ જ નથી.આ જ ઘરમાં હવે એ દીકરીના રુપે રહે છે."
    જેના ઘરમાં દીકરી હોય* એને *બે માનો પ્રેમ મળે છે.એક જન્મદાત્રી મા અનેબીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ સાચવતી મા."
     દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છે..(દિકરી વ્હાલ નો દરીયો)પોસ્ટ પસંદ આવે તો આગળ મોકલજો
આ પોસ્ટ તમે આગળ બીજાને મોકલી એવા લોકોને સમજાવો કે દીકરી-દીકરા માં કોઈ ફર્ક નથી હોતો,,,, દીકરી બે ઘરોની જવાબદારી નિભાવે છે.... એટલે તો દીકરી પારકી થાપણ કહેવાઈ છે.....

શુક્રવાર, 22 માર્ચ, 2019

आत्मा की ज्योति

एक दिन राजा जनक ने महर्षि याज्ञवल्क्य से पूछा...
“महात्मन्! बताइए कि एक व्यक्ति किस ज्योति से देखता है और काम लेता है?”

याज्ञवल्क्य ने कहा....
“यह तो बिल्कुल बच्चों जैसी बात पूछी आपने महाराज। यह तो हर व्यक्ति जानता है कि मनुष्य सूर्य के प्रकाश में देखता है और उससे अपना काम चलाता है।”

इस पर जनक बोले...
“और जब सूर्य न हो तब?”

याज्ञवल्क्य बोले...
“तब वह चंद्रमा की ज्योति से काम चलाता है।”

तभी जनक ने टोका....
“और जब चन्द्रमा भी न हो तब।”

याज्ञवल्क्य ने जवाब दिया...
“तब वह अग्नि के प्रकाश में देखता है।”

जनक ने फिर कहा...
“और जब अग्नि भी न हो तब।”

याज्ञवल्क्य ने मुस्कराते हुए कहा....
“तब वह वाणी के प्रकाश में देखता है।”

जनक ने गंभीरतापूर्वक उसी तरह पूछा....
“महात्मन् यदि वाणी भी धोखा दे जाए तब।”
याज्ञवल्क्य ने उत्तर दिया....
“राजन् तब मनुष्य का मार्ग प्रशस्त करने वाली एक ही वस्तु है-आत्मा। सूर्य, चंद्रमा, अग्नि और वाणी चाहे अपनी ज्योति खो दें पर आत्मा तब भी व्यक्ति के मार्ग को प्रशस्त करती है।”

इस बार जनक संतुष्ट हो गए।
**********
🙏“आपका दिन शुभ हो!!”🙏

મંગળવાર, 19 માર્ચ, 2019

પરદેશી અનુકરણમાં શું શીખ્યા ? બધુ ટુંકુ કર્યું કે ઘટાડ્યું

પરદેશી અનુકરણમાં શું શીખ્યા ?
બધુ ટુંકુ કર્યું કે ઘટાડ્યું

શું શું ટુંકુ કર્યું કે ઘટ્યું ?

૧ સૌ પ્રથમ કુટુંબ ટુકુ થયું
૨ વ્યવહાર ટુકા થયા
૩ સંબંધો ટુકા થયા
૪ વય ટુકી થઇ
૫ ઉંઘ ટુકી થઇ
૬ મન ટુકા થયા
૭ મહેનત ટુકી થઇ
૮ વાળ ટુકા થયા
૯ કપડા ટુકા થયા
૧૦ મર્યાદા ટુકી થઇ
૧૧ બાળકોની સંખ્યા ટુકી થઇ
૧૨ ઘરે જમવાનું ઘટ્યું
૧૩ સાચા ઘરેણા ઘટ્યા
૧૪ વાંચન ઘટ્યું
૧૫ ગણતર ઘટ્યું
૧૬ ધર્મ ધ્યાન ઘટ્યા
૧૭ પગે ચાલવાનું ઘટ્યું
૧૮ લાજતો ટુકી નહી
      પણ સાવ ગઇ
૧૯ ખોરાક ઘટ્યા
૨૦ ઘી માખણનો વપરાશ ઘટ્યો
૨૧ રસોડામાંથી તાંબુ, પિત્તળ,
      કાંસું ગયું
૨૨ માટલા / ગોરા ઘટ્યા
૨૩ નાટક ઘટ્યા
૨૪  દયા ઘટી, દવા વધી અને
       દારૂ નું સેવન વધ્યું
૨૫ ઘરની ચા પીવાની ઘટી
૨૬ સુખ, ચેન ઘટ્યા
૨૭ ઘંટી તો સાવ ગઇ
૨૮ ધાર્મિક પ્રવાસ ઘટ્યા
૨૯ ન્યાય ઘટ્યો
૩૦ અન્યાય વધ્યો
૩૨ મહેમાન ઘટ્યા
૩૩ માંગણ વધ્યા
૩૪ લાગણીઓ ઘટી
૩૫ માંગણીઓ વધી
૩૬ પ્રેમ ઘટ્યો
૩૭ અપેક્ષાઓ વધી

ઘણા ઘરોમાં હજુ આ અસર
નહી આવી હોય તો એમને નમન

સોમવાર, 18 માર્ચ, 2019

એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો.

એકવાર તો વાંચજો જ મિત્રો...!!!
એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ
કરતો હતો.
એકવાર છોકરાએ પ્રપોઝ કર્યું.
છોકરી : અરે સંભાળ! તારી એક
મહિનાની સેલરી જેટલો તો મારો એક
દિવસનો ખર્ચો છે.
શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ!
તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલીજા અને
તારા લેવલની કોઈને પકડી લે.
પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમહતો એટલે તે તેણીને
ભૂલીન શક્યો.
=========
દસ વર્ષ પછી.
=========
એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા.
છોકરી : અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન
થા ગયા છે
મારો પતિતો બહુ જ પૈસાદાર છે,
મહિનાનો ૨ લાખનો પગારદાર છે, અનેતે સ્માર્ટ પણ
તેટલો જ છે.
આ શબ્દો સંભાળીને પેલા છોકરાની આંખમાં આસું
આવી ગયા.
થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો, અને
પેલા છોકરાને જોઈને બોલ્યો, “ અરે સર! તમે અહિયા!
આ મારી પત્ની છે.
પછી તે તેણીની પત્નીને કહેવા લાગ્યો, “ હું આ
સરના પ્રોજેક્ટ પર જ કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે.
તું સર વિષે એક વાત જાણે છે? સર એક
છોકરીના પ્રેમમાં હતા.
પરંતુ પેલી છોકરીએ સરને બીજા સાથે લગ્ન
કરી લીધા.
પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ
સુધી લગ્ન નથી કર્યા.
પેલી છોકરીના ભાગ્ય જ ફૂટલાં હશે!
નહિ તો આ જમાનામાં આવો સાચો પ્રેમ કોણ કરે છે.

એક બહેન તો હોવી જ જોઈએ...વાંચજો અને શેર કરી વંચાવજો..

કાસ........ભગવાને મને પણ આવી એક બહેન
આપી હોત
એક બહેન તો હોવી જ જોઈએ...વાંચજો અને શેર
કરી વંચાવજો..
******************************
*************
• જેની સામે તમે ઘરમાં જોહુકમી કરી શકો
• જેને હાલતા ચાલતા ટપલા મારી હેરાન કરી શકો
• જેની જીદો અટકાવી, તમારૂ ધાર્યું કરાવી તમે
તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો
• કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચે
જેને કહી શકો
• મમ્મી-પપ્પાની ડાંટ સામે જેને હથિયાર
બનાવી શકો
• જે પપ્પાથી તમને
બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ
લે
• જે નવા વર્ષના દિવસે તમારા “તૂતિયારા વેળાને”
લીધે તહેવાર છોડી તમારા કપડાને ઈસ્ત્રી કરતી હોય
• જે તમારી નવી જોડી લીધા પછી તેના શ્રી ગણેશ
ક્યારથી કરવા તે નક્કી કરતી હોય
• જે તમારી કરેલી ભૂલોને લીધે બીજાની થપ્પડ પણ
ખાઈ લેતી હોય
• જે કોઈ પણ વાનગી બની હોય ત્યારે “મારો ભાઈ
બાકી છે ” એમ કહી થોડો ભાગ રાખી મુકતી હોય
• જે તમને ખૂબ પ્રેમ કરતી હોય પણ
તમારા આંખના પલકારાથી પણ ડરતી હોય
• આખા ઘરની વિરૂદ્ધ થઈ તમને
રાજી કરવા પોતાના તમામ શોખનું ગળુ
દબાવી દેતી હોય
• તારો ભરોસો નહીં તેમ કહીં હમઉમ્ર બહેનપણીને
ઘરમાં પણ ન આવવા દેતી હોય
• બાજુ વાળી છોકરી જો ભુલથી હસીને વાત કરે
તો તમારા પર કાળકા થઈને વરસતી હોય
•આવું બધું અવાર નવાર કરતી હોય તેવી એક બહેન
તો હોવી જ જોઈએ.
જો એક બહેન હોય….
• તો જ સંવેદનાની અનુભૂતિ આવે
• તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે
• તો જ ઘરમા તમને સતત
ખૂંચી રહેતા ખાલીપાનો ખ્યાલ આવે..
•બહેન એ ક્યારેક દિકરી સમાન હોય છે તો ક્યારેક
માં સમાન...
•એક બહેન તો હોવી જ જોઈએ…..એક બહેન
તો હોવી જ જોઈએ…..
કાસ........ભગવાને મને પણ આવી એક બહેન
આપી હોત
ભગવાને મારા નશીબ માં આવી બહેન કેમ
નહિ લખી હોય ???????
-----------------
જો મિત્રો આ ગમે તો શેર અચૂકથી કરજો....

શનિવાર, 16 માર્ચ, 2019

" What Went Wrong ? " Must read... "ગડબડ ક્યાં થઈ ?? "

" What Went Wrong ? "
Must read... "ગડબડ ક્યાં થઈ ?? "

એક બહુ જ હોંશિયાર છોકરો હતો... હમેશા ફર્સ્ટ જ આવતો...
આવા છોકરાવને બહુ જ જલ્દી સિલેક્શન મળી જતું હોય છે એમ આ છોકરાને પણ મળી ગયું...
IIT ચેન્નઈમાં કરીને B.Tech કર્યું અને પછી અમેરિકા જઇને MBA કર્યું..
તરત જ નોકરી મળી ગઈ અને દેશમાં ખૂબ જ સુંદર કન્યા સાથે પરણી ગયો અને 3 બેડ ના ફ્લેટમાં આરામની જિંદગી જીવવા લાગ્યો...
સુખ અને માત્ર સુખ જ હતું છતાં એણે એક દિવસ સ-પરિવાર આત્મહત્યા કરી લીધી...
What Went Wrong ?  ગરબડ ક્યાં થઈ ?
આ પગલું ભરતા પહેલા એણે કાયદેસર રીતે બધુ જ સમજી વિચારી ને પોતાની પત્ની સાથે ચર્ચા કરીને સ્યૂસાઇડ નોટમાં લખ્યું કે અત્યારની પરિસ્થિતિમાં આ જ પગલું  શ્રેષ્ઠ છે !!!
એના આ કેસને અને સ્યૂસાઇડ નોટને California Institute of Clinical Psychology એ ‘What went wrong ?‘ જાણવા માટે સ્ટડી કર્યું !!!
કારણો મળ્યા...
અમેરિકાની આર્થિક મંદીના લીધે એની નોકરી ગઈ... પછી બીજી નોકરી મળી જ નહીં... પગાર ઓછો કરવા છતાં 12 મહિના નોકરી ના મળી અને
મકાનના હપ્તા અને ઘર ખર્ચ કાઢતા રોડ પર આવી જાય એવી હાલત થઈ...
થોડા દિવસ પેટ્રોલ પંપ પર નોકરી કરી ને ઘર ચલાવ્યું એવું જાણવા મળ્યું પણ, પછી થોડા જ સમયમાં સ-પરિવાર આત્મહત્યા કરી લીધી !!!
આ કેસને સ્ટડી કરતાં એક્સપર્ટ આ તારણ પર આવ્યા કે "  This man was programmed for success but he was not trained
how to handle failure. " મતલબ કે, આ વ્યક્તિને સફળ કેમ થવું એ તો શિખવવામાં આવ્યું હતું પણ અસફળતાનો સામનો કેમ કરવો એ નો'તું શિખવાડાયું !!!
એના મા-બાપે હંમેશા એણે ફર્સ્ટ કેમ આવવું એ જ શીખવ્યું અને દુનિયાના ઉતાર ચડાવ દેખાડયા જ નહીં અને બસ રૂમમાં બેસાડીને ભણ-ભણ જ કહ્યે રાખ્યું...
મિત્રો, બાળકોને શિક્ષણ જરૂર આપો પણ સાથે સાથે આ જંગલરૂપી દુનિયામાં કેમ ટકવું એ સંસ્કાર અને શીખ પણ આપો...
દરેક પરિસ્થિતિનો ધીરજ સાથે સામનો કેમ કરવો, વિવેક રાખવો અને સહનશીલતા રાખવી એ પણ શીખવો !!!

બુધવાર, 13 માર્ચ, 2019

જયારે એક ભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો.

#શેર_કરો_પછી_વાંચજો 😥. 👇

જયારે એક ભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો.

તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા
પરંતુ
તેમણે એમ કહીને બધાને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે
અને
તે દિકરો મારી પત્નિની મને ભેટ છે.

તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ મારી જીંદગી કપાઇ જશે.

પુત્ર મોટો થયો તેના લગ્ન્ન પણ સારી રીતે કર્યા અને બધો જ કારોબાર પુત્રને હવાલે કરી દીધો અને પોતે નિવૃત જીવન ગાળવા લાગ્યા. 

પુત્રના લગ્ન્ન બાદ એક વર્ષ પછી તેઓ એક સવારનાં પૂત્રના ઓફીસે જવાના સમય પહેલાં જમવા બેઠા.

જમવાની શરૂઆત કર્યા બાદ તેમણે વહુને કહ્યુ કે વહુ બેટા દહીં હોય તો આપોને ?

પુત્રની પત્નિએ દહી નથી એવો જવાબ આપ્યો.

આ જવાબ પુત્ર ધરમાં દાખલ થતા સાંભળી ગયો.

પિતાજીએ જમી લીધુ અને પતિ-પત્નિ જમવા બેસે છે.

જમવામાં અન્ય ચીજો સાથે પ્યાલો ભરીને દહીં પણ પત્નિ પીરસે છે.

પુત્રે કોઇ પ્રતિક્રીયા ના આપી પરંતુ જમીને ઓફીસે જવા રવાના થઈ જાય છે.

થોડા દિવસો પછી પુત્રએ તેમના પિતાજીને કહ્યુ કે “ પાપા આજે તમારે મારી સાથે કોર્ટ આવવાનું છે.

આજે તમારા પુનર્લગ્ન્ છે.

પિતાજીએ કંહ્યુ કે બેટા મારે હવે આ ઉમરે પત્નિની આવશ્યકતા નથી અને હું તને પણ એટલો સ્નેહ આપુ છું કે તારે પણ માઁની આવશ્યકતા નહીં હોય.

પછી બીજા લગ્ન્ન શું કામ ?

પુત્રએ જવાબ આપ્યો-
“ પિતાજી ના તો હું મારે માટે માઁ લાવી રહ્યો છું કે તમારા માટે પત્નિ”

હું તો માત્ર તમારા માટે દહીંનો પ્રબંધ કરી રહ્યો છું.

કાલથી હું મારી પત્નિ સાથે ભાડાનાં મકાનમાં રહીશ અને તમારી ઓફીસમાં એક કર્મચારી તરીકેનો પગાર લઈશ જેથી કરીને તમારા દિકરાની વહૂને દહીંની કિમત સમજાય.

બોધ.

માઁ, બાપ સંતાનો માટે એ.ટી.એમ. કાર્ડ બની શકે છે.

તો સંતાનોએ પણ માઁ-બાપ માટે આધાર કાર્ડ બનવું જોઇયે ને ?😥😥?
?😥

મિત્રો તમને યોગ્ય લાગે તો જ બીજા મિત્રો સાથે શેર કરજો..!

ધન્યવાદ...આપનો દોસ્ત

Do not edit & cut please...?

ડિલીટ મારતા પહેલા, અન્ય ગ્રુપ માં ફોરવર્ડ કરવાનું ચૂંકશો નહીં. કોઈ ની આંખો ખૂલી જાય તો, મોકલનાર ને આંગળી ચીંધવા નું પુણ્ય મળશે . ધન્યવાદ !!

*સ્ટોરી નું મોરલ સમજાય તો શેર કરજો !!

બુધવાર, 6 માર્ચ, 2019

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો

વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે

ઈસવિસન પૂર્વ ૩૨૦૨ એકવાર કૃષ્ણ (૨૭), બલરામ (૨૮) અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાના મહાવીર યોદ્ધા હતા)

જંગલમાં ફરવા માટે ગયા.સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા.
શ્રી કૃષ્ણએ કહ્યું,  “આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”

પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો. એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો.સાત્યકિ એ એની સાથે લડાઈ શરૂ કરી.સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ટક્કર આપતા હતા.આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે.એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય.

સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા.હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું.બલરામને પણ વાગે એટલે દર્દની
ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય. એમનો સમય પૂરો થયો એટલે એમણે શ્રી કૃષ્ણને જગાડ્યા.

શ્રી કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી.

પોતાને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જોઈને ખડખડાટ હસે.

એનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું.

પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.

મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે.

આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે.

આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય

અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે

પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ

અને છેલ્લે...

જીંદગી ક્યાં સહેલી છે,
એને સહેલી બનાવવી પડે છે.
કંઈક આપણા અંદાજ થી,
તો કંઈક નજરઅદાંજ થી

ગુરુવાર, 28 ફેબ્રુઆરી, 2019

બાજ પક્ષી પોતાના બચ્ચા ના જન્મ પછી થોડા જ સમય

બાજ પક્ષી પોતાના બચ્ચા ના જન્મ પછી થોડા જ સમય માં એને પોતાની પાખો માં સમેટી ને ઉપર આકાશ માં લઈ જાય છે...
એટલું ઊચે કે જ્યાં વિમાન ઉડતા હોય...
આટલે ઉપર જઇ ને એ સ્થિર થઈ જાય છે...A highest distance from earth where  a natural creature can fly...
અને પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનીંગ...
એક એવી ટ્રેનીંગ કે જેમાં બાજ પક્ષી પોતાના બચ્ચા ને એ સમજાવવા માગે છે કે એ કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાન ની બુલંદીએ ઊડવાનું છે નહીં કે મકાનની છત પર બેસીને ચુ-ચુ કરવાનું...
પછી એ બચ્ચાને આટલી ઊચાઈએ થી છૂટું મૂકી દેવામાં આવે છે...
આટલી ઊચાઇએ થી નીચે પડતી વખતે બચ્ચાને એ સમજાતું નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે !!!
થોડું નીચે આવવા થી બચ્ચા ની પાંખ ખુલવા લાગે છે અને ધરતી થી અંદાજે 9 કિલોમીટર ઉપર સુધી માં એની પૂરી પાંખો ખૂલી જાય છે અને એ પાંખ ફફડાવે છે એટ્લે એને એહસાસ થાય છે કે એ કોઈ સામાન્ય પક્ષી તો નથી જ !!!
એ હજુ વધુ નીચે આવે છે પણ હજુ એની પાંખ એટલી સક્ષમ તો નથી જ કે એ ઊડી શકે અને જમીન થી 700-800 મીટરે ઊચાઇ થી નીચે પડતી વખતે એને એમ લાગવા લાગે છે કે આ એની જિંદગી ની આખરી સફર છે  ત્યાં જ અચાનક એક મહાકાય પંજો એને પોતાની બાહોમાં લઈ લ્યે છે અને એ પંજો એની માં નો જ હોય છે જે એને નીચે પડતું મૂક્યા પછી એની સાથે જ આવતી હોય છે !!!
આવી ટ્રેનીંગ બાજ પક્ષી એના બચ્ચા ને ત્યાં સુધી આપ્યા રાખે છે જ્યાં સુધી એ બરાબર ઉડતા ના શીખી જાય...
મિત્રો આવી રીતે તૈયાર થાય છે એક મહાન બાજ પક્ષી જે આસમાન માં રાજ કરે છે અને એના થી 10 ગણા વધુ વજન વાળા પક્ષી ને પણ ઉપાડી ને આસમાનની બુલંદીયો સર કરે છે !!!
આ વાર્તા કે જે એક સત્ય હકીકત છે એ અહી કહી ને હું તમામ માં બાપ ને કહેવા માગું છુ કે તમે તમારા બાળકો ને છાતી એ ચીપકાવી ને જરૂર રાખો પણ એક બાજના બચ્ચા ની જેમ એને દુનિયા ની મુશ્કેલીઓ થી વાકેફ પણ કરો, એનો સામનો કરાવો અને લડતા શીખવો...
હકીકતે આજના સમય માં કાર્ટૂન, ટીવી માં આવતા રિઆલિટી શો અને  વિડિયો ગેમે આપણા બાળકો ને બોઈલર મુરઘાં જેવા બનાવી નાખ્યા છે જેની પાસે પગ તો છે પણ ચાલી નથી શકતો અને પાંખ છે પણ ઊડી નથી શકતો...
www.diludiary.blogspot.com

મિત્રો કુંડા માં લગાવેલા છોડ માં અને જંગલ માં ઉગેલા છોડ માં કેટલો ફર્ક હોય છે એ તો આપ સૌ જાણો જ છો !!!
એક નાનકડી પણ સરસ પંક્તિ...
બહુ મીઠો પ્રેમ...બહુ ખારા આંસુ પડાવે છે...અને આ વાત ફક્ત પ્રેમીઑ ને જ નહીં પણ તમારા બાળકો પ્રત્યે ના પ્રેમ ને પણ લાગુ પડે છે માટે મિત્રો તમારા બાળક ને કોઈ વસ્તુ નો ભાવ કરતાં નહીં પણ તેની કિમત કરતાં જરૂર શિખડાવજો

શનિવાર, 16 ફેબ્રુઆરી, 2019

શ્રદ્ધા.....

શ્રદ્ધા.....
એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક... તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી...

દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.

શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.

શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત બીજી જ઼ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.

એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.
પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

Be Positive
ગમે તો આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, જેથી તેમના વિચારો પણ પોઝીટીવ અને ડગમગીયા વગર શક્તિશાળી બને...!!!  

ફકત ઈશ્વર માં શ્રધ્ધા રાખો.

દીકરી શું છે? શું નથી?

 દીકરી શું છે? શું નથી?
-------------------
સૂર્યના ઘરે દીકરી હોત
અને તેને વિદાય કરવાનો
અવસર આવ્યો હોત તો
સૂર્યને ખબર પડત કે
અંધારું કોને કહેવાય ? . . . .
-------------------
 ✍ દિકરી એટલે શું ?

દિ -  દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ.........
ક - કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી........
રી -  રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.....❣
-------------------
કોઈ પણ  પરિવારમાં  એક પિતાને  ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે  . . . . .

દરેક દીકરી પોતાના પિતાને કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ? કેમ કે તેને ખબર છે કે આખી  દુનિયામાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય દુ:ખી નહી કરે  . . . ..

દીકરી દાંપત્યનો દીવડો ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.
હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણ આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે.
કેમ કે
મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી.દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે.

દીકરી
ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે.જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે :
પપ્પા, હું જાઉં છું... મારી ચિંતા કરશો નહીં.. તમારી દવા બરાબર લેજો..અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી.

કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલ માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે :
સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?
એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું.
મિત્રની દીકરીના લગ્ન હતાં.દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું
હતું : આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-
           પ્રભુ, તું સંસારનાસઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો
પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની  સાસુ કે નણંદ બનવાની છે.
ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !


હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો  પિતા પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી.  બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને  તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.

દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી...

"તિરંગા નો પાંચમો રંગ"

"તિરંગા નો પાંચમો રંગ"
"બોલો તિરંગા માં કેટલા રંગ છે ?" પ્રવીણ પરેરા, ક્વિઝ માસ્ટર, પ્રિતિસ્પર્ધિઓ ને પૂછી રહ્યો હતો.
બધા હસવા લાગ્યા, " તિરંગા માં ત્રણ જ રંગ હોય ને ?"
ખાલી એક ચાર્મી એ હાથ ઉપર રાખ્યો હતો.
પ્રવીણ સરે, એને પૂછ્યું " તારો જવાબ અલગ છે ?"
એણે હકાર માં માથું હલાવ્યું ને બોલી " પાંચ."

અને આખા હોલ માં હાસ્ય ની છોડો ગુંજી ગઈ.
પ્રવીણ સર પણ થોડું મલકાઈ ને એમાં જોડાઈ ગયા.

વાત એમ હતી કે બોર્નવિનર કંપની તરફ થી દર વર્ષે આંતરસ્કૂલ સ્પર્ધા લેવામાં આવતી જેમાં દરેક સ્કૂલ પોતાનાં બે બાળકો ને સ્પર્ધક તરીકે મોકલાવી ને આ પ્રતિષ્ઠિત સ્પર્ધા "બોર્નવિનર ક્વિઝ કોન્ટેસ્ટ " જીતવાની હોડ માં રહેતાં. આ સ્પર્ધા નું મહત્વ એટલે હતું કે આ સ્પર્ધા ફક્ત બુદ્ધિ સ્પર્ધા રહેતી અને જે સ્કૂલ આ સ્પર્ધા જીતે તેનું નામ મોટું થઇ જતું એટલે આ સ્પર્ધા જીતવા દરેક સ્કૂલ દર વર્ષે ખુબ આતુર રહેતી. તદ્દઉપરાંત આ સ્પર્ધા ટીવી પર પણ પ્રદર્શિત થતી, દર શનિવારે.

આ સ્પર્ધા વર્ષ ૨૦૧૮-૧૯ માટે હતી. અને યોગાનુયોગ, એનો છેલ્લો હપ્તો જેને "ગ્રાન્ડ ફિનાલે" કહે છે તે શનિવાર આ વખતે ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૯ ના આવતો હતો. સૌ જાણતાજ હશો કે આવી સ્પર્ધાઓ નું ૧૫ દિવસ પહેલા જ શૂટિંગ થઇ જાય અને આપણને એના ટુકડાઓ જાહેર ખબર રૂપે પહેલા થી બતાવવામાં આવે છે. પણ પ્રસારણ સમયે એવી ટેક્નિક થી એડિટ કરી ને ઓન એર કરે કે આપણને એવું લાગે જાણે આ સ્પર્ધા હમણાં આપણી સામે રમાઈ રહી છે અને આપણે ઇંતેજારી પૂર્વક એને માણીએ છીએ.

અને આ ગ્રાન્ડ ફિનાલે નો સ્પેશ્યલ એપિસોડ હતો એટલે સાપ્તાહિક ૧ કલાક ના સમય ની બદલે આ એપિસોડ માટે ચેનલે અઢી કલાક નો સમય ફાળવ્યો હતો.

માટે પ્રવીણ સર વચ્ચે કોઈ દર્શક ને, જુના સ્પર્ધક ને ક્યારે બધાને એમ સવાલ પૂછી લેતો.
એ રીતે એણે બધા બહાર થઇ ગયેલા સ્પર્ધકો ને એક સવાલ પૂછ્યો . "બોલો તિરંગા માં કેટલા રંગ છે ?"
આપણી ચાર્મી એ જવાબ આપ્યો "પાંચ."

એટલે એ બધા માટે ખુબ હાંસી પાત્ર થઇ ગઈ પણ ટીવી પર સ્પર્ધામાં પણ થોડું મનોરંજન હોવું જોઈએ એ ક્વિઝ માસ્ટર પ્રવીણ જાણતો એટલે તરતજ ચાર્મી ને સેન્ટર સ્ટેજ પર આમન્ત્રિત કરવા માં આવી.
બધા એની મઝા જોવા તૈયાર હતાં.

સૌ ને ખબર હતી હમણાં ક્વિઝ માસ્ટર પોતાની સ્ટાઇલ માં એની અને એની સ્કૂલ ની ખબર લઇ નાંખશે, એટલે એની બાજુ માં બેઠેલાં એના જેવા બહાર થઇ ગયેલા સ્પર્ધકો એને રોકી રહ્યા હતાં પણ ચાર્મી, પાંચ વરસ ની આ બાળકી, નિર્ભીકપણે ક્વિઝ માસ્ટર પાસે પહોંચી ગઈ.

પ્રવીણ સર : તારું અને તારી સ્કૂલ નું નામ જણાવ બધાંને.
ચાર્મી : ચાર્મી, જ્ઞાનસરિતા મહાવિદ્યાલય, જામનગર.
પ્રવીણ સર : શાબ્બાશ, તારી સપર્ધા કેટલાં લેવલ સુધી હતી
ચાર્મી : બે રાઉન્ડ સુધી.
પ્રવીણ સર :હવે તારો જવાબ ફરી થી આપીશ ? આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં કેટલા રંગ હોય છે ?
ચાર્મી : પાંચ.
ફરી હાસ્ય ની છોડો ફરી વળી આખા ઑડિટોરિમ માં. કેટલાક ચતુર લોકો એ એની મુર્ખામી ને તાળીઓ થી વધાવી લીધી.
ક્વિઝ માસ્ટર પણ પોતાનું હસવાનું રોકીને માંડ માંડ ગંભીર થવાની કોશિશ કરી રહ્યો હતો.
પ્રવીણ સર : તો અમને સૌ ને આ પાંચ રંગો વિષે જાણકારી આપી શકીશ ?
ચાર્મી : હા, સર.
પ્રવીણ સર : ઓકે. તો અમને સૌ ને આ પાંચ રંગ વિષે જ્ઞાન આપ. ( આખી સભા માં હજી પણ ઠઠા મશ્કરી ચાલુ હતાં. બધા એની સ્કૂલ પર હસતાં હતાં કે આ સ્કૂલ માં આનાથી હોશિયાર કોઈ બાળક નહિ હોય ?)
ચાર્મી : ભલે સર.
એણે જવાબ આપવાની તૈયારી માં સમય લીધો.
બધા એનો કેવો ફજેતો થાય છે એ જોવા આતુરતાં થી બેઠા હતાં.
પ્રવીણ સર : ઓકે. ઓલ ઘી બેસ્ટ.
ચાર્મી : પહેલો રંગ છે "કેશરી". જે આપણા તિરંગા માં સૌથી ઉપર નાં ભાગ માં હોય છે.
ફરી હોલ આખો મશ્કરી રૂપે કિલકારીઓ સાથે તાળીઓ થી ગુંજી ઉઠ્યો.
પ્રવીણ સર : બરાબર, ૧ રંગ થયો.
ચાર્મી : બીજો રંગ છે "સફેદ" જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં હોય છે.
આ વખતે તાળીઓ અને ચિચિયારીઓ બમણી થઇ ગઈ. સૌ ભરપૂર આનંદ ઉઠાવતાં હતાં જયારે ફક્ત ક્વિઝ માસ્ટર અને ચાર્મી જ શાંત અને ગંભીર બેઠાં હતાં.
પ્રવીણ સર : બરાબર, ૨ રંગ થયાં.
ચાર્મી : ત્રીજો રંગ છે "લીલો" જે આપણા તિરંગા નાં સૌથી નીચલાં ભાગ માં હોય છે.
હવે હોલ માં આનંદ ની ચરમસીમા હતી, સૌ એ ઉભા થઈને તાળીઓ ચાલુજ રાખી. સૌને હવે આગળ નો ફિયાસ્કો માણવાની આતુરતાં પરાકાષ્ઠા એ હતી.
પ્રવીણ સરે બધાને માંડ માંડ શાંત કર્યાં.
પ્રવીણ સર : બરાબર, 3 રંગ થયાં.
ચાર્મી : ચોથો રંગ છે "બ્લુ" જે આપણા તિરંગા નાં વચલાં ભાગ માં જે ચક્ર છે તેનો રંગ.
પ્રવીણ સર : બરાબર, ૪ રંગ થયાં. પણ બેટા તે પાંચ રંગ કહ્યાં છે. આ પાંચમો રંગ કયો ? એ કહીશ ?
ચાર્મી : પાંચમો રંગ છે "લાલ" જે આપણા તિરંગામાં હોય છે.
અને આખો હોલ ખડખડાટ હસવા લાગ્યો. પાછો તાળીઓ અને ચિચિયારીઓ અને સીટીઓ નો નવો દોર ચાલુ થઇ ગયો.
ક્વિઝ માસ્ટરે વિનંતી કરી ને બધાને શાંત કર્યાં.

પ્રવીણ સર : મેં ક્યારે આપણા તિરંગા માં લાલ રંગ જોયો નથી. બીજા કોઈએ જોયો છે ? (એણે હાજર મેદની સામે જોઈને પૂછ્યું. અને બધાએ એક મોટો બુચકારો બોલાની ને નાં પડી). ચાર્મી ? રાઈટ ? તે કયારે જોયો છે આ લાલ રંગ આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા માં ?

ચાર્મી : હા સર, મારા આર્મી ઓફિસર પપ્પા જયારે છેલ્લે ઘરે આવ્યાં ત્યારે એમણે જે તિરંગો ઓઢ્યો હતોને એમાં વચ્ચે વચ્ચે લાલ રંગ લાગેલો હતો.

આખા હોલ માં એક સન્નાટો છવાઈ ગયો. એક કારમું લખલખું પસાર થઇ ગયું બધાની કરોડરજ્જુ માંથી. એક એક આંખ માં આંસુ હતાં.
પછી કોઈ કાંઈ બોલ્યું નહિ. ફક્ત ક્વિઝ માસ્ટરએ ચાર્મી ને તેડી એને પપ્પીઓ થી નવડાવી દીધી અને બોલ્યો "જે દિવસે આખા દેશ ને આ પાંચમો રંગ દેખાઈ ગયો ને એ દિવસ આ આતંકવાદ નો છેલ્લો દિવસ હશે."
-ગિરિશ મેઘાણી
***
કથા બીજ : નિરંજનભાઈ કોરડીયા

ખાસ નોંધ:

નમસ્તે મિત્રો.અહિંં આ પેજમાંં મુક્વામાં આવેલ લખાણ અને ફોટો લખાણએ કોઇ કવિ અને લેખક દ્વારા લખાયેલ છે.જેમના નામ મળ્યા છે એમના નામ લખેલ છે બાકીના મિત્રોના નામ ખ્યાલ નથી એટલે લખેલ નથી જેની સર્વે મિત્રો નોંધ લેશો.આભાર

સહયોગ આપનારાઓ

Total Visitor

Follow On Instagram

યુ ટ્યુબમાંં મળો

અમારા શાયરી ગ્રૃપમાં જોડાવો

સંંપર્ક ફોર્મ

નામ

ઇમેઇલ *

સંદેશ *

શાયરી કેટેગરી